SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ ID પ્રશ્ન - ૬: શાસ્ત્રકારો સ્થાને સ્થાને અરિહંત મહારાજને અર્થના પ્રતિપાદનમાં IS છે કાંઈ પણ પ્રયોજન નથી એમ જણાવી તરત જ તીર્થંકર નામકર્મને ભોગવવાનું છે પ્રયોજન તેમાં બતાવે છે તો એ વાકયો પરસ્પર વિરોધવાળાં કેમ ન ગણાય? ) સમાધાન - પ્રયોગ અને હેત એ વાકયને સમજનારો મનુષ્ય એ વ્યાખ્યામાં // અંશે પણ વિરોધ માનશે નહિં કારણ કે ફલની અપેક્ષાએ ધર્મદેશનાથી ભગવાન અરિહંતોને કાંઈ પણ સાધ્ય સાધવાનું નથી. કેમકે તેઓ કૃતાર્થ થઈને જ દેશના દે છે. માટે ફલરૂપ પ્રયોજનથી રહિતપણું છે અને હેતુરૂપ પ્રયોજનની અપેક્ષાએ તીર્થંકર નામ કર્મનો ઉદય છે. તેથી જ દેશના દે છે. આ પ્રશ્ન- ૭ : તીર્થકર નામકર્મને ભોગવવા ભગવાન દેશના દે છે તો તો તીર્થંકર નામ-કર્મ તોડવાનું પ્રયોજન દેશનામાં એમ કેમ કહેવાય નહિં? સમાધાન - લુગડાનો મેલ કાપવા જેમ સાબુ ઘલાય અને કપડા સાફ કરતાં તે મેલ નીકળી જાય અને તેની સાથે સાબુ પણ નીકળી જાય, છતાં મેલ ધોવાની મહેનત કહેવાય છે પણ સાબુને ધોવાની મહેનત કહેવાતી નથી, છે છે, કારણ કે મેલ કાઢવા જ સાબુ લગાડયો હતો. તેવી રીતે અહિં પણ ભવ્યજીવોને તારવા તીર્થ થાપવા જ તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું તેથી તે છે જો કે દેશનાારા ભોગવવાથી તૂટે તો પણ તેથી તે ફલ કહેવાય નહિં. આ અને પ્રશ્ન ૮ : સમ્યગુદર્શનાદિ ત્રણ તત્વો, દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રણ રત્નો, અથવા જઈ અરિહંતાદિક નવ પદો, એ મોક્ષનાં કારણો છે એટલે નિર્જરાના કારણો છે છે, તો પછી તેની આરાધનારૂપ વિશસ્થાનકથી તીર્થકર નામકર્મનો વધ : કે આશ્રવ કેમ થાય? સમાધાન - જે જીવ પોતાના આત્મકલ્યાણની દ્રષ્ટિએ સમ્યગદર્શનાદિનું આરાધન કરે છે તે આરાધનાથી મોક્ષ મેળવે, પણ જે જીવ જગતના આત્માના કલ્યાણને માટે તેની આરાધનામાં પ્રવૃત્તિ કરે તે જીવ તીર્થંકર નામકર્મનો બન્ધ પણ તેથી જ કરે. GWS પ્રશ્ન - ૯ શ્રી જિન નામકર્મ બાંધનારો જીવ તે જિનનામ નિકાચિત કરવાના જ આ ભવમાં મોક્ષે કેમ ન જાય? ST) સમાધાન - જિન નામકર્મના બન્ધનો તેવો સ્વભાવ છે કે જેથી ત્રણ ભવ બાકી છે રહે અને તે બંધાય. N *
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy