________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
------
--* *
* બૂમ
*
.* * *
-~
~
૧૯૯૨ મેવાડની પંચતીર્થી
૩૦૫ બીજી વિશેષતા એ છે કે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ એવી રીતે બિરાજમાન કરવામાં આવી છે કે તેની હામેના એક છિદ્રમાંથી પૌષસુદિ ૧૦ ના દિવસે સૂર્યનાં કિરણો બરાબર પ્રતિમાના ઉપર પડતાં હતાં. પાછળથી જીર્ણોદ્ધાર કરાવતાં હામેની દીવાલ ઉંચી થઈ ગઈ અને તેથી હવે તે પ્રમાણે કિરણો પડતાં નથી !
આ તીર્થ પહેલાં વધારે પ્રસિદ્ધ ન્હોતું, પરંતુ સ્વર્ગસ્થ શેઠ લલ્લુભાઈ, કે જેમણે મેવાડનાં મંદિરના જીર્ણોદ્ધારની પાછળ પિતાની જીંદગી પૂરી કરી, તે અમર આત્માએ આ તીર્થમાં સુધારો વધારો કરાવ્યું, અને તીર્થને પ્રસિદ્ધ કર્યું. અત્યારે આ તીર્થને વહિવટ ઉદયપુરના જૈનેની એક કમીટી હસ્તક ચાલી રહ્યો છે. અને આ તીર્થના મેનેજર તરીકે શ્રીયુત કનકમલજી કામ કરી રહ્યા છે. કનકમલજી પરમ શ્રદ્ધાળુ અને મૂર્તિપૂજક હાઈ પુરેપુરી લાગણીથી તીર્થની વ્યવસ્થા કરી રહ્યા છે. કનકમલજીની લાગણીના કારણે આ તીર્થનું કામ ઘણું વધી રહ્યું છે, એટલું જ નહીં પરંતુ મેવાડનાં બીજાં મંદિરો માટે પણ તેઓ પિતાથી બનતી મહેતત કરે છે. આવા લાગણીવાળા શ્રદ્ધાળુ મેનેજરે દરેક તીર્થમાં હોય તો કેવું સારું?
૩ નાગદા–અદબદજી ઉદયપુરથી લગભગ ૧૩-૧૪ માઇલ ઉત્તરમાં હિંદુઓના એકલિંગજી તીર્થની પાસે લસભગ એક માઈલ દૂર પહાડોની વચમાં અદબદજીનું તીર્થ છે. આ સ્થાને એક સમયે એક મોટી નગરી હતી, જેનું નામ નાગદા હતું. સંસ્કૃત શિલાલેખો વિગેરેમાં એનું નામ નાગધ્રહ અથવા નાગહંદ આપવામાં આવ્યું છે. પહેલાં આ નગર મોટું, સમૃદ્ધિશાળી શહેર હતું, અને મેવાડના રાજાઓની રાજધાની હતું. વળી
આ સ્થાન જેનતીર્થ તરીકે પણ મશદર હતું. લગભગ એક માઈલના વિસ્તારમાં અનેક હિન્દુ જ મંદિરનાં ખંડેર દષ્ટિગોચર થાય છે. અહિં એક શ્રી શાંતિનાથજીનું મંદિર અત્યારે પણ વિદ્યમાન છે. શાંતિનાથ ભગવાનની બેઠેલી મૂર્તિ લગભગ ૯, ફટની ઘણી મનોહર છે. તેના ઉપરના લેખનો સારાંશ એ છે કે – સંવત ૧૪૯૪ ના માધ સુદિ ૧૧ ગુરુવારે મેદપાટદેશમાં, દેવકુલપાટક (દેલવાડા) નગરમાં, માકેલના પુત્ર મહારાણા કુંભાના રાજ્યમાં, ઓસવાલ વંશીય, નવલખા ગોત્રીય સા. સારંગે પિતે પેદા કરેલી લક્ષ્મીને સાર્થક કરવાના હેતુથી “જિમમમુર્ત' એવી શાંતિનાથની મૂર્તિ પરિકર સાથે કરાવી, અને ખરતરગચ્છીય શ્રી જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.”
- શ્રી શાંતિનાથ ભગવાનની મૂતિ ઉપરના ઉપયુક્ત ભાવવાલા શિલાલેખમાં બિંબનું “અદભુત ' વિશેષણ આપવામાં આવ્યું છે, તે કારણથી અને વસ્તુતઃ મૂર્તિ બેઠેલી લગભગ ૯ ફૂટની વિશાળ હોવાથી આ તીર્ચ અદબદજી તરીકે ઓળખાયું અને અત્યારે પણ ઓળખાય છે. - શ્રી શાંતિનાથ ભગવાનના આ મંદિરની પાસે જ એક વિશાળ મંદિર તૂટીફૂટી અવસ્થામાં પડ્યું છે. આમાં એક પણ મૂર્તિ નથી.–સંભવ છે કે-આ જીણું શીર્ણ મંદિર કઈ સમયે પાર્શ્વનાથ યા નમીનાથનું મંદિર છે. કારણ કે જૂની તીર્થ
For Private And Personal Use Only