________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
દિગંબરેની ઉત્પત્તિ છીએ.” પણ આમ બોલતાં પિતે તો ચાપત છેષના ભોગ બની ગયા તેનું તેમને ધ્યાન ન રહ્યું. તેઓ જેને પિતાનાં શાસ્ત્રો માને છે તેમાં જ ઠેકાણે ઠેકાણે લખેલ પ્રભુ-પ્રતિમાની પખાલ, પૂજા આદિની વિધિને શું તેઓ નથી કરતા ?
જિનક૯પ અને સ્થવિરકલ્પ:
આ પ્રસંગે એ જાણવું જરૂરી છે કે–જિનકલ્પ આદિને અંગીકાર કરનારા પણ બધાય અચેલક જ હતા એ નિયમ હતો. કેટલાક લેકે ભકિક જીવને ઉલટું સમજાવવા માટે કહે છે કે તાંબરને પંથ તે સ્થવિરકલ્પિાને માર્ગ અને દિગંબરેન પંથ તે જિનપિયાને માર્ગ. પણ તત્ત્વદષ્ટિએ વિચાર કરતાં કહેવું પડે છે કે આ કથન બીલકુલ સત્યથી વેગળું છે. તાંબરમાં સ્થવિરકલ્પ અને જિનલ્પ એમ બન્ને પ્રકારના કલ્પો છે. અને દિગંબરોમાં તે ન તે સ્થવિરક૯૫ મળે છે કે ન તે જિનકલ્પ મળે છે. ચલપટ્ટ આદિ ઉપકરણે નહી રાખવાના લીધે તેઓ
વિકલ્પની મર્યાદાને સ્વીકારતા નથી એ તે સુસ્પષ્ટ છે, પણ સાથે સાથે જિનકલ્પની મર્યાદા પણ તેઓમાં નથી મળતી. પ્રથમ તે જિનકલ્પની કઈ પણ મર્યાદા એવી નથી કે જે સંયમ-પાલનના સહાયક રજોહરણ અને મુહપત્તિ રાખવાનો ઈન્કાર કરતી હોય. વળી સામાન્ય બુદ્ધિવાળો માણસ પણ સમજી શકે એમ છે “કલ્પ” શબ્દની આગળ લગાડવામાં આવેલ “જિન” શબ્દથી એ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે કે બીજે પણ કઈ કપ હેવો જોઈએ. અને તે બીજે કલ્પ તે સ્થવિરક૯૫. આ પ્રમાણે કલ્પના બે ભેદ પાડવામાં આવ્યા છે, એથી સ્પષ્ટ થાય છે કે જિનકલ્પને આચાર ઉત્કૃષ્ટ હોવો જોઈએ જ્યારે સ્થવિરકલ્પને આચાર એટલે બધે ઉત્કૃષ્ટ ન હોઈ શકે; અને તેથી સ્થવિરક૯૫માં તૈયાર થયેલ જ જિનક૫નું પાલન કરી શકે. એટલે આ પ્રમાણે જે સ્થવિરક્તપને માનતે હોય તે જ જિનકલ્પને માની શકે. સ્થવિરક૯૫ની અવગણના કરીને જિનકલ્પથી આરાધના ન થઈ શકે! છેલ્લી પરીક્ષા પાસ કરવા ચાહનારે પહેલી બધી પરીક્ષા પાસ કરવી જોઈએ એ સાવ સાદી સમજમાં ઉતરી શકે એવી વાત છે. બીજા પગથીએ ચડવા સિવાય સાતમા પગથિયે કોઈ પહોંચવાને દા કરે ખરું?
વળી શાસ્ત્રોના પ્રતિપાદન પ્રમાણે તે આ દિગંબર સંપ્રદાયની ઉત્પત્તિના પાંચ સૈકાઓ પહેલાંથી જિનકલ્પને વિચ્છેદ થઈ ગયો હતે. શાસ્ત્રમાં
For Private And Personal Use Only