SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ માત્ર પોતાના જીવનને નિભાવવાની દરકારવાળા હોય છે અને તેથી તેઓના જીવો એ છે ૩ જ મુદ્રાલેખ હોય છે. આ પછી બીજો વર્ગ કે જે ખેડૂત વિગેરે લોકજાતો તેમજ અન્ય સ્ટ દર્શનને અનુસરનારાઓનો હોય છે કે જેઓ પોતાના જીવનની રક્ષાને માટે પણ કટિબદ્ધ હોય છે અને તેની સાથે જ બીજા જીવોના જીવનની રક્ષા માટે પણ કટિબદ્ધ હોય છે. જા આવી એ લોકોની દ્રષ્ટિ હોવાથી જ તેઓ પોતાના જીવનના નિર્વાહ માટે અનેક પ્રકારના ર8 કિપાપોનું આચરણ કરે છે અને તે થાય તેમાં તેઓને પાપ લાગવાનો ડર પણ લાગતો નથી, એટલું જ નહિ, પરંતુ પોતાના જીવનના નિભાવ માટે કરાતાં પાપને પણ પાપ કહેવા છતાં જ તે કરવાને ફરજ તરીકે માને છે, અને તેવી જ રીતે બીજાઓના જીવનને નિભાવવા માટે પણ અનેક પ્રકારનાં પાપો આચરે, છતાં પોતે જીવન દાન દીધું છે એમ ગણી ફરજ બજાવી છે એમ માને છે, આ બન્ને ઉપર જણાવેલા લૌકિક વર્ગો કરતાં જૈન ધર્મ કે જે લોકોત્તરમાર્ગ પર શિરે છે તેની સન્મુખ થયેલો મનુષ્ય એનાથી એવી વિશેષ સ્થિતિમાં આવે છે કે જીવો અને જીવવા દ્યો અર્થાત્ જેવી રીતે જગતની અંદર તમને પોતાના પ્રાણને ધારણ કરવારૂપ એટલે જ જીવન નિર્વાહ કરવા રૂપ હક્ક ગણો છો, તેવી જ રીતે જગતમાં રહેલા પૃથ્વીકાય આદિ છ એ પ્રકારના જીવોને પણ જીવવાનો એટલે જીવન ધારણ કરવાનો હક્ક છે. અર્થાત્ Eા કોઇપણ વ્યક્તિ પોતાના જીવનના નિર્વાહ કે રક્ષણ માટે પણ બીજાના જીવન ઉપર ત્રાપ આ3 સમારે તો તે ભયંકર પાપ જ છે. એટલે અન્ય જીવોના જીવનનો નાશ કરીને પોતાના જીવનની નિભાવ કરવો અગર જીવનને ટકાવવું એ કોઇપણ પ્રકારે જીવનની કિંમત સમજનારને હું આ માટે તો ન્યાયયુક્ત ગણાય જ નહિં. લોકોત્તરમાર્ગમાં આ વર્ગ કરતાં પણ ચઢતો બીજો ૪ જ વર્ગ એવો હોય છે કે જે એવી માન્યતા ધરાવે છે. “જેવી રીતે જીવો તેવી રીતે જ જીવવા દ્યો” અર્થાત્ દરેક પ્રાણી પોતાના જીવનને નિભાવવા કે બચાવવા માટે હંમેશાં તૈયાર રહે છે અને તેને માટે દરેક જાતના ભોગો આપે છે. અર્થાત્ તે દ્વારાએ પોતાના હક જીવનની જેવી રીતે કિમત કરે છે, તેવી જ રીતે બીજાના જીવનની પણ કિમત કરે છે. અને તેથી જ પૃથ્વીકાયઆદિ છએ પ્રકારના જીવનને ધારણ કરનારા પ્રાણીઓમાંથી કોઈપણ પ્રાણીના પ્રાણને દુઃખ નુકસાન કે પલ્ટો થવાનો વખત લાવવાને માટે તે તૈયાર થતો નથી, છે એવી રીતનો એ વર્ગ હોવાથી તેને “જેવું જીવો તેવું જીવવા ઘો' એ રીતનો વર્ગ ગણ્યો છે દિ છે. આ ચોથા વર્ગ કરતાં પણ લોકોત્તરમાર્ગમાં જે પાંચમો વર્ગ છે તે એવી ધારણાવાળો હોય કે પોતાના જીવનના ભોગે પણ બીજાને જીવવા દ્યો. અર્થાત્ આ વર્ગ બીજાના ક જીવનના નાશની વખતે ઉપર જણાવેલા વર્ગની માફક ડેખાતા હૃદયવાળો જ માત્ર હોય છે એટલે ખાતા હૃદયે પણ બીજાના જીવનનો નાશ સહન કરે તેવો હોતો નથી. આ વર્ગ જ તો પોતાના જીવનના ભોગે પણ અન્ય જીવોના જીવનનો બચાવ કરવા માટે તૈયાર રહે કા છે. એટલે કહેવું જોઇએ કે આ વર્ગ તે જ કોટિનો છે કે જીવનના ભોગે પણ અન્યને જીવવા દ્યો એવી ધારણાવાળો છે. ઉપર જણાવેલા જીવન સંબંધી પાંચ વર્ગને વિચારનારો
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy