________________
૨૯૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૭-૧૮ Sછે. પ્રશ્ન હંમેશાં ધર્મની આરાધના કરવાનું શ્રેષ્ઠ છે એ વાત કબુલ છે, પણ આઠમ છે
5 આદિ તિથિયોએ આરાધના કેમ? » સમાધાન : જે હંમેશાં ધર્મની આરાધના થાય છે તે નિરાલંબનપણે હોય છે,
અને તેથી તે શ્રેષ્ઠ જ છે, પરંતુ જેઓ તેમ ન કરી શકે તેઓને અંગ આદિ આગમો આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવાસ્યા એમ ચાર પર્વ અને છ તિથિની આરાધના કરવાની આવશ્યકતા છે એમ વિધિવાદે જણાવે છે અને અંગાદિઆગમોમાં શ્રાવકોના વર્ણનની વખતે ચૌદશ-આઠમઅમાવાસ્યા અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પૌષધ કરવાનો અધિકાર જણાવે છે, જો કે તે તે શ્રાવકો કે જેઓનાં વર્ણનો અંગાદિ આગમ ગ્રંથોમાં છે તેઓ પર્યુષણ અને સંવછરી જેવા પર્વોમાં પોષધ કરતા નહોતા એમ 6 નહિ, પરંતુ દરેક મહિનાના નિત્યાનુષ્ઠાન તરીકે માત્ર ચૌદશ આદિ ચાર RSS પર્વ અને છ તિથિના પૌષધોની કર્તવ્યતા તેમને માટે જણાવી છે. એટલે AM વર્તમાનકાળમાં પણ શાસનને અનુસરનારા તથા શાસ્ત્રોને માનનારા મહાનુભાવ શ્રાવકો આઠમ-ચૌદશ આદિની આરાધના નિયમિત કરે તે યોગ્ય છે જ છે. આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરીજી પણ શ્રીયોગશાસ્ત્રમાં 66 ચતુષ્કર્થી એ શ્લોક કહીને આઠમ આદિની આરાધના નિયમિતપણે જ કરવાનું જણાવે છે. શ્રીશ્રાદ્ધદિનકૃત્યસૂત્રકાર પણ છë તિહીન, એમ કહી છે એજ વાત જણાવે છે. વળી લવણસમુદ્રની શિખા પણ દરેક માસની અપેક્ષાએ ચૌદશ, અમાવાસ્યા અને પૂનમે વધતી કહેવાય છે, તેથી અખાતી જ વગેરેનીW અનિયમિત વૃદ્ધિને નથી ગણતા એમ નથી, વળી મધ્યગ્રહણથી આદ્યત્તનું ગ્રહણ ગણીને પર્વ અને માસના મધ્યે અષ્ટમી, પૂર્ણિમા કે અમાવાસ્યા :
લઈ પદ્ધી તરીકે ચૌદશને લેવામાં નવાઈ શી છે? પ્રશ્ન : ચૌદશ વગેરે તિથિઓ એવી રીતે પૌષધને માટે શ્રમણોપાસકધર્મને અંગે
શાસ્ત્ર વચનોથી નિયત થાય, પરંતુ બીજ, પાંચમ, અગીયારસનું આરાધન
શા માટે છે? sી સમાધાન : શાસ્ત્રકારો બીજ - પાંચમ વગેરેને અંગે બે પ્રકારના ધર્મ, પાંચ પ્રકારનું
જ્ઞાન અને અગીયાર અંગનું આરાધન કરવા માટે બીજ આદિ તિથિઓનું છે આરાધન જણાવે છે અને આલંબનવાળી ઇંદ્રિયજય આદિ તપસ્યા, જેમew શાસ્ત્રકારો ગુણ કરનાર જણાવે છે, તેમ ધર્મના ભેદ આદિના આલંબને છે.) તપસ્યા થાય તે ભવ્ય જીવોને ઉચિત જ છે, એટલું જ નહિ, પરંતુ એ શS. તપસ્યા પણ મોક્ષને દેનારી જ છે એ વાત શ્રીહરિભદ્રસૂરીજી પંચાશકજીમાં “ શે.
S