SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ * . . . . . . ૭૯ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪ અંતર્મુહૂર્તમાં ચાલ્યું પણ જાય છે, તેથી સર્વ તીર્થકરોના પાછળના ત્રીજા ભવનાં સમ્યકત્વો અપ્રતિપાતિ હોયજ એમ નક્કી કરી શકાય નહિં.) આ ઉપર જણાવેલી હકીકત ધ્યાનમાં રાખીને ભગવાન અભયદેવસૂરિજી વરબોધિ શબ્દની બીજી વ્યાખ્યા કરે છે (પરંતુ એ તો નક્કી સમજવું કે જેઓ વચલો ભવ નરકનો કરવાના ન હોય તેઓ અપ્રતિપાતિ સમ્યત્વવાળા જ હોય અને બહુલતાએ તીર્થકર ભગવાનના જીવો વચલો ભવ દેવલોકનો જ કરનારા હોય છે અને તેથીજ અપ્રતિપાતિ એવું ભગવાન તીર્થકરનું સમ્યકત્વ જે હોય તે વરબોધિ કહેવાય એમ કહેવું વ્યવહારની અપેક્ષાએ કોઈપણ પ્રકારે અયોગ્ય નથી, છતાં બીજી વ્યુત્પત્તિ કરે છે) બીજા વિકલ્પમાં કહે છે કે વરબોધિલાભનો અર્થ વ્યવહારની અપેક્ષાએ ભલે અપ્રતિપાતિ સમત્વ હોય, પરંતુ અહિં વરબોધિલાભ શબ્દ પછી જોડાયેલો “” એ “ો” [૧૦ ડીસેમ્બર ૧૯૩૯, નો ન હોય અને “ત” નો પણ હોય અને તેથી વરબોધિ લાભથી એવો પંચમીનો અર્થ થાય અને તે વરવતામતઃ (વરોધિત્મામા)એવી પંચમી અપાદાન કે દિગ્યોગમાં ન લેતાં હેતુમાં જ પંચમી લેવી જ એ જણાવવા માટે સ્પષ્ટ શબ્દમાં કહે છે કે વરઘોધિનીમાાિ દેતો. એટલે ભગવાન જિનેશ્વર મહારાજનાં જે ચારસ્વરૂપો આગળ જણાવવામાં આવશે તે ચાર સ્વરૂપ આ પ્રમાણે સર્વોત્તમ પુણ્ય સંયુક્ત ૨ એકાન્તપરહિતરત ૩ વિશુદ્ધ યોગ. ૪ અને મહાસત્ત્વ આ ચારે વસ્તુ વરબોધિલાભને લીધે જ થાય છે. એટલે એકાન્ત પરહિતરતપણું તે પણ અપ્રતિપાતિ એવા વરબોધિ લાભને લીધે જ થાય છે, આવા સ્પષ્ટ અક્ષરો છતાં જેઓ વરબોધિલાભને લીધે, એકાન્તપરહિતપણું થાય છે, એમ ન માને તેને કાં તો શાસ્ત્રની પંક્તિઓનો બોધ નથી, અગર શ્રદ્ધા નથી, એમજ કહેવું પડે.
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy