SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ શ્રી જૈન સત્ય પ્રકાશ આ કહેલું છે; બૃહસ્પતિએ સ્ત્રીઓને વિશ્વાસ ન કરવા એમ કહ્યું છે તથા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદુતા (કામળ સ્વભાવ) રાખવી. આ Àાક સાંભળીને રાજાએ ખુદ્ધ થઈ ઘણું દાન આપ્યું. ત્યારે તે કવિવરાએ રાજાને પૂછ્યું કે તમારા પરિવાર અમારી પ્રશંસા કેમ કરતા નથી? એ સાંભળી રાજાએ ભગવતી નામની વેશ્યાને કહ્યું કે તું કવિજનાના વખાણ કર! ત્યારે તે ખેાલી કે આચાર્યશ્રી પાદલિપ્ત વિના હું ખીજા કોઈની સ્તુતિ કરતી નથી, કારણ કે—પૂજ્ય તે જ સૂરિજી મહારાજ આકાશ માર્ગે ચાલવાને સમર્થ છે, વિદ્યાર્થાસદ્ધ છે, અને મક્રિયાયુક્ત છે. એવામાં સધિ વિગ્રહુ કરાવનાર મહાઅભિમાની અને પાલિસસૂરિજીની પ્રશંસાને સહન નહિ કરનાર શંકર નામના એક રાજપુરુષ કહેવા લાગ્યા કે જેના પ્રભાવથી મરેલે જીવતા થાય, તેના પ્રકટ પાંડિત્યને અમે માનીએ છીએ. બાકી શુક પશ્ચિએસની માફક આકાશમાં ગમન કરનારા ઘણા વિદ્વાના નજરે પડે છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે એ કલા પણ આચાર્યશ્રીમાં જરુર સભવે છે, કારણ કે—કચન કામિનીના ત્યાગી, નિઃસ્પૃહ શિરામણ પરમ પૂજ્ય જૈન મહિષા દૈવિક શક્તિને હઠાવી દે તેવી શક્તિના ધારક અને લબ્ધિ સિદ્ધિ પ્રભાવવાળા હાય છે આ કૌતુક જોવાને માટે જ રાજા સાતવાહને કૃષ્ણરાજાને પૂછાવીને પૂછ્ય શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજને માનખેટ+ નગરથી ખેલાવ્યા. અટલે તે જૈનાચાય આવી મ્હારના બગીચામાં ઉતર્યાં. આ બીના પંડિત બૃહસ્પતિએ જાણી, આચાર્યની પરીક્ષા કરવાને વિચાર કર્યાં. તેણે ચાલાક પુરુષને ઓગળેલા ઘીથી ભરેલી કટારી આપીને આચાર્યની પૂસે માકલ્યા. તેણે આવીને કટારી સૂરિજીની પાસે મૂકી. ત્યારે ગુરુએ ધારિણી વિદ્યાના અાથી તેમાં સેાય ભરાવીને ઉભા રાખી દઈને તે જ કટારી તેની મારફતે માલાવી તે જોઇને પંડિત બૃહસ્પતિ ઘણા જ ખેદ પામ્યા. પછી રાજાએ સામા આવીને ગુરુમહારાજના પ્રવેશ મહેાત્સવ (સામૈયું) કર્યાં. અને ત્યાં નિર્દોષ સ્થલે સૂરિજીએ ઉતારા કર્યાં. અહીં રાજાની સમક્ષ તરંગલેલા નામની નવી કથાને કહેનાર એક પાંચાલ નામે વિ હતા. રાજાદિએ કરેલ શ્રીગુરુમહારાજનું' અપૂર્વ સન્માન જોઇને તેને ભારે અદેખાઈ આવી. સૂજીએ તેની કથાના વખાણ કર્યા નહિ. પણ તેમાં - દૂષણું કાઢયું અને સ્પષ્ટ કહી દીધું કે મારા મનાવેલા ગ્રંથેામાંથી અખિ’દુઆની ચારી કરીને તે પાંચાલે કથા નહિ, પણુ કથા ગેદડી) ખનાવી છે. કારણ કે એનું વચન હંમેશા, બલકે ને, ગેાવાલીઆએને અને + નિજામ રાજ્યમાં હાલ માનખેડ નામથી પ્રસિદ્ધ છે. For Private And Personal Use Only
SR No.521507
Book TitleJain Satyaprakash 1936 01 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy