SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સમ્રાટ્ અક્બરનો ધર્મ-મત Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુવાદક—મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી ભારતવર્ષ સમા અતિ વિશાળ સામ્રાજ્ય ઉપર સફળ રીતે શાસન ચલાવવાની સાથે સાથે જે જે રાજાઓ અને સમ્રાટોએ પેાતાના સમકાલીન ધર્મો ઉપર મથન કર્યુ છે અને સર્વ ધર્મો પ્રત્યે સમભાવ કેળવવાના સ્તુત્ય પ્રયાસ કર્યો છે, તેમાંના સમ્રાટ્ અક્બર પણ એક હતા. પરધર્મસહિષ્ણુતાના સુંદર સિઘ્ધાંતને અપનાવતા આ યુગમાં સમ્રાટ્ અક્બરના ધર્મ-મત સંબંધી લેખને અનુવાદ આપવા અસ્થાને નહિ ગણાય ! ← અનુવાદક અકબરને ધર્માંત તારવવેા તે ઘણું કઠીન કાર્યાં છે. અકારની ધાર્મિક માન્યતાએ અનેક પલટાએ લીધા છે. તે શરૂમાં કટ્ટર સૂત્રી મુસલમાન હતા, તેમજ શીયા મુસલમાન અને અમુસલમાનને ઘૃણાની નજરે જોતા હતા (ઈ. સ. ૧૫૭૬ સુધી ). ત્યારપછી તેને, સુધારક મુસલમાનરૂપે, ઇસ્લામ ધર્મીમાં સંદેહ થવા લાગ્યા ( ઈ.સ. ૧૫૭૬ થી ૧૫૮૨ ). અંતે તેણે શરિયત-સમ્મત ઇસ્લામ ધર્મને છોડી ભિન્ન ભિન્ન ધર્મનાં મૂળ તત્ત્વાને લઈ નવા ધર્મ સ્થાપ્યા અને તેના પ્રવર્તક તરીકે પેાતાને જાહેર કરી. (ઈ. સ. ૧૫૮૨ થી ૧૬૦૫). ઈસ્લામ પ્રત્યેનું પ્રારંભનું વર્તન : અકબર નાની વયમાં માતા હમીદા»ગમ, ધાઈમાતા માહત્મ્યનાગ તથા ફાઈ ગુલબદન બેગમને અનુસરતા હતા. અને તેમના જ આદર્શ તથા ઉપદેશમાં આકર્ષાઈ, સન્નીયાદ સમ્મત નિયમાને અનુસારે, ઈસ્લામ ધર્મ પાળતા હતા. તે દીલ્હી, અજમેર તથ મુસલમાન એલિયાનાં સમાધિ સ્થાનામાં યાત્રા કરવા જતા હતા. તે સેયિમચીસ્તી અને ખાજામનઊદ્દીનચીસ્તીના પ્રધાન ભક્ત હતા. પેાતાની માતા તથા ખીન્ન વિડલા હજ કરવા જાય તે તેમને તે બહુ જ સરસ સગવડ કરી આપતા. તેણે જાહેર પણ કર્યું હતું કે-હજ કરવા જનારને રાજ–ભંડારમાંથી દરેક રીતે મદદ આપવામાં આવશે. આ સગવડને લાભ ઘણાઓએ લીધા હતા. ધમ સબંધી વિચારણા : મનેામ'ન : ઈ. સ. ૧૫૭૬ પછી અકબરને ધર્માંમાં શંકા પડી અને ત્યારથી તે ધર્મવિચારણામાં અધિક સચિત બન્યા. ક્રમે ક્રમે તેને વહેમ વધતા ગયા. બદાઉની કહે છે કે — તે એકલા એકદમ સવારે નિ`ન સ્થાનમાં બેસી જીવનની અનેક રહસ્યમય વિચારણા કરતા હતા. તે જ સમયના લેખક નૂરલહકૂ કહે છે કે ; — સત્ય અનુસન્માન કરતાં, તેના હૃદયમાં તીવ્ર પિપાસા જાગી હતી. જૂગજૂની ગંભીર, રહસ્યમય વાણીથી ઉડતા “ સાચુ શું ! અને For Private And Personal Use Only
SR No.521523
Book TitleJain Satyaprakash 1937 07 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy