SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3i36] શ્રી જેન સત્ય પ્રકાશ વર્ષ 3 સમ્યકત્વ સૂર્યને પ્રકાશ મુનિવરે સુધારવર્ષિણી વાણીને વરસાદ વરસાવ્યો. સૂર્ય દેવના ઉદયથી કમલની પાંખડીઓ ખીલે તેમ તેના હૃદયમાં સમ્યકત્વ સૂર્યને પ્રકાશ થ.૧ મુનિવરે પિનાનો ઉપદેશ બંધ કર્યો. ધનપાલની ચક્ષુમાં હર્ષનાં આંસુઓ ભરાયાં. તે કહેવા લાગ્યો કે હે પ્રભે, ખરેખર આપે મારો ઉદ્ધાર કર્યો. મેધાવેશમાં આવી મેં ભેજ રાજાની આજ્ઞાથી બાર વર્ષ પર્યત મુનિવરેને વિહાર બંધ કરાવ્યું. મેં અનહદ પાપ ઉપાર્જન કર્યું છે. હે કરૂણસિધુ, તે પાપથી હું ક્યારે છુટીશ ! હે ધનપાલ તમારા આત્માને હવે નિસ્તાર થશે, પિતાની ભૂલને સ્વયં પશ્ચાત્તાપ થવે એ અહોભાગ્યની નિશાની છે. માનવ જ્યારે પિતાની ભૂલ સ્વયં જોઈ શકે છે, ત્યારે ક્ષણવારમાં જ સન્માર્ગને પાપ્ત કરી શકે છે. તમારા સ્ફટીકવત નિર્મલ અંતકરણની વૃત્તિ સન્માર્ગ તરફ વળી એ જોઈ મને અનહદ આનંદ થયો છે. જગતમાં બાહ્ય કારણે કેટલેક અંશે આલંબન રૂપ છે. છતાં પણ અન્યાકરણની મલિનતા જ્યાં સુધી નાબુદ ન થાય અને તેમાંથી સગુણોની મૌરભ ન નીકળે, ત્યાં સુધી કર્તવ્યની પ્રાપ્તિ થવી ઘણું જ કઠણ છે. માનવે પ્રથમ કર્તવ્યના સોપાન પર આવવું, એ સદ્ભાગ્યની પ્રથમ અણુ છે. જ્યાં સુધી સર્વ વિરતિને સ્વીકાર ન કરી શકાય ત્યાં સુધી દેશ વિરતિની આરાધના કરવી શ્રેયસ્કર છે. પ્રાંતે ધનપાલે બાર વ્રતને સ્વીકાર કર્યો-તે પરમ શ્રાવક* બને. તેના હૃદય કમલની અંદર આ પ્રમાણે તેને નિશ્ચય થવા લાગ્યાઃ રાગ દ્વેષથી રહિત, તે કાલેકના સર્વભાવને જાણનારા તે જ મારા દેવ છે; કંચન કામિનીના ત્યાગી, શુદ્ધ પ્રરૂપક, પૂર્વ પુરૂષોના માર્ગને વહન કરનારા તે જ મારા ગુરૂ છે અને જિનેશ્વર ભાષિત સુક્ષ્મ તત્ત્વથી ભરપૂર, દયામય, અનેક મહાન પુરૂષોએ માન્ય કરેલ, જેની ત્રિપુટી શુદ્ધ છે એ જે ધર્મ તે જ મારે ધમ છે. તેને જ હું સત્ય તરીકે સ્વીકારું છું. છેવટે, આ જ પિતાના લઘુ બધું છે, એ જાણ થતાં ધનપાલના આનંદને પાર ન રહ્યો. તે નેહ પૂર્વક તેમને ભેટી પઢ. 1 मिथ्यात्वस्यावलेपोऽथ तद्वाक्येन विनिर्ययौ // तदा कृतीश्वरस्याहिनाथमंत्रेविषं यथा // 90 // प्र० म० प्र० 2 जिनेन्द्रदर्शनं धर्ममूलं भोजनृपाज्ञया // यन्निस्य मयोपाजि, नांतस्तस्य महांहसः // 99 // प्र० म० प्र० ૩–શ્રી જૈન સસ્તી વાંચનમાળા ભાવનગર તરફથી બહાર પડેલ ધનપાલ પુરહિત' એ નામના પુસ્તકમાં શેભાચાર્ય પાસે ધનપાલે બારવ્રત અંગીકાર કરેલાં છે, એમ લખેલ છે. તેને આધારે બારવ્રત અંગીકાર કર્યા એ જણાવેલ છે. ૪-પરમાહત કવિ ધનપાલ ચુસ્ત “શ્રમણોપાસક શ્રાવક” થયો હતો એ બાબતને ન્યાયચાર્ય, ન્યાયવિશારદ શ્રીમાન ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજને ધર્મ પરીક્ષા નામને અપૂર્વ ગ્રન્ય સચોટ સાક્ષી પુરે છે: જૂઓ–“ધર્મ પરીક્ષામાં—” પ્રમશાળા પાપનાવ્યુતઆ પ્રમાણે ઉલ્લેખ છે. છે For Private And Personal Use Only
SR No.521531
Book TitleJain Satyaprakash 1938 04 SrNo 33
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy