SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગષ્ટ : ૧૯૩૯ થી રક સિદ્ધ થયા હોય ત્યારે જ બોલી શકાય. આથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી મહારાજ અભિધાનચિન્તામણિમાં જે મહારાજા કુમારપાલનું રાજર્ષિ એવું જે યોગરૂઢ નામ જણાવે છે તે વ્યાજબી ઠરે છે અને તેથી તેઓનું પરમજૈનપણું સ્પષ્ટ થાય છે. भृङ्गायितं यज्जिनपादपङ्कजे, मुक्तान्यकृत्येन चिरं कर ! त्वया । तस्यानुभावात्स्मरतापઘરો, રમૂવ તેડા: રસોત્સવ: I હે હાથ; તારા વડે અન્ય કૃત્ય છોડીને લાંબા કાળ સુધી જે જીનેશ્વર મહારાજના ચરણકમળમાં ભૃગની જેમ આચરણ કરાવ્યું તેના અનુભવથી જ કામદેવના તાપને ભક્ષણ કરનાર એવી આ કૃપાસુન્દરીના હાથના મેળાપરૂપ ઉત્સવ તને થાવ.. કૃપાસુન્દરી (જીવદયા)ની સાથે થયેલા લગ્નના આનંદમાં આવેલા મહારાજા કુમારપાલે શ્રીમુખે કહેલા ઉપરના વાક્યથી તેમનું કેવું પરમજૈનપણું હશે તે સ્પષ્ટ માલમ પડશે. श्रीहेमचन्द्रक्रमपद्मसेवापवित्रभालः स कुमारपालः । यत्कीर्तिजन्मेव सुधामरीचिर्जगत्तमो ત્તિ માવિતા: Inશા. શ્રી હેમચંદ્ર મહારાજના ચરણકમળની સેવાથી પવિત્ર છે કપાળ જેમનું એવા તે કુમારપાલ રાજા છે, જાણે કુમારપાલની કીર્તિથી થયેલો હોય નહિ એવો ચંદ્રમા તેજના વિલાસોએ જગતના અંધકારને હણે છે. (મહાદેવને ચંદ્રશેખર નામથી બોલાવાય છે અને તે ચંદ્ર તેજના સમુદાયે જગતના અંધકારને હણે છે.) ઉપર જણાવેલા વાક્યથી મહારાજા કુમારપાલ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીની સેવામાં કેવા તત્પર હશે? અને તેમનામાં કેટલું બધું અદ્વિતીય જૈનત્વ હશે? તે સ્પષ્ટ સમજાય તેમ છે. ___ इह भरहनिवाओ जं न, केणावि चत्तं, मुयइ भयधणं जो तंपि पाविकमूलं । नियजणवयसीमं મોણ નો ચ ન્યપમુહવસ સો વરો મા રોડ આશા અહિ ભરત વિગેરે રાજાઓમાંથી કોઇએ પણ જે ત્યાગ ન કર્યો તે પાપના મૂળ રૂપ એવા મરી ગયેલાના ધનને જેણે છોડયું છે, તથા પોતાના દેશની સીમામાં જેણે ઘૂતપ્રમુખ વ્યસનોના સમુદાયને રાખ્યો નથી તે મારો વર હો. ઉપર જણાવેલી કૃપાસુન્દરીની વરવા સંબંધીની પ્રતિજ્ઞા કે જેણે મહારાજા કુમારપાલે પૂરી કરી. તે પ્રતિજ્ઞાને વાંચનાર મનુષ્ય રૂદતી ધન મૂકવાનું તથા વ્યસનોનું નિર્વાસન કરવાનું સમજીને મહારાજા કુમારપાલને પરમજૈન માને તેમાં આશ્ચર્ય શું? शुकः-राजवयस्य ! तव मम च स्वामिना गुरु श्री हेमचन्द्रपादाम्बुजप्रत्यक्षं निर्वोराधनमोक्षणे सप्तव्यसननिर्वासने च प्रतिज्ञातमित्यस्याः साक्षी भव । હે રાજમિત્ર ! તારા અને મારા સ્વામી વડે ગુરૂશ્રી હેમચંદ્રમહારાજના ચરણકમળના પ્રત્યક્ષમાં અપુત્રયાતી અને અધણીયાતી સ્ત્રીના ધનને છોડવાની અને સાત વ્યસનોને દેશવટો આપવાની પ્રતિજ્ઞા કરાઈ છે એથી પ્રમાણે આ કૃપા સુન્દરીનો સાક્ષી તું થા. ઉપરના પાઠમાં મહારાજા કુમારપાલે રૂદતીધન વર્જન અને સાતે વ્યસનોનો જે દેશવટો આપેલો છે તેથી તેમનું પરમાતપણું સિદ્ધ થાય છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy