________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાવીરસ્વામી પાસે દીક્ષિત થનારા
થોડાક અનગારોને પરિચય લેખક–મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી.
ભગવતીસૂત્ર એ અતિ માનનીય, પ્રામાણિક અને પંચમાંગ તરીકે પ્રસિદ્ધ સૂત્ર છે. ભગવતીસૂત્રનું બીજું નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ” છે. હજારો વિોથી ભરેલે જ્ઞાનનો આ મહાસાગર છે. જીવ, અજીવ, સ્વર્ગ, નરક, પરમાણુ, અને યાવત્ ન્હાનામાં ન્હાની અને મોટામાં મોટી બાબતને ઘણી જ સૂક્ષ્મ દૃષ્ટિએ, આ ભગવતી સૂત્રમાં વિચાર કરેલ છે. કોઈ વૈજ્ઞાની આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ ભગવતી સૂત્રને અભ્યાસ કરે, તે, જે વખતે, કઈ પણ જાતના યંત્રોને આવિષ્કાર થયું ન હતું, તે વખતે – એટલે આજથી અઢી હજાર વર્ષ ઉપરના સમયે ભગવાન્ મહાવીરસ્વામીએ પ્રકાશિત કરેલી એ બાબતને જોતાં, ભગવાન મહાવીરસ્વામીના અતીબિયજ્ઞાન – કેવળજ્ઞાન માટે દઢ શ્રદ્ધા થયા વિના રહી શકે નહિ. ભગવતીસૂત્રના એ છત્રીસ હજાર પ્રશ્નોમાં, ન કેવળ એવી સૂમ પદાર્થ–-વિજ્ઞાનની જ બાબતો છે, કે ભગવાન મહાવીરસ્વામીએ, રૂઢીવાદને તેડવા માટે પણ પ્રચંડ ઉપદેશ–પ્રવાહ વહેતો મૂકેલ છે, યજ્ઞ-યાગાદિ ક્રિયાઓ, ધર્મને નામે થતી હિંસા, અને એવી અનેક બાબતેવાળી જડ ક્રિયાએ હામે પ્રચંડ વિરોધ કર્યો હતે, ભગવાનના વિરોધમાં એક વસ્તુ ખાસ હતી, અને તે એ કે ભગવાને ગમે તે ભક્તવ્યને પ્રતિવાદ કર્યો છે. તે પ્રતિપાદક શૈલીથી જ કર્યો છે. આક્ષેપક શિલીને જ્યારે પણ પ્રયોગ કર્યો નથી. ગૌતમસ્વામીએ કે ગમે તેણે જ્યારે જ્યારે જે જે પ્રશ્નો પૂછ્યા, એને ઉત્તર કોઈને પણ ઉપર આક્ષેપ કર્યા સિવાય પ્રતિપાદક શૈલીથી આવ્યો છે. ભગવાનના પ્રવચનની આ એક ખૂબી છે. અસ્તુ.
આવી રીતે હજારે વિષથી પરિપૂર્ણ ભગવતીસૂત્ર છે. ભગવતીસૂત્રમાં જેમ ઉપર કહેવામાં આવ્યું -- અનેક પદાર્થનું સ્વરૂપ પ્રકાશમાં આવ્યું છે, એવી રીતે કેટલીક એતિહાસિક વ્યક્તિઓ પણ દર્શન દે છે. આ વ્યક્તિઓમાં ભગવાનના કેટલાક શિષ્ય અને શિષ્યાભાસોને ઉલ્લેખ પણ આવે છે. યદ્યપિ ભગવાનને તે ગણધાદિ હજાર શિષ્ય હતા, પરંતુ આ લેખમાં તે, ગણુધરેથી અતિરિક્ત જે થોડાક શિષ્યોને ઉલ્લેખ ભગવતી સૂત્રમાં જોવાય છે, તેને જ પરિચય માત્ર કરાવવાને ઉદ્દેશ રાખ્યો છે, કે જેઓ વિશેષ પ્રસિદ્ધ નહિ હેવા છતાં ઐતિહાસિક કહી શકાય.
For Private And Personal Use Only