________________
૧૧૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ રામચંદ્રસૂરી શ્વેતાંબર જૈન મંદિર
- પુના સિટી તાર મળ્યો. તમારી ટપાલ અનામત રહેશે, જે મૌખિક શાસ્ત્રાર્થથી અપ્રામાણિકપણે ખસનાર અને વળી પોતાનું કામ બીજાને ભળાવનારની સાથે પત્રવ્યવહાર તમારા અસત્ય અને અવળાસવાળા અર્થને કાબુમાં રાખવાનું નક્કી કરાયેલી કમીટિથી નીમાયેલ પંચ મારફત થશે, નહિં તો કોઈપણ નિષ્પક્ષ નિર્ણય કરનાર મનુષ્યને સિદ્ધચક્રનું વાંચન મોટે ભાગે બસ છે. મેં પણ તેવી જ રીતે વીરશાસન અને જૈનપ્રવચન વાંચ્યા છે. 1 જામનગર - તા. ૧૬-૬-૩૭
આનંદસાગર
મુનિરાજશ્રી કલ્યાણવિજયજી તરફનો તાર -૧
અમદાવાદ તા. ૫મી જૂન ૧ આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર (નકલ) ૨ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી C/o. પોપટલાલ ધારશીભાઈ જામનગર
વંદન સાથે જણાવવાનું કે મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલા પ્રતાપસિંહ મોહનલાલભાઈ અને પાનાચંદ રૂપચંદ ઝવેરીના ખુલાસાઓ એવી ગેરસમજ ઉત્પન્ન કરનારાઓ છે કે હું સંવત્સરી સંબંધી ચર્ચા કરવાને અગર તેમાં ભાગ લેવાને તૈયાર હતો નહીં, પરંતુ તે વાત સત્યથી વેગળી છે. હું તો હજુ પણ આખા શનિવાર પક્ષના પ્રતિનિધિ તરીકે પણ ચર્ચા કરવાને તૈયાર છું.
પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજની પાસે સંઘવી નગીનદાસ કરમચંદ, જીવતલાલ પરતાપસી, અને ગિરધરલાલ છોટાલાલ વિગેરે ગૃહસ્થોએ આવીને જામનગરમાં તમારી તથા શ્રી વિજયનેમી સૂરીશ્વરજીની સાથે થયેલી વાતચીત જણાવી તથા અમો ડ્રાફટ ઉપર સહી કરી આપીએ તો તમો અને શ્રી વિજયનેમિસૂરીજી ચર્ચા કરી નિષ્પક્ષ શાસ્ત્રીય નિર્ણય ઉપર આવવા તૈયાર છો તેમ જણાવ્યું. અમે તો આ બાબતથી અત્યંત ખુશી થયા કારણ કે તેથી સમાજને ઘણો જ લાભ થાય. પૂજય ગુરૂદેવે કહેલું કે કલ્યાણ વિજય જોગમાં છે એથી જ ખંભાત મોકલી શકાય તેમ નથી. જો ચર્ચાસ્થળ અમદાવાદ રાખો તો અમારા પ્રતિનિધિ તરીકે તે જરૂર ચર્ચા કરશે અને જો તમે અમદાવાદ નક્કી ન કરી શકો ને ચર્ચા ખંભાત કરવાની રાખો તો પણ અમને જે નિર્ણય આવે તે કબુલ છે. આમ સ્પષ્ટ કહીને જ સહી અમો બન્નેએ કરી હતી, આમ છતાં સાચી વાતને તે બંને ખુલાસાઓમાં છુપાવી દેવાઈ છે, તે અનીચ્છનીય છે. હજુ પણ હું મારા પૂજય ગુરૂદેવની