________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદુપકારી વર્ધમાન અને હાલક
૨૫૩ રહે છે તેમ રહેશે, અને પરિણામે તારો આત્મા અનર્થના કૂપમાં પડશે, માટે ધર્મરૂપ નાવને ગ્રહણ કરી સંસાર-સાગર તરી જા. ! ઉ૫દેશની અસર અને ભાવના :
ગૌતમ ગણધરની સુધા સમાન શાંત વાણી સાંભળીને, દાવાનલથી દૂધ વૃક્ષ અમૃતના સિંચનથી જેમ વિકાસને પામે છે તેમ, તે હાલિકના હદયમાં અનેરી શાંતિ વ્યાપી રહી અને તેને તે નિકારણ ઉપકારક ગુરુ પ્રતિ અસાધારણ પ્રીતિ પ્રગટી. તેના હૃદયમાં કેટલાક વિચારો ગુંથાઈ રહ્યા હતા તેમને એ ગૌતમ પ્રભુને કહેવા લાગે ઃ “હે મહાત્મન, હું શું કરું ? મારે દુઃખને પાર જ નથી ! જે આવી મહેનત અને પાપ ન કરું તે મારું અને મારા કૌટુંબિકાનું પિષણ કેમ થાય? અહીંથી નજીકના ગામમાં હું વસું છું. વિપત્તિની વેલડી જ ન હોય તેમ મારે સાત પુત્રિઓ છે. હું જન્મથી જ નિર્ધન છું, જાતને બ્રાહ્મણ છું. વળી મારી પત્ની પણ વનની અગ્નિ સમાન છે, જેથી હું પ્રતિક્ષણ દગ્ધ જ રહું છું. આવી દશામાં હે જગદુદ્ધારક ! હું શું કરું? આવા દુઃખથી ઘેરાયેલ કયું પાપ ન કરે? આવા પ્રકારના દુઃખના ડુંગર નીચે હું કચરાઈ ગયો છું! મુંજાઈ ગયો છું ! આ સંસર્ગોમાં મને સુખનો લવ પણ અનુભવમાં તે દૂર રહે સ્પષ્નામાંય આવો દુઃશક્ય છે! પરંતુ આજે આપશ્રીનાં પુનિત દર્શનથી મને શાંતિનો લાભ થયો છે. હું નિર્ણય કરું છું કે, હવે પછી આપ જ મારા બંધુ, પિતા, અને માતા સમાન છે. આપશ્રી જેમ આદેશ કરશે તેમ આ આપને તાબેદાર સેવક માનશે, અને કરશે ! એક પણ આપની આજ્ઞાને, વચનને, અને આદેશને અન્યથા નહિ જ કરે !'
મહાપુરુષનું દર્શન અને તેમને થોડે પણ ઉપદેશ કેટલા અસાધારણ લાભનું કારણ બને છે, તેનું આ એક સરસ દૃષ્ટાંત છે. ગૌતમસ્વામીનાં દર્શન અને ઉપદેશથી હાલિકનું હૃદય પીગળ્યું. તેને સંસારની અસારતાનું ભાન થવા લાગ્યું. વેષાર્પણ:
હાલિકના હૃદયની આ ઉત્તમ ભાવના જોઈને દયાનીધિ ગૌતમસ્વામીએ તેને સાધુવેષ આપ્યો. અને સંસારને અંચળો ઉતારી હાલિક ગુરુ ગૌતમની સાથે ચાલી નીકળ્યો ! ચાલતાં ચાલતાં હાલિકે ગૌતમસ્વામીને પૂછ્યું; “હે પ્રભો, આપશ્રી હવે ક્યાં પધારો છો?” “ જ્યાં મારા ગુરુ મહારાજ બિરાજે છે ત્યાં,” ગુરુ ગૌતમે જવાબ આપ્યો.. પ્રભુના ગુણનું વર્ણન:
હાલકના હૃદયમાં ફરી પ્રશ્ન ઉદ્ભવ્યું અને તેણે ગૌતમસ્વામીને પૂછયું “આ૫ જેવા પૂજ્યના પણ પૂજ્ય કેવા છે?”
પ્રફુલ્લિત વદને, ઉપકારની બુદ્ધિથી અહમ્ પ્રભુના ગુણોનું વર્ણન કરતાં ગૌતમસ્વામીએ જણાવ્યું, “જ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રમુખ અનંત આત્મગુણોથી તે મંડિત છે. જ્યારે તે પ્રભુ સમવસરણમાં સ્થિત હોય છે, ત્યારે તેઓના મસ્તક ઉપર અતીવ ઉજજવલ છત્રત્રય, બને બાજૂ વિશદ ચામરો અને વિહાર સમયે નવસ્વર્ણ કમલે અનુક્રમથી દેવયોગે ચરણાધિસ્થત થાય છે. વિહાર સમયે તેઓની આગળ અધર્મને નિમૂલ કરતું ધર્ણચક્ર ચાલે છે. પ્રભુના યશને દશે દિશામાં વિસ્તારતો ન હોય તે ઊંચા ઈદ્રધ્વજ સાથમાં ચાલે છે. તેઓની વાણુ યોજન-ગામિની અને માલકેશના મનહર
For Private And Personal Use Only