SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે “બરાબર પર્વત” પરના જૈન ગુફા મંદિરે છે REFEREFFFFEREFEREFEREFFFFFFFFFFFEREFERE લેખક-શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ ( ગતાંકથી ચાલુ ) ક માપારને શિલાલેખ. આ શિલાલેખ પિાલીશ કરેલી સપાટ સપાટી પર કોતરવામાં આવ્યો છે. તેને હવાથી ઘણું નુકસાન થયું છે. જેના માટે જાણી જોઈને કોઈ નુકસાન કર્યું હોય એમ પણ જણાઈ આવે છે. આ શિલાલેખની બીજી લાઈનને ચે અક્ષર શું છે અને ગેરથગિરિના શિલાલેખની માફક તેમાં એક મધ્યબિંદુ છે. ત્રીજી લાઈનને આઠમો અક્ષરા ને થમ્ છે. પાંચમી લાઈનના પહેલા અક્ષર પછી સ્વસ્તિક તેમજ સીધા ખંજરને મળતું ચિહ્ન જોવામાં આવે છે. આ નિશાન ત્રિશૂલનું હોવું જોઈએ. પાંચમી લાઈનને આ પહેલે અક્ષર ની જેવો લાગે છે પણ તે ખરી રીતે ના છે. આ ચિહ્નોની નીચે મત્સ્યનું ચિહ્ન તદન સ્પષ્ટ જણાય છે. મત્સ્યની ઝાલરે પણ ઠીક છે. - શિલાલેખની ચોથી લાઈનના ચેથાથી નવમા અક્ષર પરથી આ ટેકરીનું ખલાતી ” કે “ખલાંતીક પર્વત” એમ એવું નામ જણાય છે. વિશ્વામિત્રની ગુફામાંના ' શિલાલેખ પરની ત્રીજી લીટીમાં જે “ખલાતિક પવતસી” એ સ્પષ્ટ શબ્દ છે, તેને આ શબ્દો મળતા આવે છે. આ લીટીને ચોથે અક્ષર “દી” છે એટલે આખો શબ્દ દીના એમ બની રહે છે. જે અનુમાન સત્ય હોય તો બે વસ્તુઓ સ્પષ્ટ રીતે તરી આવે છે. પહેલી વાત એ કે આ શિલાલેખવાળી ટેકરીના નામની શરૂઆત “ખ”થી થવી જોઈએ. વળી બીજે કઈ પણ અક્ષર હવે કાઢી નાખવાનું શકય નથી. બીજી વાત એ છે કે જે સમુદાયને આ ગુફા અર્પણ કરવામાં આવી તે સમુદાયનું નામ આમાં મૂકી દેવામાં આવ્યું છે. “બરાબર” પર્વતની અને નાગાજુની ટેકરીઓની બીજી પાંચ ગુફાઓમાં આમ થયું નથી. સ્વસ્તિક અને ખંજર (ત્રિશુલ) એ બંનેના મિશ્રણને આજીવિકાના ચિહ્ન રૂપ માનીએ તે જ શિલાલેખમાં સમુદાયનું નામ છે એમ માની શકાય. આજીવિકેહિ” એ શબ્દ “બરાબર” પર્વત અને નાગાજુનીના બીજા દરેક એટલે પાંચે શિલાલેખોમાં જણાય છે, પણ તે ચાર શિલાલેખમાંથી જાણી જોઈને ઉખેડી નાખવામાં આવેલ છે. “કમેપાર ”ના શિલાલેખની ચોથી લાઈનમાં આ જ “આજીવિકેહિ” શબ્દ હોવાનું સંભવિત નથી ? વળી રૂચ કુટા “ વરી”ના એ શબ્દો લેખના છેડે હોય એમ માનવામાં આવે તેમ છે. આજીવિકો ઈ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકામાં હિંદ અનેક પ્રકારના પરિવર્તનમાંથી પસાર થતું હતું. ઉપનિષદોની શ્રદ્ધાવાળા બ્રાહ્મણે ધર્મસૂત્ર રૂપે જીવનના નિયમે વિહિત કરતા હતા. તીર્થંકર For Private And Personal Use Only
SR No.521530
Book TitleJain Satyaprakash 1938 03 SrNo 32
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy