SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ 5,588 . . શ્રી સિદ્ધચક્ર (ઓગષ્ટ ૧૯૩૯) નેવ્યાશીમાં ફરી કોતરાયેલી જ બહાર આવી છે, એટલે ચાર ચાર પાંચ પાંચ સદી જેવા વિલંબ પછી અને મોગલાઈ સત્તાના વખતે પરમ માહેશ્વર શબ્દ અજૈને ગોઠવી દીધો હોય તો તેમાં નવાઈ જેવું નથી, પરંતુ તે સોલસો નેવ્યાશીમાં ગોઠવાયેલા પરમ માહેશ્વર શબ્દથી જ વિચક્ષણ પુરૂષો મહારાજા કુમારપાળના પરમ જૈનત્વને સમજી શકે. કારણકે સોલંકીવંશમાં મૂલદેવ વિગેરે મહારાજાઓની બિરૂદાવલીમાં પરમ માહેશ્વર શબ્દ કોઇપણ જગા પર લખવામાં આવ્યો નથી, પરંતુ અજયપાળરાજા પછી જૈનધર્મીયોના અપમાનને અંગે પ્રવર્તાવેલો પરમ માહેશ્વર શબ્દ મહારાજા કુમારપાળમાં નવો જ ગોઠવાયેલો છે. વિશેષ આશ્ચર્યની બિના તો એ છે કે મહારાજા કુમારપાળનું વર્ણન જે જે શિલાલેખોમાં પદ્યબંધોથી લેવામાં આવેલું છે તે તે શિલાલેખોના પદ્યોમાં એકપણ જગા પર પરમહંત મહારાજા કુમારપાળનું શૈવપણું સૂચવનાર એક પદ પણ નથી. તે શિલાલેખો પણ નીચે આપીએ છીએ તે જોવાથી સુજ્ઞોને માલમ પડશે. ૧. સં. ૧૨૦૧ પો. સુદ ૨ શનિવારના સક્રાંતિ પર્વમાં ચાંડાપલ્લીમાં સિદ્ધેશ્વર વૈદ્યનાથના મંદિરમાં એક બ્રાહ્મણને ગંભૂતા પાસેનું...ગામ આપ્યાનું શ્રીકુમારપાળની સહીવાળું તામ્રપત્ર परमभट्टारक महाराजाधिराज परमेश्वर त्रिभुवनगंडावन्तीनाथ वर्द्धरकजिष्णु सिद्धचक्रवर्तिश्रीमज्जयसिंहदेवपादानुध्यात परमभट्टारकमहाराजाधिराज परमेश्वर निजभुजविक्रमरणांगणविनिज्जितशाकंभरीभूपाल श्रीमत्कुमारपालदेवो विजयोदयी... ૨. સં. ૧૨૦૨, સિંહ સંવત્ ૩૨ આસો વદ ૧૩ સોમવારે ગોહિલા સોમના સહજીગેશ્વર મહાદેવ માટે તેના લઘુ ભ્રાતા મલકે શાસન આપ્યાનો માંગરોળની સોઢડીવાવવાળો કાળાપત્થરનો શિલાલેખ (२) कृत्वा राज्यमुपारमन्नरपतिः श्रीसिद्धराजो यदा, दैवादुत्तम (३) कीर्तिमण्डितमहीपृष्ठो गरिष्ठो गुणैः । आचक्राम झटित्यचिंत्यमहिमा तद्राज्यसिंहासनं, श्रीमा (४) नेप कुमारपालनृपतिः पुण्यप्ररुढोदयः ॥२॥ राज्यैऽमुष्य महीभुजोऽभवदिह श्रीगृहिला (५) रव्यान्वये..... અભૂત મહિમાવાળો અને પુણ્યથી રૂઢ (નિશ્ચલતા)ને પામ્યો છે ઉદય જેનો એવો આ કુમારપાલ રાજા તેના રાજયનું સિંહાસન દબાવી બેઠો. (૨) (ગુ. ઐ. લે. પૃ.૩૩) ૩.સં. ૧૨૦૭ કુમારપાલે ચિત્રકૂટમાં ઉત્તરદિશાના ઢોળાવ પરના સમિધેશ્વરના મંદિરને ગામ વગેરેનું દાન કર્યું તેનો કાળા આરસામાં ખોદેલ અને ચિતોડગઢના મોકલજીના મંદિરમાં રહેલ શિલાલેખ () નમ: સર્વજ્ઞાય . (૮) તસ્મિત્ત સામ્રા (૨) ક્ય, સંપ્રારે નિર્વશાત્ ા ગુમારપાનदेवोऽभूत्प्रतापक्रान्तशात्रवः ॥ स्वनेजसा प्रसहोन, न परं येन शात्रवः । पदं भूभृच्छिरःस्सूच्चैः, कारि (२०) तो वन्धुरप्यलम् ॥ आज्ञा यस्य महीनाथैश्चतुरम्बुधिमध्यगैः । घ्रियते मूर्तमिन्ननैर्देव-शेषेव
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy