SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org k શ્રી જૈન સત્ય પ્રકાશ આશ્વિન પ્રસ્તુત પહેલા ઉલ્લેખમાં માન્યવર ધ્રુવ સાહેબ આપણી સામે એક કલ્પના રજી કરે છે કે ' વસતવિલાસમાં કડીએ કડીએ જે જીવનના ઉલ્લાસ ઉભરાઈ આવે છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલા વિરાગી નહિ પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારા રાગી પુરુષ હશે.' તેઓશ્રીની આ કલ્પનાના સ્વીકાર કરતાં પહેલાં આપણે ઉપલબ્ધ જૈન સાહિત્ય કૃતિએમાં જૈન ત્યાગીએએ આવી ઋતનાં શ્રૃંગારિક કાવ્યાની રચના કરેલી મળી આવે છે કે નહિ તે તપાસી લઈ એ. ૧. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલાં પ્રાચીન જૈન કથાનકાના ગ્રંથામાં શૃંગારરસનું અદ્ભુત વર્ણન કરેલું મળી આવે છે, તે તે સુવિદિત છે. ૨. સાળમાં સૈકામાં થએલા વાચક કુશલલામે ઢાલા મારવણીની કથા ' સંવત્ ૧૬૧૭ ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારના રાજ અને માધવાનલ કામ ડલા ચોપાઈ રાસ”ની રચના રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર રચી છે. આ અને કૃતિમાં શૃંગારરસની જમાવટ કાઈ અદ્રિતીય પ્રકારની છે. ૩, સંવત ૧૬૧૪ માં શ્રીજયવંતરિએ સતી શીલવતીના ચરિત્રરૂપે ( અભિનવ ) શૃંગારમંજરી એ નામની છટાદાર શૃંગારિક કૃતિ રચી છે. ૪. સંવત્ ૧૬૩૯ માં કવિ અહ્વણની સાર્ગે ચેાપાઈની રચના કરી છે. પંચાશિકા નામની પ્રેમકથા વર્ણવવા Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૫. ઉપર્યુક્ત બધી ચે કૃતિને ટપી જાય એવી કાકશાસ્ત્ર (કૈંક ચઉપઈ)ની રચના નદાચાર્ય' નામના જૈન તિએ (સાધુપણામાંથી પતિત થયા પછી તિપણામાં) કરી છે. પ્રસ્તુત નાંધા ઉપરાંત આગળ કહેવામાં આવશે તે અનુસાર જામાં આ કાવ્યની ખ્યાતિ પણ વધારે હોવાથી તેને કર્તા જૈન જ હાય તેમાં કશું અસંભિવત નથી; એટલે દી. ખ. ધ્રુવ સાહેબ તથા શ્રીયુત મહેતાની કલ્પના અસ્થાને હેય એવું સ્પષ્ટ ભાસે છે. જેમ કુશલલાભ વાચકે રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર ‘ માધવાનલ કામકું ડલા ચોપાઈ-રાસ' તથા ‘ટોલા મારવણીની કથા ' રચી, તેમજ, સંભવે છે કે ‘વસંતવિલાસ ’ કાવ્યના લેખક આચાય રત્નાગરે પણ આ કૃતિની રચના ચંદ્રપાલની વિનતિથી સંસ્કૃત-પ્રાકૃત કાવ્યાના આધાર લઈને પ્રાચીન ગુજરાતી ભાષામાં કરી હાય; કારણકે ‘ આદિનાથ જન્માભિષેક' નામની એક નાની કૃતિ કે જેતે જ સમયના વિદ્યમાન કવિ‘દેપાલ ભોજક ’ વિરચિત સ્નાત્રપૂ^ સાથે મિશ્રિત થઈ ગએલી છે, તેના ઉપરથી આચાર્ય. રત્નાગરમાં કવિત્વ શક્તિ હતી તેમ પુરવાર થાય છે. . · માન્યવર દી. બ. ધ્રુવ સાહેબની બીજી કલ્પના એ છે કે તેણે ( તેના રચનારે ) તેને પ્રાચીન જૈન કવિઓની માફ્ક ‘કગ્ગુ' સંજ્ઞા આપી નથી. ’ ૧ન્તુ ‘આનદ કાચ મહાદૃદ્ધિ' મોક્તિક છ મું. ૨ ગાયકવાડ ઓરીએન્ટલ સીરીઝ, ન', છ મે, કગ્ગુ' સંજ્ઞા આપવાની આવશ્યકતા જેવું અહીં તેને જણાયું નહિ હાય, કારણ કે આ કાવ્યમાં વસંતૠતુની અંદર નાયક—નાયિકાના વિલાસનું વર્ણન મુખ્ય ભાગ ભજવે છે. અને કવિ બાલચંદ્ર વિરચિત વસંતવિલાસ'ર નામની કૃતિ તેની સન્મુખ હાવાથી For Private And Personal Use Only
SR No.521515
Book TitleJain Satyaprakash 1936 10 SrNo 15
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy