________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૨ વસંતવિલાસ
૧૧૫ કકડે દી. બ કેશવલાલ ધ્રુવે છપાવ્યું હતું. ત્યારપછી બીજી એક પ્રત ડેક્કન કોલેજના સરકારી સંગ્રહમાંથી વર્ષવારના એકલા કાવ્યની તેઓએ પાછળથી મેળવી, અને તેના આધારે ઈ. સ. ૧૯૨૨ માં “હાજી મહમદ-સ્મારક-ગ્રંથમાં પાના ૧૮૭ થી ૧૮૮ માં કેટલાક કે અર્થ સાથે પ્રસિદ્ધ કર્યા. આ પટનાં ચિત્રોની ગુજરાતની કળા” તરીકે સૌથી પ્રથમ શ્રીયુત રવિશંકર રાવળે તે જ લેખની સંપાદકીય નોંધમાં ઓળખાણ કરાવી. વળી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી ઈસ. ૧૯૨૭ માં પ્રસિદ્ધ કરવામાં આવેલા “પ્રાચીન ગુર્જર કાવ્ય” નામના ગ્રંથમાં પાના ૧૫ થી ૨૩ માં બીજી પ્રત મેળવીને શુદ્ધ કરી તૈયાર કરેલા ૮૬ કે મૂળ પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રસ્તુત ગ્રંથના પરિશિષ્ટમાં વત્તવિઝાના ચિત્રપટમાં ઉતારેલા સંસ્કૃત-પ્રાકૃત શ્લોકે પાન ૧૪પ થી ૧૫૮માં તેઓએ પ્રસિદ્ધ કર્યા.
પ્રવે સાહેબને આ ચિત્રપટ તથા તેઓને પ્રસ્તુત લેખને મુખ્ય આધાર લઈને શ્રી નાનાલાલ સી. મહેતાએ આ ટીપણાની ચિત્રકળા ઉપર એક લેખ પહેલવહેલ અંગ્રેજી ભાષામાં Rupam સૈમાસિકના ઈ. સ. ૧૯૨૫ના અંક ૨૨ અને ૨૩ ના પાના ૬૧ થી ૬૫ સુધીમાં પ્રસિદ્ધ કર્યો. ત્યારપછી બીજે લેખ The Studies in Indian painting 11461 2941 Ollom 2379Hi Seculor Painting in GujaratXVth Century નામને પાના ૧૫ થી ૨૮ માં લખે; અને ત્રીજે વિસ્તૃત લેખ Gujarati Painting in the Fifteenth Century Hall India Society તરફથી ઈ. સ. ૧૯૩૧માં પ્રસિદ્ધ થએલા પુસ્તકમાં લખ્યો અને એ રીતે આ જન ચિત્રપટનાં ચિની ઓળખાણ જગતને કરાવી.
પ્રસ્તુત લેખમાં આ બંને વિદ્વાન મહાશો તરફથી આ ચિત્ર ચીતરાવનારને તથા તેના કાવ્યના કર્તાને તે જૈન હોવા છતાં, જૈનેતર સાબિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યું છે, જે નીચે પ્રમાણે છે:
૧ “આ શુંગારી કાવ્યને કર્તા અંધારપછેડો ઓઢી અગોચર રહ્યો છે, તેથી તેની નિતભાત વિષે કલ્પના કરવી જોખમભરેલી છે; તથાપિ વર્તાવિત્રાણ કાવ્યમાં કહીએ છીએ જે જીવનને ઉલ્લાસ ઉભરાઈ જાય છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલો વિરાગી નહિ, પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારે રાગી પુરુષ હશે. વસંતના વર્ણનનું કાવ્ય હોવા છતાં તેણે તેને ફગ્મ સંજ્ઞા આપી નથી; ત્યમ વળી સમગ્ર કાવ્યમાં કોઈ પણ્ સ્થળે જૈનધર્મનો સુવાસ ફૂરતો નથી. તેથી એ જૈનેતર એટલે વેદિક કવિ હોય. પ્રસ્તુત કાવ્યની ચોત્રીસમી કડીની છાયા પંડિત કવિ રત્નેશ્વરનાં દ્વાદશ માસમાં દૃષ્ટિ ખેંચે છે.”
3. 'Men and Women decorated the ears with Karna-Phool ( large circular ear-rings) and both put Vaishnavite symbols on the forhead.
અર્થાત-પુરુષ અને સ્ત્રીઓએ કર્ણફૂલથી કાનને શણગારેલાં છે અને બંનેના કપાળ ઉપર વૈષ્ણવતાનું ચિહ (જોવામાં આવે) છે. ૧ “પ્રાચીન ગુર્જર કાવ્યની પ્રસ્તાવના, પા. ૧૪-૧૫. "The Studies in Indian Painting' p. 20
For Private And Personal Use Only