SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ આ જુન : ૧૯૩૯ કર્યા છે, તથા પુત્ર રહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે અને બધી પૃથ્વી અહિંતુનાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તો હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિરાજા જેવો થયો છું ! (—હેમચંદ્રાકૃત ત્રિ. ઇ. સ. પુ. ચ. ૧૦મું પર્વ.) सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथः प्रवादः । जिनेन्द्रधर्मं प्रतिपद्य येन, श्लाध्यः स केषां न कुमारपालः ? ॥ –રાજાઓને પ્રાણી પ્રત્યે દયા નથી હોતી એવો લોકપ્રવાદ જે મળે જૈનધર્મનો સ્વીકાર કરી ખોટો પાડ્યો છે, એવા કુમારપાલ કોને ગ્લાધ્ય ન હોય? (–સોમપ્રભાચાર્ય.) ૩૬૪ સિદ્ધરાજ જયસિંહ પછી મહારાજ કુમારપાલ દેવ૮૯ ગાદી પર આવ્યાં તેઓ એક અદ્વિતીય અને આદર્શ નૃપતિ હતાં. ન્યાયી, દયાળુ, પરોપકારી, પરાક્રમી અને ધર્માત્મા હતાં. પૂર્વે થયેલ રાજા ભીમદેવનો એક પુત્ર નામે ક્ષેમરાજ-તેનો પુત્ર દેવપ્રસાદ-તેનો પુત્ર ત્રિભુવનપાલ અને તેનો ૨૮૯ કુમારપાલ અને તેમની સાથે તેમના ગુરુ હેમચંદ્રના ચરિત્ર સંબંધી અનેક જૈનવિદ્વાનોએ વિવિધ ગ્રંથ લખ્યા છે. ૧ સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલ-પ્રતિબોધ સં. ૧૨૪૧, ૨ યશપાલ મંત્રીકૃત મોહ પરાજય નાટક (અજયપાલના સમયમાં). ૩ પ્રભાચંદ્રાચાર્યકૃત પ્રભાવકચરિત્ર-સં. ૧૩૩૪ ૪ મેરૂતુંગસૂરિકૃત પ્રબંધચિંતામણી સં. ૧૩૬૧. પ રાજાશેખરસૂરિકૃત ચતુર્વિશતિપ્રબંધ સં. ૧૪૦૫. ૬ જયસિંહસૂરિકૃત કુમારપાલચરિત્ર, સ, ૧૪૨૨.૭ સોમતિલકસૂરિકૃત કુમારપાલચરિત. ૮ સં. ૧૪૭૫માં તાડપત્ર પર લખેલો કર્તાનો નામ ૨હિત કુમારપાલ પ્રબંધ (પા. સૂ. નું, ૧૬). ૯ ચારિત્રસુંદરકૃત કુમારપાલચરિત્ર સં. ૧૪૮૪ થી ૧૫૦૦ વચ્ચે.૧૦ હરિશ્ચંદ્રકૃત કુમારપાલચરિત્ર (પ્રાકૃત). ૧૧ જિનમંડલકૃત કુમારપાલપ્રબંધ સં. ૧૪૯૨ અને ગુજરાતીમાં ત્રણ રાસઃ ૧૨ દેવપ્રભગણિકૃત કુમારપાલરાસ (સં. ૧૫૪૦ પહેલાં). ૧૩ હીરફુશલકૃત કુમારપાલ રાસ સં. ૧૬૪૦. ૧૪-૧૫ શ્રાવક ઋષભદાસકૃત કુમારપાલરાસ સં. ૧૭૪૨. આ ઉપરાંત તીર્થકલ્પ, ઉપદેશતરંગિણી તથા પુત્ર તે આ કુમારપાલ. તેના સંબંધી માજીશ્રી જિનવિજયના એક લેખ પરથી૨૦ નીચેની હકીકત ટૂંકમાં નોંધવામાં આવે છે. - ૩૬૫ વિ. સં. ૧૧૪૯ માં તેનો જન્મ થયો હતો અને સં. ૧૧૯૯ માં રાજ્યાભિષેક થયો હતો. ૨૯૧ એક પુરાતનપટ્ટાવલીમાં રાજયાભિષેકની તિથિ માર્ગશીર્ષ શુક્લ ચતુર્થી લખી છે. રાજ્ય -પ્રાપ્તિ પછી લગભગ ૧૦ વર્ષ સુધી રાજ્યની સુવ્યવસ્થા કરવામાં અને તેની સીમા વધારવાનો પ્રયત્ન કરી દિગ્વિજય કરી પોતે અનેક મોટા મોટા રાજાઓને પોતાની પ્રચંડ આજ્ઞાને આધીન કર્યા. પોતે પોતાના સમયમાં અદ્વિતીય વિજેતા અને વીરરાજા હતા. ભારતવર્ષમાં તે સમયે તેમની બરોબરી કરનાર બીજા કોઈ રાજા નહોતા. તેમનું રાજય ઘણું મોટું હતું. શ્રી હેમચંદ્રાચાર્યે “મહાવીરચરિત'માં
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy