________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મખલિપુત્ર ગોશાલ
લેખક–
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી
(ગતાંકથી ચાલુ) આનંદ દ્વારા ભગવાન મહાવીરને ભય બતાવો .
કોઈ દિવસ ગોશાળ હાલાહલા કુંભારણને ત્યાં ઉતર્યો હતો. તેણે ભગવાન મહાવીરના આનંદ નામક નિગ્રંથને જોયા. આનંદને પિતાની પાસે બોલાવી ગોશાળાએ કહ્યું : “જુઓ, તમારા ધર્માચાર્ય જ્ઞાતપુત્ર (મહાવીર) હવે મોટી ઉંમરના થયા છે. દેવ, મનુષ્ય અને અસુરોથી પૂજિત થયા છે. શ્રમણ ભગવાન મહાવીર ”
શ્રમણ ભગવાન મહાવીર' આવી તેમની પ્રસિદ્ધિ થઈ છે. ઠીક છે, આજે તેઓ જે મને કંઈ પણ કહેશે તો હું મારા તપતેજથી તેમને બાળીને ભસ્મ કરી દઈશ. તું જા, અને તારા ધર્માચાર્યને આ વાત કહે.”
આનંદે ભગવાન મહાવીરસ્વામીની પાસે જઈને ગોશાળાનું કથન નિવેદન કર્યું, અને પૂછયું : “શું ગોશાળા આવી રીતે અરિહંતને ભસ્મ કરવાનું સામર્થ રાખે છે?” ભગવાન મહાવીરે કહ્યું : “ગોશાળાની શક્તિથી અરિહંતની શક્તિ અનંતગુણી છે. હા, ગોશાળામાં ભસ્મ કરવાની શાક્ત છે, પણ તે અરિહંતોને નહિ. કેવળ તેમને તે દુઃખ ઉત્પન્ન કરી શકે છે.”
ભગવાન મહાવીરે તે વખતે આનંદને કહ્યું: “તમે જાઓ, અને ગૌતમાદિ નિગ્રંથને કહે કે ગે શાળા આવે ત્યારે તેની સાથે કોઈ પણ જાતનો વાર્તાલાપ ન કરે.” શૈશાળાનું ભ. મહાવીર પાસે આવવું અને સુનક્ષત્રસર્વાનુભૂતિને ભસ્મ કરવા
થોડા સમયમાં જ હાલાહલા કુંભારણને ત્યાંથી ગોશાળે ભ. મહાવીર સ્વામી પાસે આવ્યો અને કહેવા લાગ્યો : “હે આયુષ્યન્ કાશ્યપગોત્રીય ! “મંખલિપુત્ર ગોશાળક મારે ધર્મ-શિષ્ય છે,” એ જે તમે કહે છે, તે ઠીક છે, પરંતુ તમારા શિષ્ય ગૌશાળા તે મરીને કેાઈ દેવલોકમાં ઉત્પન્ન થયો છે. હું તે કૌડિન્યાયન ગોત્રીય ઉદાયી નામનો છું. મેં ગૌતમપુત્ર અર્જુનના શરીરનો ત્યાગ કરીને, મંખલિપુત્ર ગોશાલકના શરીરમાં પ્રવેશ કર્યો છે. મારે આ સાતમો શરીરન્દર પ્રવેશ છે.”
ગશાળાએ આમ કહીને પોતાના સિદ્ધાન્તની કેટલીક વાત કહી નાખી.
ભગવાન મહાવીરે કહ્યું: “તું તારા આત્મસ્વરૂપને શા માટે છુપાવે છે ? ગોશાલક, એમ ન કરવું જોઈએ. આમ કરવાને યોગ્ય તું નથી.”
ભ. મહાવીરના આ વચનથી ગોશાળાની ગરમીનો પારો વધી ગયો. તે ભગવાન મહાવીરનાં તિરસ્કાર અને અપમાન કરવા લાગે. અને બકવા લાગ્યો : “હું માનું છું કે તું હવે નષ્ટ થયો છે. હવે તારું અસ્તિત્વ નથી.”
કંઈ પણ કહ્યા વગર ભગવાન મહાવીર સ્વામી આ સહન કરતા રહ્યા. સહન કરવામાં તેઓ સમર્થ હતા. પરંતુ સર્વાનુભૂતિ નામના અણગારથી પિતાના ગુરુદેવનું
For Private And Personal Use Only