SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અ ૧] સષાદકીય વક્તવ્ય [૫] અમે લખેલા વિગતવાર પત્રને શ્રી ચુનિભાઇ તરફથી અમને આ પ્રમાણે ઉત્તર મળ્યા છેઃ – સારંગપુર, તળિયાની પાળ, અમદાવાદ, તા. ૧૨-૮-૩૭ શ્રી. રતિલાલ દીપચંદ દેશાઈ શ્રી જૈન સત્યપ્રકાશક કાર્યાલય, ઘીકાંટા, અમદાવાદ, સુજ્ઞ ભાઈશ્રી ~~ મારી ઐતિહાસિક નવલકથા જૈન અને જૈનસાધુને ખરાબ સ્વરૂપમાં પત્ર મને મળ્યા છે. તે બાબત ઉપર મારું માટે હું આપને આભારી છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ** રાજહત્યા ” માંના કેટલાક પ્રસગા આલેખે છે એવી મતલબવાળા આપતા ધ્યાન દોરવા અને મારા ખુલાસા માંગવા હું જન્મે સ્થાનકવાસી જૈન છું એ વાત મન કાઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતાનું મૂલ્ય અવલેાકવામાં ‘હું જૈન છું' એવું મમત્વ પણ મેં રાખ્યું નથી. સાચી છે; પણ એક જૈન તરીકે મારે નથી, અને ઇતિહાસને સાપેક્ષ ષ્ટિએ કદાચ એ મારી ઊનતા હાય કે મર્યાદા હોય. પરિશિષ્ટ ઉપરથી તમે જે કહેા છે કે ભાણુમતી અને વિમળ એ કલ્પિત પાત્રા છે, એ વાત સાચી છે, એ કલ્પિત જ છે, પણ તેમનું સર્જન કરવામાં મને તે કાળના ઐતાહાસિક ઉલ્લેખાએ ટકા આપ્યા છે. નવલકથા માટે કલ્પિત પાત્ર પણ જોઈએ જ, પણ તેની પાછળ વાતાવરણની ઐતિહાસિકતાનું પીઠબળ હાવું જોઈ એ; અને એવું પીબળ હોય તે! જે ઐતિહાસિક વાસ્તવિકતા આવી નવલકથામાં જોઈએ તેનું ખંડન થતું નથી. કાઈ પણ ધર્માંના બધા સાધુ–સતા સુસાધુએ કે સતિશરામિણ જ હોય છે, એમ હું માનતો નથી. એવી માન્યતા જ વાસ્તવિકતાની વિરેાધિની છે અને ઇતિહાસમાંના ઉલ્લેખા પણ એમ કહેતા નથી. મહારાજ કુમારપાળના કાળમાં પણ બધા સાધુએ પૂજ્ય કે સમાન્ય નહેાતા. તેમાં કેટલાક એવા પણ હતા કે જેમની પ્રત્યે સુશ્રાવકો તુચ્છતાથી જોતા, એ આપના ખ્યાલ બહાર નહિ હોય. સાધુ સ્વરૂપ ધારણ કરનાર પ્રત્યેકને સાધુ, પૂજ્ય કે સત્કર્મશીલ માનવાના અભિપ્રાયવાળા હું નથી. એ જ રીતે શ્રાવકો પણ એ પ્રકારના હોય છે, માનવપ્રકૃતિના અભ્યાસ તેના ટેકામાં છે. એટલે કાઈ કલ્પિત પાત્રાને ઉત્તમ પ્રકૃત્તિનાં અને કાઈ પાત્રાને ઉતરતી કાટીનાં-એવાં 'દ્દો એક નવલકથાને માટે સવાં એમાં મને કશે। અપરાધ નથી લાગતો, વાચા તેમને સમજતાં ઘટતા વિવેક વાપરી લે છે. જૈન સાધુએ કે શ્રાવકા ઉપર આક્ષેપ કરવાના મારા ઉદ્દેશ હાય જ નહિ. એવા ઉદ્દેશવાળી કલમથી ૫. રામચંદ્ર, મંત્રી આંબડ, યુવક પ્રતાપમલ અને જૈન પાત્રાનું સર્જન થઈ શકયુ નહાત. રાણી લીલૂ નેવાં રાત્રિને સમયે ૫. રામચંદ્ર પાલખીમાં એસી રાજમહેલમાં ગયા એ પ્રસંગ ઇતિહાસમાં નથી, પણ અજયપાળે એમને કરપીણ રીતે મારી નાખ્યા એ તે છે જ. તે રાત્રે કેમ ગયા, કેવી શુભ ભાવનાથી ગયા, શુભ ભાવના આગળ સાકલ્પ તેડવામાં તેમને કેમ દ્વેષ ન દેખાયા એ બધું તમને એ પ્રકરણ જ કહેશે શુભ ભાવનાવશ સાધુ રાત્રે ઉપાશ્રય બહાર નીકળે એવા નવા → જૂના દાખલા પણ મળે છે. For Private And Personal Use Only
SR No.521524
Book TitleJain_Satyaprakash 1937 08 SrNo 25
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages62
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy