SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ સ્કંદિલાચા, ૨૪ સકળ સંઘને મેળવી, જિનભદ્રગણી ૨પક્ષમાશ્રમણજીએ આગમને અનુગ-વાચના કરી હતી. અહિંયાં દેવનિર્મિત સ્થભમાં પાસખમણ એનું રટન કરતા. તેમના કુટુંબીઓ બૌદ્ધ ધર્મના ઉપાસક હતા. તેમના સંબંધીઓએ ગુરૂ પાસે આવી કહ્યું કે તમારા ધર્મમાં ધ્યાન નથી. ત્યારે ગુરૂ બોલ્યા કે અમારા ધર્મમાં જેવું ધ્યાને છે તેવું બીજે નથી. ધ્યાનથી તે આ તમારો પુષ્પમિત્ર દુર્બળ રહે છે. - પછી તેમના સંબંધીઓ બોલ્યા કે તમારે ત્યાં મિષ્ટ સુંદર આહાર નહિ મળતા હોય એટલે દુર્બળ રહેતા હશે. પછી ગુરૂ-આજ્ઞાથી પરીક્ષા કરવા ઘેર લઈ ગયા. પરંતુ શાસ્ત્રાભ્યાસના પ્રતાપે ગમે તેવો અને ગમે તેટલે પિષ્ટિક આહાર આપવા છતાંય બધું ભસ્મ થઈ જતું અને સ્નિગ્ધ આહાર મળવા છતાંય તે દુર્બળ–કૃશ રહેવા લાગ્યા. પછી તેમને અભ્યાસ કરતાં અટકાવ્યા અને સ્નીગ્ધ આહાર આપવા માંડે, જેથી પહેલાંના જેવા પુષ્ટ દેખાવા લાગ્યા એટલે તેમના સ્વજનોને પ્રતીતિ થઈ કે ધ્યાન–શાસ્ત્રાભ્યાસથી જ તેમનું શરીર કૃશ રહે છે. પછી બધાને પ્રતિબધી દુર્બલિકા પુષ્પમિત્ર ગુરૂ પાસે આવ્યા. આ ત્રણે મહાલબ્ધિસંપન્ન મહામુનિઓ શ્રીઆર્યરક્ષિતસૂરિજીના સમયમાં જ થયા છે. આર્યતસૂરિને સમય વીરનિર્વાણુ સંવત પર ૨–થી–૫૯૭ છે એટલે આ મુનિમહાત્માઓને પણ એજ સમય છે. - તેમાં દુર્બલ પુષ્પમિત્ર શ્રી આર્ય રક્ષિતસૂરિ પછી તેમના પટ્ટધર આચાર્ય થયા અને પુષ્પમિત્રસૂરિ તરીકે ખ્યાતિ પામ્યા ( વિશેષ માટે પ્રભાવક ચરિત્ર જૂઓ ) ૨૪ ઔદિલાચાર્યજી શરૂઆતમાં સ્કંદિલાસા મથુરામાં અને શ્રીનાગાર્જુનસૂરિજીએ વલભીપુર માં (વળામાં) શ્રમણ સમેલન મેળવી જેનાગમને પુસ્તકારૂઢ કર્યા હતાં. આ પ્રસંગ વીરનિર્વાણની નવમી સદીના પૂર્વાર્ધામાં બન્યો હતો આ માટે કલિકાલસર્વજ્ઞ આચાર્યવર્ય શ્રી હેમચંદ્રાચાર્યજી પોતાના યોગશાસ્ત્રમાં આ પ્રમાણે લખે છે. जिनवचनं च दुष्षमकालवशादुच्छिन्नप्रायमिति मत्वा भगवद्भिर्नागार्जुनस्कादलाचार्य प्रभृतिभिः पुस्तकेषु न्यस्तम् દુષમકાલના પ્રભાવથી જિનવચન—જિનાગમને વિછિન્નપામાં જઈને આચાર્ય શ્રી નાગાર્જુન અને રકંદિલાચાર્ય વગેરેએ જિનાગમને પુસ્તકારૂઢ કર્યું. ” (ગશાસ્ત્ર પ્રકા# ૩. . ૧૨. પૃ. ૨૦૭ ) ર૫ જિનભણિ ક્ષમાશ્રમણ આ આચાર્યનું વિશેષ વૃત્તાંત કથાવલીમાં મળે છે. વિ. સં. ૬૪૫ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા છે એટલે સાતમી સદીના ધુરંધર આચાર્ય તેઓ છે. તેમની કેટલીક For Private And Personal Use Only
SR No.521506
Book TitleJain Satyaprakash 1935 12 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1935
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy