SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ ગુજરાતની જૈનાશ્રિત કળા શકે છે. પરંતુ હવે એવા સમય આવી લાગ્યા છે કે ભારતીય ચિત્રકળાના અભ્યાસીઓને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ, ૫૧૧ કળાની દૃષ્ટિએ આ કળાનું વિવેચન - કળા નિર્માણુની દૃષ્ટિથી ગુજરાતની જૈનાશ્રિત કળા એ નાનાં છબિ–ચિત્રાની કળા છે અને તે બહુ જ માતા વિષય છે. નાનાં બૌદ્ધ છબિચિત્રાના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઋતિહાસમાં સુંદર કળા નિર્માણુ અર્થે અગાઉના એક પણ દૃષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયાગ સારૂ ગુજરાતની જૈનાશ્રિત કળાને માન ઘટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ ગાંભીર્ કળા છે; તેમજ શારીરિક અવયવાનું યથા દિગ્દર્શન કરાવનારી આ કળા ઘણી જ સુંદર ચિત્રકળાની રચના સાફ પકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ખુબી રહેલી છે. થેાડાંએક ચિત્ર જો કે કઠાર અને ભાવશૂન્ય હાય તેમ લાગે છે, તેા પણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રતા રંગેાની પસંદગી તે ઘણા ઊંચા પ્રકારની છે. તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જો કે તેના વિષયા બહુ મર્યાદિત પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તેા કુદરતી દશ્યા પણ ચીતરેલાં મળી આવ્યાં છે. છે. ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂનાઓ મળી આવ્યા છે. કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાએામાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવણૅ મય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, શ્વેત તેમજ વિવિધ રંગેા બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જૈનાશ્રિત કળાનું જો કાઈ ખાસ મહત્ત્વનું લક્ષણ હોય તેા તે ખાસ શ।ભાયમાન ચિત્રોથી હસ્તપ્રત્તા શણગારવાનું હતું. ચળકતા સુવરંગી અને વિધવિધ રાતા રંગના સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખુખીમાં ગૌણ ન હતી, પણ તે તે તેના મુખ્ય પાયા હતા. વળી અલંકાર અને શારીરિક અવયવેાની દરેક ઝીણવટમાં માપ અને ચાક્કસ આકારનું જ્ઞાન ચિત્રકારની અલકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે, For Private And Personal Use Only યપિ ચિત્રકારે તેજ અને છાયાને ઉપયાગ ચિત્રને ઉઠાવવામાં બહાર પડતાં દેખાવામાં—કર્યો નથી, તેપણ એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં–લબાઈ ઊંચાઈ અને પહેાળાર્ધમાં—અવગાહતી મૂર્તિએ (plastic form)ને દોરવાને જરાયે પ્રયત્ન કર્યાં નથી. આ દેખાવ ભરાવદાર અંગો દેરીતે, વખતે દાઢી આદિ વળાંકને પ્રમાણ કરતાં વધારીને તેઓ કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હેાઈ એ તેવું બતાવતી વેળા તો કળાકાર અને આંખાને એવી રીતે દોરતા કે આપણને છમ્મી તદ્દન સપાટ જ લાગે. ચિત્ર ચીતરવાની રીત — ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રણે વિભાગ દરમ્યાનનાં ચિત્રા સામાન્ય રીતે મળતાં દેખાય છે; જો કે પ્રા તૈયાર કરવાના પ્રકાર જુદી જુદી રીતના દેખાય છે. મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિએ અલગ અલગ હોય તેમ લાગે છે. તાપણ કેટલાક દાખલાએમાં લખનાર અને ચીતરનાર એક પણ હેાય છે. આજે પણ વાવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રીજયસૂરીશ્વરજી પેાતાની જાતે જ પ્રતા લખે છે અને તેમાં ચિત્ર ચીતરે છે. અક્ષરા લખનાત્ર ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છે।ડી દેતા. આ વાત પ્રતેની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતના અક્ષર
SR No.521522
Book TitleJain Satyaprakash 1937 06 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy