SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦૦૦ ૧૫૪ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ (ટાઈટલના ત્રીજા પાનાથી ચાલુ) છે અને તેથી જ વ્યવહારમાં પણ ચેતનારૂપ જ લક્ષણ રાખવામાં આવ્યું છે. એટલે કોઇપણ ૩ કાળે કોઇપણ અવસ્થામાં કોઈ પણ જીવ આ ચેતનારૂપી જીવજીવનથી રહિત તો હોય જ ક્ષ નહિં, આવી રીતે જીવજીવનનો વિચાર કર્યા પછી તે જીવજીવન તાત્વિક દ્રષ્ટિઓના લક્ષ્યમાં વિશેષે રહેતું હોવાથી તેને આધારે વ્યવહારની પ્રવૃત્તિ નથી થતી, પરંતુ જે બીજા પ્રકારનું શા જીવન કે જેને આપણે જડ જીવન તરીકે ઉપર ઓળખાવ્યું છે તેને આધારે જ વ્યવહારની પ્રવૃત્તિ તો શું પણ દર્શનોની મુખ્ય પ્રવૃત્તિઓ પણ રહેલી છે. ઉપર જણાવેલા ઇંદ્રિય - બલ - શ્વાસોશ્વાસ અને આયુષ્યરૂપી પ્રાણોને ધારણ કરનારાને વશ જ જીવ તરીકે ઓળખવામાં આવે છે અને એ ઇંદ્રિય વગેરે ચારે વસ્તુઓ જડ એટલે પૌદ્ગલિક એક જ પદાર્થોને આધારે જ રહેલી છે. અને તેથી જ તે પ્રાણોને જડજીવન તરીકે જણાવવામાં આવ્યું છે આ જડજીવન કેવલ સંસારમાં રહેલા પ્રાણીઓને જ હોય છે, પરંતુ મુક્તદશા પામેલા પ્રાણીઓને અંશે પણ પૌદ્ગલિક સંબંધ ન હોવાથી એ જડજીવન હોતું નથી. આ વસ્તુ બારીકપણે વિચારવામાં આવશે તો જૈનશાસ્ત્રકારોએ પહેલા મહાવ્રતની આ અંદર જીવહિંસાની વિરતિ કરવી એ વિષય ન રાખતાં પ્રાણના અતિપાતથી વિરતિ કરવી જ એ વિષય કેમ રાખ્યો છે? તે પણ સ્પષ્ટ જણાશે. ધ્યાન રાખવું કે અહિં પ્રાણી પણ વ્યાવહારિક જ જ લેવામાં આવ્યા છે અને તેથી પ્રાણાતિપાતના વિષયમાં દ્રવ્યો તરીકે છે જીવનિકાય એટલે જ આપૃથ્વી આદિ છ પ્રકારના જીવો જ લેવામાં આવ્યા છે. આ વ્યાવહારિક જીવન જેને આગળ જતું શિશ્ન જડજીવન ગણાવવામાં આવ્યું છે તેને અંગે જ જગતમાં દર્શનોની ઉત્તમતા કે અધમતા તુ ગણવા તરફ બુદ્ધિમાનોનું દોરાવાનું વિશેષે થાય છે, તેથી તેને અંગે જુદા જુદા દર્શનોની પણ આ માન્યતા જણાવવા સાથે જૈન દર્શનની પણ ક્રમિક માન્યતા જણાવવાની જરૂર છે. વ્યાવહારિક જીવનના સંબંધમાં દર્શનોમાં નીચે પ્રમાણે પાંચ વર્ગો પાડી શકાય - ૧ જીવો ૨ જીવો જ અને જીવાડો ૩ જીવો અને જીવવા દો ૪ જેવું જીવો તેવું જીવવા દ્યો જીવનના ભોગે ? પણ જીવવા ઘો. જ ઉપર જણાવેલા પાંચ વર્ગોમાં પહેલો નાસ્તિકવર્ગ છે. કેમ કે તે એમ માને છે કે સ્ત્ર . यावजीवेत् सुखं जीवेद, ऋणं कृत्वा धृतं पिबेत् भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कुतः॥१॥ જ ઉપર પ્રમાણે નાસ્તિકોની માન્યતા છે કે જયાં સુધી જીવી શકો ત્યાં સુધી મોજથી જીવો. અર્થાત્ હિંસા - જુઠ - ચોરી વિગેરે કોઇથી થતા પાપની પણ દરકાર કર્યા વિના પોતાના આ જીવનને નિભાવવું અને તેને મોજમાં રાખવું. તે એટલે સુધી કે પોતાની પાસે જીવનનાં ? * સાધનો અને તેવાં સુખથી જીવવા લાયક સાધનો ન હોય તો દેવું કરીને પણ વૃતનું પાના કરી જીવનનિર્વાહ સુખમય બનાવવો અને દીર્થસ્થાયી બનાવવું. કારણ કે તે શરીર જીવનરહિત ૪ થવાથી ભસ્મીભૂત થવાથી ફરીથી મળવાનું નથી. આ વિચારોને ધારણ કરનારાઓ અન્ય જી રાજીવોના જીવનની દરકાર રાખનારા કે કોઈપણ જાતના પાપથી ડરવાવાળા હોતા નથી, પરંતુ
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy