SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ શ્રી જન સત્ય પ્રકાશ કરેલી ભગવાનના બળ અને નિર્ભીકતાની પ્રશંસા સાંભળીને તેની પરીક્ષા કરવાના ઉદ્દેશથી એક દેવ ત્યાં આવી પહોંચે છે અને રમત કરતાં છોકરાઓને બીવરાવવા માટે મોટા સપનું રૂપ ધારણ કરી ઝાડની આસપાસ વીંટાઈ જાય છે. સર્પને જોઈને બધા બાળકો આમતેમ દોડી જાય છે. પરંતુ વર્ધમાન કુમાર જરા પણ ડર્યા વગર સપને હાથથી પકડીને દૂર ફેંકી દે છે. છોકરાઓ ફરીને ભેગા થઈને રમવાનું શરુ કરે છે. તે દેવ પણ બાળકનું રૂપ લઈને તેઓની સાથે રમવા લાગે છે. રમતની શરત એ કરવામાં આવે છે કે જે બાળક હારે તે જીતનાર છોકરાને પોતાના ખંભા ઉપર બેસાડે. થોડી જ વારમાં બાળક બનેલ તે દેવ વર્ધમાન કુમારથી પોતાની હાર કબુલ કરે છે અને તેમને પોતાના ખંભા ઉપર બેસાડે છે. તરત જ તે દેવ, વર્ધમાન કુમારને બીવરાવવા માટે, સાતતાડ જેવડું રૂપ ધારણ કરે છે. પરંતુ આ વખતે પણ વર્ધમાન કુમાર લેશ પણ ડર્યા વગર પિતાની મુઠ્ઠીના પ્રહારથી તે દેવનું અભિમાન તોડી નાખે છે. - વર્ધમાન કુમારનું આ બળ જોઈ દેવને ખાત્રી થાય છે, તે માફી માગે છે અને ત્યારથી તેમને વીરનું નામ આપવામાં આવે છે. મથુરામાં મળેલ પત્થર ઉપર દેલાં ચિ: જૈનશાસ્ત્ર પ્રમાણે આપણે ઉપરના બન્ને પ્રસંગોનું વર્ણન જોયું. આ ઘટનાઓ સત્ય હોવાની શ્રદ્ધા આજથી બે હજાર વર્ષ પહેલાંના લોકોના હૃદયમાં સચોટ રીતે હતી જેની સાક્ષી બે હજાર વર્ષથી પણ પહેલાંના કાળમાં પત્થર ઉપર કોતરલ એ ઘટનાએનાં ચિત્ર ઉપરથી મળે છે. આવા, પત્થર ઉપર બેઠેલા, કેટલાય જૈન ઐતિહાસિક કથાઓના પ્રસંગે મથુરાના કંકાલીટીલાના ખોદકામમાંથી મળી આવ્યા છે. એમાં આ બે ઘટનાઓનાં ચિત્રોનો પણ સમાવેશ થાય છે, પ્રાચીન કાળમાં મથુરા એ ઉત્તરા ષથની એક વિરાટ જૈનપુરી હતી, જે સંબંધી વિસ્તૃત એતિહાસિક ઉલ્લેખ પ્રાકૃત તીર્થકલ્પમાં મળે છે. આ નગરમાં ૫૦૦ જિન મંદિરે હતાં. અહીં ચૌરાશી નામનું એક જિનમંદિર હતું. રાશી આગની વાચના આ જ નગરમાં થઈ હતી. અહીં જૈનેની બહુ મોટી વસતી હતી. મુસલમાનોના શાસનકાળમાં આ નગરીનું પતન થયું. ક્રમે કરી જિનમંદિર ભુશાયી થઈ ગયાં અને જમીનમાં દટાઈ ગયાં. આજે મથુરામાં અનેક ટેકરાઓ નજરે પડે છે. કંકાલીટીલે પણ એમાંનું એક છે અને એમાંથી ઘણું જૈન સ્થાપત્ય મળી આવ્યું છે. આ બધી વસ્તુઓમાંની કેટલીક લખનૌના કેસર બાગમાં છે અને કેટલીક મથુરાના મ્યુઝિયમમાં છે. આ બન્ને પ્રસંગનાં ચિત્રોવાળા પત્થરે પણ ત્યાંથી મળી આવ્યા છે. ગર્ભાપહરણનું ચિત્રઃ એમને ગર્ભાપહરણના ચિત્રવાળો પત્થર લખનૌમાં છે જ્યારે આમલકી કીડાના પ્રસંગનું ચિત્ર મથુરામાં છે. ગર્ભાપરહણના ચિત્રની લંબાઈ લગભગ ૨૪ કુટની છે. એ પત્થરને જમણી બાજુને છેડે ભાગ ટુટી ગયો છે. આ ચિત્રમાં નૈમેષ (હરિણમેષી) દેવનું ચિત્ર આપેલું છે. તેનું મોટું ઉચું અને હરણના જેવું બતાવ્યું છે. બન્ને હાથ મેળવીને એમાં ભગવાનને ધારણ કરેલ છે. પાસે જ ત્રિશલારાણી For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy