SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રભાવશાલી પુરુષાદાનીય શ્રી સ્તંભ ને પા ના થા લેખક–ઉપાધ્યાય શ્રી પદ્યવિજયજી ગણી (ગતાંકથી ચાલુ) હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા હતા, કે જે ચક્રવતિ જેવો અને ગુણવત હતું. બીજી બાજુ, શ્રી કાલિકાચાર્યને ભાણેજ અને યશસ્વિ એ બલમીત્ર નામે રાજા ભરુચમાં રાજ્ય કરતો હતે. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરો ઘાલ્યા, તેમાં બહાર રહેતાં બાર વરસ નીકળી ગયા, છતાં તે રાજા નગર લઈ શકે નહીં. અને ઘણું ટાઈમે પણ તે કિલ્લે લે અશકય જાણી તે કંટા. આ પ્રસંગે નાગાર્જુને તે (સાતવાહન) ના મુખ્યમંત્રિને જણાવ્યું કે ભેદના પ્રગથી કિલે જસ કરવાની યુક્તિ બતાવીશ, માટે મને નગરમાં એકલો. ત્યારે મંત્રિએ એ વાત કબુલ કરી. અને નાગાર્જુન સિન્યમાંથી અલગ થઈ ભાગવતને વેષ પહેરી નગરમાં દાખલ થયો. ત્યાં રાજમંદિરમાં જઈ તેણે રાજાને કહ્યું કે હે રાજન! જીર્ણ દેવમંદિરોનો ઉદ્ધાર કરાવતાં અને સત્કાર પૂર્વક મહા દાન આપતાં પુષ્કલ પુણ્ય પેદા કરી શકાય છે. તેથી આ વર્તમાન સંકટ દૂર થશે. એટલે દુર્ગધથી કંટાળેલા રાજાએ નાગાર્જુનનું વચન સત્ય માનીને તે પ્રમાણે કરવા માંડ્યું. કારણ કે આપત્તિકાલે ધર્મોપદેશ કાર્ય સાધનાર થાય છે. પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગળા સહિત યંત્ર રચાવ્યાં અને ધર્મસ્થાને ભાંગવા માંડયાં. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં રાજા બલમિત્રને સર્વ ભંડાર ખાલી થઈ ગયું. પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતવાહન રાજાએ કિલ્લે કબજે કરી, બલમિત્રનો નિગ્રહ કરી સ્વનગર તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે સાતવાહન રાજા પિતાનું રાજ્ય ચલાવતો હતો, તેવામાં એક વખત રાજમહેલના દરવાજાની પાસે શાસ્ત્રસંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા. એટલે પ્રતિહારે રાજાને પૂછી અંદર જવા રજા આપી. રાજાની પાસે આવી આ પ્રમાણે એક કલેક બેલ્યા કે – जीर्णे भोजनमात्रेयः, कपिलः पाणिनां दया। बृहस्पतिरविश्वासः, पांचालः सीषु मार्दवम् ॥ १॥ અર્થ–આત્રેય ઋષિએ ખાધેલું અનાજ પચ્યા પછી નવું ભોજન કરવું એમ કહેવું છે; કપિલ ત્રિષિએ સર્વ ની ઉપર દયા ભાવ રાખવે, એમ For Private And Personal Use Only
SR No.521507
Book TitleJain Satyaprakash 1936 01 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy