________________
(ઓગષ્ટ ૧૯૩૯) એ શ્રી સિદ્ધચક્ર
भो वयस्स ! णिच्छिदं छलिदोऽसि एदेहिं पासंडिपिसाएहिं । जदो नाविक स्वसि रज्ज, न संभावेसि अवरोहं, न बहु मन्नसि संगीदरसं । अधवा मह ज्जेव इक्कस्स अपुन्नोदएण ईदिसो तं जादोऽसि । जदो जप्पभुदि तस्स सेयंबरथुत्तस्स दंसणं संवुतं तप्पभुदि नीसाए न भुंजसि, दिवावि अणिद्धमधुरमदिवंतवेलं अबहुवंजणं इदरुब्ब जंवातंवा जेमसि । ता सच्चमेदं 'वरस्स खलु भोयणे जन्नजत्ताए पंसु' त्ति ।
હે મિત્ર! નક્કી તું આવા પાખંડિપિશાચો વડે ઠગાયો છે. જેથી તું રાજયને દેખતો નથી, અંતઃપુરને સંભાળતો નથી અને સંગીતના રસને બહુમાનતો નથી. અથવા મારા જ એક અપુણ્યોદયથી તું આવી રીતનો થયેલો છે. જેથી જ્યારથી લઈને તે શ્વેતામ્બર ધૂર્તનું દર્શન થયું ત્યારથી લઈને રાત્રીએ તું ખાતો નથી. દિવસે પણ સ્નિગ્ધ અને મધુરતાએ રહિત એવું અને અતિક્રાંતવેલાએ બહુ શાકથી રહિત, હલકા મનુષ્યની માફક જેમતેમ તું જમે છે. તેથી સત્ય છે કે વરરાજાને નિશે ભોજનમાં જાનની યાત્રામાં ધૂલ હોય.
ઉપર જણાવેલા (૪)વાક્યથી સ્પષ્ટ માલમ પડશે કે મહારાજા કુમારપાલ એકલા જૈન જ નહિ, પરંતુ પરમર્જન થયેલા હતા, કે જેથી તેઓ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાના વચનમાં લીન રહેતા હતા અને તેથી રાજય, ભોજન અને નાનામાં તેમજ સંગીતમાં પણ મુદલ આસક્તિ, રહી નહોતી તેમજ રાત્રિભોજનનો ત્યાગ સર્વથા કર્યો હતો.
किं राज्येन गुरोरुपास्तिरनिशं चेल्लभ्यते निर्भरा ? किं शुद्धान्तपुरन्ध्रिमितिवधूसङ्गो यदि प्राप्यते ?। किं सङ्गीतरसेन चेज्जिनवचःपीयूषमापीयते; मोहादबूहि यथातथा मम पुनर्ली ने मनो દળિ છે
જો ગુરૂમહારાજની સેવા નિરંતર અત્યંત પ્રાપ્ત થાય તો પછી રાજયથી શું? જો ધીરજરૂપ સ્ત્રીનો ખોળો પ્રાપ્ત થાય તો પછી અંતઃપુરની સ્ત્રીઓએ શું? જો જીનવચનરૂપ અમૃતનું પાન કરાય તો સંગીતરસે કરીને શું? અજ્ઞાનથી તું જેમ તેમ બોલ પણ ફરી ફરીથી મારું મન બ્રહ્મમાં જ લીન થયું છે.
આ શ્લોકથી જણાશે કે કુમારપાલ મહારાજને ગુરૂમહારાજની સેવા ધીરજ જિનવચન અને મોક્ષ ઉપર કેટલી બધી શ્રદ્ધા છે. ?
प्रतीहार:- भोः । ; संप्रति परमाहतो देवो नाभिनन्दति भवादृशां दर्शनम् ।
અરે હાલ પરમાઈત મહારાજા કુમારપાલ તમારા જેવાના દર્શનને ઇચ્છતા નથી. ૧૨૪૧ માં બનેલા આ મોહપરાજય નાટકમાં ઉપર જણાવેલા પ્રતિહારના વચનમાં મહારાજા કુમારપાલનું જે પરમાહિતપણું જણાવવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે મહારાજા કુમારપાલ યાજજીવન પરમાર્ણત બિરૂદથી અલંકૃત હતા.
- (૩૫) જનરેં યોનાવિયુ જૂથ: I હે રાજર્ષિ ! યોગ વડે તું વિયોગ વિનાનો થા. અહિ યોગીરાજ રાજર્ષિ શબ્દનું સંબોધન વાપરે છે. તે પ્રથમ રાજર્ષિપણે