________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાગણ
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૩૧)૨૧ સમર ૨૨૨૬ 8 માસ વેણી સુ લ મારવી................ / સં. ૧૨૨૬ના વૈશાખ સુદ ૫ ને દિવસે,... ...
(૩ર) રર
संवत् १९२१ वर्षे मा० सु० ७ गुरो (रौ) श्रीमत् (द् ) विजयाणंदसूरी(रि)गच्छे । प्राग्वाट ज्ञा० वृ० । म । बर । सा । राइंगजी दोलाजी ।
सं० १९२१ ना जेष्ट (8) सुद (दि) ५ पोरवालज्ञाति सा राइंगजी होलाजी વઘ (તેન) ધર્માર્થે જાજિ(ઋારિ) તૂ I
' શ્રીમાન વિઆણંદસૂરિગ૭ (આણુસૂર શાખા)ની આમ્નાયવાળા, બરલુટ નિવાસી, પિરવાડોની વૃદ્ધ શાખાના (વિશાપોરવાડ) શાહ રાઈગળ દોલાજીએ પોતાના કલ્યાણ માટે ધાતુની આ નાની એકલ મૂર્તિ, સં. ૧૯૨૧ના માઘ શુદિ ને ગુરુવારે પ્રતિષ્ઠિત કરાવી છે, અને એ મૂર્તિને પધરાવવા માટે તેમણે જ પિત્તળની નાની પાટલી, સં. ૧૯૨૧ના જેઠ શુદિ ૫ ને દિવસે કરાવી છે.
પાંચ નવી મૂર્તિઓમાંથી એક પર સં. ૧૯૫૧ નો અને ચાર પર સં. ૧૯૫૫ ના લેખ છે. ધાતુની એકલમૂર્તિ એક છે. તેના પર સં. ૧૯૨૧નો લેખ છે.
ગામમાં જૂના ઉપાશ્રય બે છે. તે ઉપરાંત શ્રીમાન શેઠ કપૂરચંદજી કસ્તુરચંદજીએ બંધાવેલી એક મોટી ધર્મશાળા છે, તેમાં સાધુ સાધ્વીઓને ઉતરવાની વધારે અનુકૂળતા છે. ગામમાં તડ નથી, સંપ સારો છે. શ્રાવકે ભક્તિવાળા છે. ગયો ચોમાસામાં શ્રી વીર જૈન કન્યાશાળા અને શ્રી વીરધર્મ જૈન પુસ્તકાલયની સ્થાપના થઈ છે.
દંતકથા છે કે – અહીં એક બળદ તથા એક ઊંટ એક જગ્યાએ વખતોવખત સાથે બેસતા અને અરસપરસ બહુ પ્રેમ રાખતા, તેથી તે જગ્યાએ તે બન્નેના નામથી બલદૂઠ” નામનું ગામ વસાવવામાં આવ્યું હતું.
૨૧. મૂ. ના. શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીચેની, અસ્થિર આરસની શ્રી અજિતનાથદેવની મૂર્તિની બેઠક પર આ લેખ છે. આમાં સંવત ૧૨૨૬ ને લેખ હોય તેમ વંચાય છે, પરંતુ લેખની ભાષા પરથી ૧૭ કે ૧૮ મી શતાબ્દીને આ લેખ હોવાનું સંભવે છે. લેખને પાછળનો ભાગ ઘસાઈ ગયેલ હોવાથી વાંચી શકાયો નથી.
૨૨. નં ૩૨ વાળા લેખ, ધાતુની નાની એ કલ મૂર્તિની બેઠક પર, અને નં. ૩૩ વાળ લેખ, પિત્તળની નાની પાટલી પર ખોદેલે છે.
આ બન્ને લેખો, વિશમી શતાબ્દીના હોવા છતાં, બરલુટ'ના શ્રાવક, શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મ. ને પટ્ટધર શ્રી વિજયસેનસૂરિજીને પટ્ટધર શ્રી વિજયતિલકસૂરિજીના પટ્ટધર શ્રી વિજયાણંદસૂરિજીના આમ્નાયવાળા હતા. – અને છે, એ વાતનું એએને વિસ્મરણ ન થાય એટલા માટે અહીં આપવામાં આવ્યા છે,
For Private And Personal Use Only