________________
૪૦૭ શ્રી સિદ્ધચક્ર
જુન ૧૯૩૭ સંવછરીના નિર્ણયવાળા શાસ્ત્રાર્થ બાબત
મુંબઈથી શ્રી પ્રેમસૂરિજીએ ગુરૂવારની સંવચ્છરીની ચર્ચા શેઠ નગીનભાઈ દ્વારા શરૂ કરી હતી, તેમાં બન્ને શાસ્ત્રાર્થ કરનારે મધ્યસ્થાને મળવાનું હતું, તેમજ ગુરૂવારપક્ષે કોઈનું પ્રતિનિધિપણું સ્વીકારવાનું હતું નહિ અને કરાર એવો હતો કે નગરશેઠ વગેરે પંચો અને સિરપંચો નીમે, છતાં શેઠ નગીનભાઈ અને જીવાભાઈએ મનસ્વિ કરાર લખ્યો, અને ગુરૂવારપક્ષને તે બતાવ્યા સિવાય તથા જુદી ખાનગી કબુલાત આપીને તારથી ના કહ્યા છતાં સહીયો લઈ જામનગરથી વિહાર કરાવી પછી ગુરૂવારવાળાને જામવણથલીમાં આપી. તેમજ જામનગરમાં થયેલ શરત મુજબ તૈયાર થયેલા વણથલીના મુસદા ઉપર સહીયો લાવવા ના પાડવાથી પાછા જામનગર ગુરૂવાર પક્ષવાળા આવ્યા. તે વખત થયેલ તાર વ્યવહાર નીચે મુજબ છે.
પુને કરેલ તાર રામચંદ્રસૂરિ, વેતાલપેઠ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક મન્દિર ૨૯-૫-૩૭ ના મુંબઈ સમાચારના “જૈનચર્ચા”ના મથાળા નીચે સંવચ્છરીની તકરારના નિર્ણય માટે પુનાથી તમારો વિહાર જાહેર કરે છે. તમારી ખંભાત પહોંચવાની તારીખ જણાવો, જેથી હું ટાઈમસર ત્યાં આવીશ. હું જામનગર પાછો ફરું છું, કારણ કે જીવાભાઈએ શાસ્ત્રાર્થ કરનાર માણસોનાં નામો આપવાની અને ચેરમેન તરીકે અમદાવાદના નગરશેઠની સાથે એક બાજુના ચાર અને બીજી બાજુના ચાર મેમ્બરોની કમિટીથી નિમાયેલ પંડિતો અને સરપંચના નિર્ણયની કબુલાતના મુસદા પર સહીઓ લાવવાની ના પાડી હતી.
આનન્દ સાગર ૩૦-૫-૩૭ અલીયાબાડા આચાર્ય આનન્દ સાગરસૂરિજી
અલીયાબાડા તા. ૩૧-૫-૩૭ પુનાકેમ્પ રામચંદ્રસૂરીશ્વરજી તમોને જણાવવાને મને ફરમાવે છે કે તમારા તારો મળ્યા, ૨૯-૫-૩૭ ના મુંબઈ સમાચારના જૈનચર્ચાના મથાળા નીચેનો લેખ ફરીથી વાંચ્યો, આખા લેખમાં તમારા તાર મુજબ કોઈપણ જાતનું ડેકલેરેશન જડ્યું નહિ (અર્થાત્ વાંચ્યું નહિ.) તે મજકુર આર્ટીકલ સાથે મારે કાંઈ સંબંધ નથી, છતાં પણ તે આર્ટીકલનો છેલ્લો પેરેગ્રાફ જો તમો બેઉને શક્ય હોય તો હું ખુશીથી પસંદ કરું છું (કબુલ કરું )
મહેરબાની કરીને તે છેલ્લો ફેરો ફરીથી વાંચો અને જો તમે અને વિજયનેમિસૂરિજી, તેના સ્ટેટમેંટ પ્રમાણે જાહેર કરો તો હું યોગ્ય સ્થળે આવવાને તૈયાર છું. વધારામાં મારી સમજ પ્રમાણે જો હું ખરો હોઉં તો જીવાભાઈ વિગેરેએ તમારી સલાહ મુજબ, મારા ગુરૂદેવની, મારી, મુનિ સિદ્ધિસૂરીશ્વરજીની, મુનિકલ્યાણવિજયજીની અને લબ્ધિસૂરીશ્વરજીની સહીઓ કરાર પર મેળવી લીધી) અને તમારી પાસે