SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪ સમાધાન - જીજ્ઞાસુ મહાશયે પ્રથમ તો તે વિચારવાની જરૂર છે કે તે અનાદિકાળથી એટલે નિગોદવાસથી તીર્થંકરના જીવો પરોપકારીજ હતા એવું શાસ્ત્રના એક પણ પુરાવા વગર ઠસાવવા તૈયાર થવાય છે તે અયોગ્ય છે અને ભગવાન હરિભદ્રસૂરિજીનો અષ્ટકજી પ્રકરણનો શ્લોક કે જેની ટીકા ભગવાન જિનેશ્વર સૂરિમહારાજે સ્પષ્ટ શબ્દોમાં કરી છે અને આગળ સમાધાનમાં જણાવ્યા પ્રમાણે જ તેનો અર્થ થઈ શકે અને કરવો પડે તેમ છે, છતાં ઉન્માર્ગના પોષક મનુષ્યો શાસ્ત્રના પાઠોને કેવા અવળા સમજાવે છે એ સ્પષ્ટ માલમ પડશે જુઓ તે શ્લોક અને ટીકા वरबोधित आरभ्य, परार्थोद्यत एव हि। तथाविधं समादत्ते, कर्म स्फीताशयः પુમાન ર ા टीका :- वरबोधितो-विशिष्टसम्यग्दर्शनलाभात्, आरभ्य-तत्प्रभृति, परार्थोद्यत एव-परहितकरणोद्यमवानेव, नान्यथाविधः, पुमानिति યોગ:, માદ ૨ “મરસિદ્ધ' ફાતિ, हिशब्दो वाक्यालङ्कारे, तथा तत्प्रकारा विधा स्वभावो यस्य तत् तथाविधं, प्रकृतधर्मदेशनानिबन्धनं तीथकृन्नामकर्मेत्यर्थः, સમારે-વાત, વર્ષ-દમ, તા:-ડાઈમયઃ પુના-પુરુષ:, पुंग्रहणं मनुष्य-मात्रोपलक्षणं, न तु स्त्रीनिवृत्त्यर्थम्, नार्या अपि तद्बन्धकत्वात्, इति अ. ३१॥९७५०॥ [૧૦ ડીસેમ્બર ૧૯૩૯, ઉપર જણાવેલા શ્લોક અને ટીકાના પાઠનો અર્થ કરવા પહેલાં જીજ્ઞાસુને એટલું તો પૂછવાનું કે અનાદિકાળથી એટલે નિગોદવાસથી ભગવાન તીર્થકરોના જીવને પરોપકારી જણાવનારાઓ ભગવાન તીર્થકરના આદ્યસમ્યકત્વને અને વરબોધિને જુદા નથી જણાવતા એમ ખરું કે? અર્થાત્ ભગવાન તીર્થકરનું આદ્યસમ્યકત્વ તેને જ તેઓ વરબોધિ માને છે એમ ખરું ને? અને હવે જો તેઓ આદ્યસમ્યકત્વને જ વરબોધિ માનતા હોય અને ભગવાન જિનેશ્વર મહારાજના જીવોને અનાદિકાળથી એટલે નિગોદવાસથી પરોપકારી જ હોય એમ માનતા હોય તો પછી તેઓને જરૂર એમ તો માનવું પડશે કે વરબોધિથી એટલે આદ્યસમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારથી ભગવાન તીર્થકરના જીવો તીર્થકર નામકર્મને નિકાચિત કરનારા હોય, કેમકે ઉપર જણાવેલા શ્લોકમાં તીર્થકર નામકર્મના બંધના નિકાચનની મર્યાદા વરબોધિલાભથી શરૂ કરે છે, એટલે કહેવું જોઈએ કે તે ઉન્માર્ગભાષકને આ શ્લોકથી બેય બાજુ ફાંસી છે. કેમકે નથી તો તે આદ્યસમ્યકત્વ લાભ થાય ત્યારથી દરેક તીર્થકરો તીર્થકર નામકર્મ નિકાચિત કરે છે એમ માની શકે અને એમ ન માને તો તીર્થકર નામકર્મ નિકાચિત કરવાની લગભગ વખતે જ સમ્યકત્વને વરબોધિ તરીકે કહી શકાય નહિં. આ વાત તો જિજ્ઞાસુના ધ્યાનમાં જ હશે કે તીર્થંકર નામકર્મનું નિકાચન દરેક
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy