SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. . . . . . . . • • • • • - તા.ક. આપ ગારીયાધાર વધુ રોકાવાના ન હો અને ઉતાવળે અહિં પધારવાના હો તો છેવટ ફાગણ સુદી ૧ કે બીજના દિને અત્રે ચર્ચા માટે પણ ટાઈમ આપવાનું જ ધ્યાનમાં રાખશો. લી. મુનિ હંસસાગર ફરી પાછા ફા.સુ. બીજે પાલીતાણે આવી પહોંચેલા ઉ. જંબુવાને પોતાના અનુવાદને જુઠા જણાવવા બીજી ચીઠ્ઠી લખી તે આ રહી - સ્થળ - બાબુપનાલાલની ધર્મશાળા ફા. સુ. ૩ ભોમ. “શ્રીમાનું ઉ0 જંબુવિજયજી, યોગ્ય વંદનપૂર્વક જણાવવાનું જે તિથિચર્ચા માટે તમારી પાસે તમારું જુઠ્ઠાણું સાબીત કરવા હું આવતી કાલે આવું છું” લી. મુનિ હંસસાગર આ પત્ર ગૃહસ્થદ્વારા મોકલાવતાં તેમણે ન લીધો એટલું જ નહિ પણ જે જે વાણી ઉચ્ચારી છે તે અલિખિત જ સારી છે ઉપાટ મનહરવિજયજીએ પણ પત્રનો ઉત્તર નહિ આપ્યો, એટલે પ્રથમના પત્રની નકલ સહિત બીજો પણ એક પત્ર ફા.સુ. ૨ જે લખ્યો, છતાં બે દિવસ તળેટી રહ્યા હોવાથી ને ચોથે પ્રવેશ હોવાથી ચોથના દિવસે એક સાધુદ્વારા તે પત્ર મોકલાવ્યો. પત્રની નક્લ નીચે - સ્થળ - પાલીતાણા ફા.સુ. ૨ “ઉપાધ્યાયજી મહારાજશ્રી મનહરવિજયજી યોગ્ય વંદનપૂર્વક જણાવવાનું કે નીચે મુજબનો પત્ર આપને પહોંચાડ્યો છે - (ઉપરોક્ત નકલ પહેલાં મોકલી હતી તે) બે દિવસમાં જ વખત આપવા મહેરબાની કરશો.” લી. મુનિ હંસસાગર આ છેલ્લી કલમ, ૨૨ માર્ચ વીરશાસનના લેખકે જુઠાણાંના પડલ હોવાથી નહિ દેખતાં ચોથના પત્રમાં એકમ બીજે ચર્ચા કરવાની માગણીનો જુઠ્ઠો આરોપ મૂક્યો છે. જવાબ તો ન જ મળ્યો, સાંજ તો તળાજા તરફ વિહાર કરી દીધો જો કે ફા.સુ. આઠમે આવી તે જ આઠમની સાંજે સ્વદાદાગુરૂ સાથે અમદાવાદ તરફ વિચરી ગયા. અહિં પણ આ ચર્ચા એ પક્ષે કેમ ખતમ કરી તે વાંચકોએ સ્વયં વિચારી લેવું.
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy