SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-પ-૬ (૨૮ ડીસેમ્બર ૧૯૪૦ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • કર્યો, અને એવો કરાર આગળ ધર્યો કે જે ત્રાહિત પાર્ટીથી પણ સ્વીકારી શકાય નહિં અને તેથી શાંત વાતાવરણના નાશના કારણ તમો બન્યા, ત્યારબાદ ૨૯-૫-૩૭ મુંબઈ સમાચારની જૈનચર્ચામાં જણાવેલ શરતો કબૂલ કર્યા વગર કે જેની સાથે મારે કંઈપણ સંબંધ નહોતો, તેમાં દર્શાવેલી શરતો સ્વીકાર કર્યા વિના તમે ૩૧-૫-૩૭મીએ ખોટી રીતે તાર કર્યો જવાબમાં મેં તમારા બેઉની સહીથી જાહેર કરવાનું ધ્યાન ખેંચ્યું તમે તેને ગળી ગયા, અને કોઈપણ સંબંધ વગરની વાતને જણાવી. જવાબમાં મેં ફરીથી બેઉને સહી માટે તથા અસત્ય બોલવાનું છોડી દેવાનું ધ્યાન ખેંચ્યું, જેથી તમે તમારા ત્રીજા તારમાં જુઠી અને ખેદજનક બીનાઓ જણાવી. પછી મેં બીજા (તે પછીના) તારમાં જુઠાણા સામે ચેતવણી આપી અને તમે વધારાના ખોટા આક્ષેપોથી જવાબ આપ્યો. જવાબમાં તમારે પોતાને હાથે મશ્કરી નહિ કરવાની મને ફરજ પડી, તો પણ તમારા છેલ્લા તારમાં તે બીનાઓને ના કહેવાની હિંમત કરી, અને તમારું પોતાનું સાચું છે, આ વાત ભાર મૂકીને કહી. ખરેખર એ દયાજનક છે. તમે જૈન ચર્ચામાં જણાવેલ હકીકતથી વિરુદ્ધ બીનાઓનો તાર કર્યો, બેઉની સહીઓ સંબંધી જણાવવાનું લક્ષ્ય નહિં આપ્યું. તા. ૩૧મી તારીખથી તાર શરૂ કરીને અને ૩જી તારીખે ૧૫ દિવસ ગુમાવ્યાનો આક્ષેપ કરો છો. બંને જાહેર કરવામાં નિષ્ફળ જાવ છો, અને પુનાથી નહિં ખસવાનો, શાસ્ત્રાર્થથી ખસવાનો આરોપ મુકો છો. આવા કારમાં જુઠાણાં તમારાથી સેવી શકાય? - જો તમારી આખી રવિવારની પાર્ટીના ખરેખર પ્રતિનિધિ તરીકે થવાનો દેખાવ ખરેખર સાચો જ હોય, ને જો તમે તમારા અને તમારી પાર્ટીઓના અભિપ્રાય (મત) સત્ય સાબીત કરવા શાસ્ત્રાર્થ માટે તૈયાર રહો, તો ખોટી તારબાજી કરીને પૈસાનો નિરર્થક વ્યય કરવાનું છોડી દો, અને નીચેની સૂચનાઓ ગ્રહણ કરો. તમને અને વિજયનેમિસૂરીજીને શનિવારની પાર્ટીના પ્રતિનિધિ મુનિ શ્રી કલ્યાણવિજયજી જે પ્રમાણે જણાવે છે તે પ્રમાણે સાચું સમજીને વર્તો (સાચા દિલથી અમલ કરો) | કેશવલાલ માણેકલાલ પુના તો. ૧૦-૬-૩૭ રામચંદ્રસૂરીજી, પુના અન્ય કોઈની પણ દરકાર કર્યા વિના હું વર્ષોથી પરંપરા અને શાસ્ત્રને આધારે પૂનમ અમાવાસ્યાની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષય વૃદ્ધિની માફક ભાદરવા સુદી પની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ માનનાર અને કરો છું, અને શાસ્ત્રાર્થથી સાબીત કરવા તમને મધ્યસ્થલ સુરત આવવાનું અને
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy