SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ થી સિસક તા. ૯-૧૦-૩૮ ) ભવભાવનાની ઉપાદેયતાનું કારણ? ભવના દુઃખથી ખેદ પામેલા પ્રાણીઓથી ભવભાવના રૂપ નિસરણી મૂક્યા વગર કદાપિ મોક્ષરૂપી મહેલમાં ચડી શિકાતું નથી. ૬ જો એવું છે તો શું કરવું? તે કારણથી સર્વદુઃખને ઉત્પન્ન કરનાર એવું ઘર-પરિજન સ્વજન સંબંધી થતું આર્તધ્યાન મૂકી દઈ હંમેશાં સંસારનું સ્વરૂપ વિચારવું.” ભાવનાના પ્રકાર :આ ભવભાવના બાર ભાવનાની અંદર ગણાય છે, અને તે બાર ભાવના અનુક્રમે આ રીતે છે. ૧ અનિત્યત્વભાવના ૭ વિવિધલોક સ્વભાવભાવના ૨ અશરણત્વભાવના ૮ કર્મના આશ્રવનીભાવના ૩ એકત્વભાવના ૯ સંવરભાવના ૪ અન્યત્વભાવના ૧૦ નિર્જરાભાવના ૫ સંસારભાવના ૧૧ જિનશાસનસ્થિતના ઉત્તમ ગુણો ૬ અશુચિત્વભાવના ૧૨ સમ્યકત્વ દુર્લભભાવના એ બાર ભાવના બુદ્ધિમાનું પુરૂષોએ વિચારવી જોઈએ. = = = = = = = = = = = = = = - - - - - - - - - - - - - - - - - ૬ અનિત્યાદિ રૂપપણે આ સંસાર અસાર છે, સ્ત્રી વિગેરે દુઃખનાં કારણ છે, વિષયો કિંપાકફલ સમાન પરિણામે ભયંકર છે, પ્રાણી અભિષ્ટની ઈચ્છા રાખ્યા કરે છતાં અભિષ્ટ ચાલ્યા જાય છે, અનિષ્ટ વસ્તુઓ આવીને ખડી થાય છે, મૃત્યુ કેડ છોડતું નથી, ઈત્યાદિ વિચારી ધર્મ સિવાય આ સંસારમાં કોઈ શરણ નથી, એવી રીતે ધીરપુરૂષોએ પરોપદેશની અપેક્ષા રાખ્યા વગર પોતે જ પ્રતિબોધ પામી સનુષ્ઠાનરક્ત થયા, તીર્થંકરાદિ મહાપુરૂષોને પણ સંસારસિધુ પાર ઉતરવા ભવભાવના નૌકા સમાન છે, તો પછી બીજાઓએ તો તેનો આશ્રય કરવો જ જોઈએ:૭ દેવલોકની વસ્તુ જગતમાં શાશ્વતપણે પ્રસિદ્ધ છે. તેમાં પણ ભવન વિગેરે કથંચિત્ શાશ્વત હોય છતાં જીવિતાદિ તો અનિત્ય જ છે, જીવિત અને દેહમાં લાંબા ટાઈમ સુધી રહ્યો છતાં અંત્યે સર્વનાશે વિનાશ થાય છે. લક્ષ્મી પણ મહર્થિક દેવતાઓ ઉપાડી જાય છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy