SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયાસ્તથી શરૂ થતા પદ્યનું કે લેખક-શ્રીયુત પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ એ આપણા સાહિત્યના અભ્યાસીઓથી એ વાત અજાણી નથી કે આપણે અનેક કૃતિઓના કર્તા વિષે અજ્ઞાત છીએ. અને કેટલીક કૃતિઓના કતૃત્વ વિષે મતભેદ પણ ધરાવીએ છીએ. આવી એક કૃતિ વિષે અત્રે ઊહાપોહ કરવામાં આવે છે. એ કૃતિ એ નીચે મુજબના એક પધરૂ૫ છે:– “નકારતક “ચાતYઢાંઇના છે, रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो, भवन्तमार्याः प्रणता हितैषिणः ॥" આ પધ વેતાંબર તેમજ દિગંબર એમ ઉભય સાહિત્યમાં આ જ સ્વરૂપે તેમજ પાઠાંતરપૂર્વક ઉપલબ્ધ થાય છે. સેથી પ્રથમ આપણે શ્વેતાંબર સાહિત્યગત ઉલ્લેખની નેધ લઈશું. (૧) કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ સ્વપજ્ઞ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં દ્વિતીય સૂત્રની વ્યાખ્યામાં “તુતિરાડ થા” એવા નિર્દેશપૂર્વક ઉપકત પધ રજુ કર્યું. " (૨) આવશ્યક સૂત્રની નિર્યુકિતનોકે વિવૃત્તિમાં શ્રી મલયગિરિસરએ સારસ્તુતિવાળવવત” એવી પંકિત પુરસર આ જ પધ ઉપસ્થિત કર્યું છે. ૧ આનું એક કારણ એ છે કે કર્તાના નામમાં અનેકવિધ પરિવર્તન સંભવે છે. જન્મ, દીક્ષા ગુણપ્રત્યય, દેશપ્રત્યય, ઈત્યાદિ ભેદથી નવીન નામ કે ઉપનામને જન્મ થાય છે. વળી પશ્ચાત લેખક પિતાની રુચિ અનુસાર એ નામના પર્યાયરૂપ કે પર્યાયાંશરૂપ નમના ઉલ્લેખ કરે છે. વળી કેટલીક વાર નામ અનુવાદિતરૂપ પણ ધારણ કરે છે. ૨ શ્રી. સિદ્ધસેનદિવાકરકૃત ન્યાયાવતારમાંનું નવમું પધ શ્રી. રમન્તભદ્રકૃત રત્નકરંડક શ્રાવકાચારમાં નવમા જ પધ તરીકે જોવાય છે, એ હકીકત અહીં વિચારી લેવી. આ પધ પરત્વે સન્મતિપ્રકરણની ગુજરાતી પ્રસ્તાવના (પૃ. ૪૩)માં એમ સૂચવાયું છે કે “બહુ તે એટલું જ કલ્પી શકાય કે સમંતભદ્ર અને સિદ્ધસેન દિવાકર બન્નેએ તે ક્ષેક કદાચ કોઇ એક બીજા સ્થાનમાંથી લીધે હોય.” ૩ આવશ્યકસૂત્રના કર્તવ વિષે પં. સુખલાલજીએ કેટલાંક વર્ષ ઉપર “ શ્રી. આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ,” આગ્રા તરફથી પ્રસિદ્ધ થયેલી “પંચ પ્રતિક્રમણમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. એને ઉત્તર વીરશાસનની સાતમી ભેટરૂપે પ્રસિદ્ધ થયેલ “સનાતન સત્યને સાક્ષાત્કાર ” (પૃ ૧-૬૭)માં મુનિશ્રી રામવિજયજીએ ( હાલમાં વિજયરામચંદ્રસૂરિજીએ) આ હતો. ઘણેભાગે ત્યારબાદ જૈન સાહિત્ય સંશોધક (નં. ૩, અં. ૨, પૃ. ૨૨૯ ૨૪૦)માં પ સુખલાલજીએ ફરીથી ઉપાડયું હતું. થડા સમય ઉપર આ પ્રશ્ન સિદ્ધચક (વ. ૪, અં. ૮ પૃ. ૨ ૫)માં ચર્ચાય છે. વિશેષમાં આવશ્યકસુત્ર નિયુક્તિ તથા મલયગિરિસૂરિકૃત વિવૃત્તિ સહિત ત્રીજા For Private And Personal Use Only
SR No.521528
Book TitleJain Satyaprakash 1938 01 SrNo 30
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy