________________
- ૪૬ળે
શ્રી સિદ્ધચક (જુલાઈ : ૧૯૩૯) काले व्यतिक्रान्ते उत्थितैभरपालकैर्व्यतीते प्रतिष्ठोत्सवे स तत्र प्रविश्य प्रभोः पादमूले लगित्वा सोपालम्भं भृशं रुरोद । प्रभुभिरन्यथा दुरपनेयं तस्य दुःखं विमृश्य रङ्गमण्डपादहिभूत्वा नक्षत्रचारेण स्वदत्तं लग्नमुदितं व्योम्नि विलोक्य 'कूटघटिकासम्बन्धेन नैमित्तिकेन यस्मिल्लग्ने बिम्बानि प्रतिष्ठापितानि तेषां वर्षत्रयमायुः । सम्प्रतितने लग्नौ तु प्रतिष्ठितं बिम्बमिदं चिरायुरिति प्रभुभिरादिष्टम् । स तदैव प्रतिष्ठामकार तत्प्रभूक्तं तत्तथैव जज्ञे । ॥ इत्यभक्ष्यभक्षणप्रायश्चित्तप्रबन्धः॥
૧૫૫. ત્યાર પછી કોઈક વખતે તે રાજર્ષિ ઘેબરના ભોજન કરતાં કંઈક વિચાર કરીને કર્યો છે સર્વ આહારનો ત્યાગ જાણે એવો તે પવિત્ર થઈને તેણે આ પ્રમાણે પ્રભુને પૂછયું
જે અમને ઘેબરનો આહાર કહ્યું કે નહિ?, સ્વામીએ કહ્યું કે વાણીયા અને બ્રાહ્મણને કલ્પ, એ પરંતુ કર્યો છે અભક્ષ્યનો નિયમ જેણે એવા ક્ષત્રિયને તો તે ન કલ્પે, તે વડે કાચા માંસના આહારનું સ્મરણ થાય છે. આ પ્રમાણે જ છે, એમ રાજાએ કહીને પ્રથમ ખવાયેલા, અભક્ષ્ય આહારનું પ્રાયશ્ચિત્ત માગ્યું. બત્રીસ દાંતની સંખ્યાએ એક રિડબલ્પમાં બત્રીસ વિહારોને કરાવ. એમ શ્રી હેમસૂરિજીએ કહ્યું. રાજાએ સ્વામીએ આપેલ તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે છે તે પ્રતિષ્ઠાના સમયે વડોદરાથી પોતાના પ્રાસાદમાં મૂલનાયકની પ્રતિષ્ઠા કરાવવા આવેલ શ્રીપાટણમાં કાજૂનામના વ્યવહારીનાતે નગરના મુખ્ય પ્રાસાદમાં તે બિંબને મૂકીને, એટલામાં બાકળાઓને ગ્રહણ કરી તે ફરીથી જાય છે તેટલામાં રાજાના અંગરક્ષકોએ રોકાયેલા બારણાની અંદર પ્રવેશને નહિ પ્રાપ્ત કરતાં, કેટલોક સમય ગયે છતે અને દ્વાર ઉઘાડતે છતે પ્રતિષ્ઠોત્સવ વિલંબથી પ્રવેશ કરી ગુરુના ચરણકમલમાં લાગી ઉપાલક્ષ્મપૂર્વક અત્યંત રડવા લાગ્યા. સ્વામીએ બીજી રીતે તેનું દુઃખ નિવારી શકાય તેમ નથી, એમ વિચારીને રંગમંડપની બહાર જઈને નક્ષત્રના ચારવડે પોતે આપેલ સમયનો ઉદય થયો છે એમ આકાશમાં જોયું. ખોટી ઘડીના સંબંધવાળા નૈમિત્તિકથી સમયે બિંબોની સ્થાપના થઈ હોય તેનું ત્રણ વર્ષનું આયુષ્ય (સમજવું), અને હાલના સમયમાં પ્રતિષ્ઠિત થયેલ આ બિંબ લાંબા આયુષ્યવાળું છે, એ પ્રમાણે સ્વામીએ ફરમાવ્યું. તેણે તે જ વખતે પ્રતિષ્ઠાને કરાવી અને સ્વામીએ કહેલ છે, તે જ પ્રમાણે બન્યું. એ પ્રમાણે અભક્ષ્ય ભક્ષણ પ્રાયશ્ચિત્ત પ્રબંધ છે.
મહારાજા કુમારપાલે જૈનધર્મ પામવા પહેલાં કરેલા માંસભક્ષણના પ્રાયશ્ચિત્તમાં જે બત્રીસ દહેરાઓ બંધાવવાનું કાર્ય કર્યું એ ઉપરના ગ્રંથમાં જણાવ્યું છે અને તે ઉપરથી માંસ મઘ વિગેરેમાં દુષણ નહી માનનારા, અને સ્મૃતિ વિગેરે માનનારા એવા હિંદુઓથી સર્વથા અહિંસામય એવા જૈનમાર્ગો તરફ વળેલા છે એમ નક્કી થાય છે અને પ્રાયશ્ચિત્તમાં પણ ધાગાપંથી (બ્રાહ્મણોને) ભોજન આપવા આદિક કાર્ય ન કરતાં, જે જૈન મંદિરો બંધાવવાનું કાર્ય કર્યું છે તે જ મહારાજા કુમારપાલનું પરમ જૈનત્વ જણાવે છે.
१५६ मयाऽपहते धने पुरा कश्चिन्मूषको मृतस्तत्प्रायश्चित्ते राज्ञा याचिते तच्छोयसे प्रभुभिस्तन्नाम्नाऽङ्कितो વિહાર: વરત: