SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ છે. છે. ૧૯૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ હજીવોની વિરાધનાની સંભાવનાએ રહિતપણે થાય એમ માને છે. અથવા શું નદી નાળામાં , હર ઉતરતા સાધુઓના શરીરે પાણી આદિકના જીવોની વિરાધના નથી જ થતી એમ માને હક છે? અને જો તે તેરાપંથીઓ વિહારમાં અને નદી નાળાં ઉતરવામાં એકેન્દ્રિયાદિ જીવોની વિરાધનાનો પ્રસંગ અને નિશ્ચય માને જ છે તો પછી તે વિરાધના કરવાને તૈયાર * કેમ થાય છે અને તેમાં શાસ્ત્રાશા કેમ માને છે? કદાચ કહેવામાં આવે કે જો વિહાર કરવામાં ન આવે તો નિત્યવાસ થવાથી અનેક પ્રકારની વિરાધનાઓ થાય અને સંજમને ૨ બાધા પહોંચે માટે તે સંયમની બાધા કરવાવાળી વિરાધનાને વર્જવા માટે વિહારની સંભવિત વિરાધના અને નદીનાળાની નિશ્ચિત વિરાધના કરવાનું સાધુઓને પણ ફરજીયાત કાર થાય છે. તો પછી સ્પષ્ટપણે તેઓએ કબુલ કરવું જોઇએ કે અધિકવિરાધનાને વર્જવા છે માટે અલ્પવિરાધનાનો પ્રસંગ અગર અલ્પવિરાધનાની કર્તવ્યતા સાધુઓને પણ છે અને ભગવાન જિનેશ્વર દેવોએ પણ તેને આચાર તરીકે જ ગણાવેલી છે. આ વાત વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે અજ્ઞાની જીવોને ભરમાવવા માટે માર્ગથી પતિત વિક થયેલા લોકો જે એમ બોલે છે કે હિંસાના પ્રસંગમાં અને હિંસાના કર્તવ્યમાં ભગવાન છે * જિનેશ્વર મહારાજની આશા હોય જ નહિં અગર સાધુઓનો આચાર રહે જ નહિં. કે એ કેવલ તે માર્ગભ્રષ્ટોનો બકવાદ જ છે. ખરી રીતે તો ભગવાન જિનેશ્વર મહારાજનો પર માર્ગ સ્યાદ્વાદરૂપ છે, પરંતુ એકાન્તરૂપ નથી, અને તેથી જ અધિકજીવોની વિરાધના છે અને અધિક સંયમ વિરાધના વર્જવા માટે અલ્પજીવોની વિરાધના અને અલ્પ સંયમની વિરાધનાને અપરિહાર્ય તરીકે જણાવે છે. એટલું જ નહિ, પરંતુ તેના પ્રસંગને આચાર હી તરીકે જણાવે છે, અને તેમાં આશ્ચર્ય જ નથી. શું તેરાપંથી સાધુઓ એમ કહી શકે છે, છે તેમ છે કે ભગવાન જિનેશ્વર મહારાજાઓએ સાધુઓને માસિકલ્યાદિ મર્યાદાએ વિહાર કે કરવાની આજ્ઞા કરી નથી અથવા નદીનાળાં આદિ ઉતરવાનું જણાવ્યું નથી. શાસ્ત્રોમાં અનેકસ્થાને સાધુ મહાત્માઓને વિહાર કરવાની આજ્ઞા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી છે કે અને નદીનાળાં વિગેરે ઉતરવાની આજ્ઞા તથા વિધિ પણ જણાવેલાં જ છે. એટલે શાસ્ત્રને આ અનુસરનારાઓને તો એમ માન્યા સિવાય છુટકો જ નથી કે બહુ વિરાધના વર્જવા છેર માટે અલ્પવિરાધનાના સંભવવાળો કે અલ્પ વિરાધનાના નિશ્ચયવાળો માર્ગ પણ આચરવો છે રે છે તે ભગવાન જિનેશ્વર મહારાજાની આજ્ઞારૂપ છે. એટલું જ નહિં, પરંતુ તે સંયમના છે અર્થીઓને અવશ્ય કર્તવ્યરૂપ છે. જીવના બચાવ સારું ક્રિયા બીજ બાજુ છવસ્થની હ, કોઈપણ ક્રિયા અધિકરણ અને પ્રદ્વેષ વગરની હોય એમ બનતું નથી અને શાસ્ત્રકારોએ હક માન્યું પણ નથી. એટલે છઘસ્થાએ કરાતી ધર્મદેશના, પડિલેહણ પડિક્કમણું, ગુરૂવંદન હીર *
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy