SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી સિદ્ધચક્ર તા. ૧૧-૪-૧૯૩૭ બીજા પણ કષાદિક ગુણો અહીં હોવા જોઈએ. આ પૂર્વે કહેલી પરીક્ષાઓથી સાધુની પરીક્ષા કરવી જોઈએ, માટે આ શાસ્ત્રમાં સાધુના જે ગુણો કહેલા છે તેવા અત્યંત શુદ્ધ ગુણવાળો જ સાધુ કહેવાય, કારણ કે તે જ મોક્ષને સાધનાર છે. આ અધિકારમાં વિસ્તાર કરતા નથી, પણ બીજાઓ પ્રતિબોધ પામશે એવા ભાવથી ઉપાર્જન કરેલા નિરનુંબંધ કે કુશલાનું બંધ કર્મના સંબંધે ભાવચારિત્ર પ્રાપ્ત થાય તે નક્કી થયું. મંદિર સંબંધી અપ્રતિપતિત એવી શુભચિંતાના ભાવથી ઉપાર્જન કરેલા કર્મોને લીધે ભાવચારિત્રના અંતને પામે છે અને તેથી તે આરાધના મેળવે છે. નિશ્ચયનયની અપેક્ષાએ ચારિત્ર લેવાના સમયથી મરણ સુધી હંમેશાં વિધિપૂર્વક સંજમનું પાલન તે જ આરાધના છે, અને આરાધક જીવ સાત આઠ ભવે પરમ યથાખ્યાતચારિત્રને પામીને જરૂર મોક્ષ પામે છે. દ્રવ્યાભાવસ્તવનું વ્યાપીપણું જણાવવા સાથે સ્થાને જણાવે છે : दव्व १२०९, जइणो १२१०, तंतम्मि १२११, मल्लाइ १२१२, ओसरणे १२१३, णय १२१४, गो १२१५, कजं १२१६, जिण १२१७, ता, १२१८, जं च १२१९, एअस्स १२२०, इहरा १२२१, सक्खा १२२२, एएहितो १२२३, अकसिण १२२४, सो १२२५, अणु १२२६, सुव्वइ १२२७. એવી રીતે પરસ્પર સંબંદ્ધ એવા દ્રવ્યભાવસ્તવનું સ્તવસ્વરૂપ નિશ્ચયથી જાણ્યા પ્રમાણે હયું. સાધુને પણ અનુમોદનાલારાએ દ્રવ્યસ્તવ હોય છે. આ હકીકત શાસ્ત્રથી સિદ્ધ થયેલી જાણવી. શાસ્ત્રમાં ચૈત્યસ્તવની અંદર સાધુને પણ ભગવાનના પૂજાસત્કાર માટે કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે, અને તે પૂજાસત્કારાદિ તો દ્રવ્યસ્તવ સ્વરૂપ જ છે. પૂજા માલ્યાદિથી બને છે અને સત્કાર શ્રેષ્ઠવસ્ત્રાદિથી બને છે. બીજાઓ પૂજા અને સત્કારના સ્વરૂપમાં વિપર્યાસ પણ માને છે. બંને પ્રકારે પણ તે પૂજા અને સત્કારએ દ્રવ્યસ્તવ જ છે. સમવસરણમાં ભગવાને પણ જે માટે રાજાઆદિએ કરાતા બલિઆદિકનો નિષેધ નથી ર્યો, તેથી જણાય છે કે ઉચિતોને દ્રવ્યસ્તવની આજ્ઞા છે. કોઈ દિવસ પણ મોક્ષથી પ્રતિકૂળ એવા વ્યાપારની આજ્ઞા ભગવાન કરે નહિ, અને મોક્ષને અનુકૂળ એવો વ્યપાર સાધુઓને બહુમત ન હોય તેમ ન જ બને. કોઈક તરફથી કદાચ ભાવનો જે અંશ તે જ ભગવાનને બહુમત છે એમ કહેવામાં આવે તો દ્રવ્ય વગર ભાવ હોતો નથી એ સિદ્ધાંત છે કારણ કે દ્રવ્ય એ જ ભાવનું કારણ છે, માટે તત્ત્વથી દ્રવ્યની અનુમોદના થઈ જ ગઈ. આહારથી થવાવાળી તૃપ્તિને ઇચ્છનારને તે ભાવથી અનંતર એવું એનું દ્રવ્ય જે કારણ તે પણ ઇચ્છેલું જ છે, તેથી જ ભરત મહારાજા વિગેરેને જિનભવન કરાવવા આદિમાં નિષેધ કર્યો નથી, પણ શલ્ય વિષઆદિની ઉપમાઓએ કરીને કામનો નિષેધ કર્યો છે, એ ઉપરથી શાસ્ત્રારાએ દ્રવ્યસ્તવનો નિષેધ ન થવાથી પ્રસંગ પ્રાપ્તનો પ્રતિષેધ ન કરાય તો અનુમત ગણાય એ ન્યાયે જિનભવનાદિરૂપ દ્રવ્યસ્તવ તે સંમત થયો. એવી રીતે બાકીના મુનિઓને પણ દ્રવ્યસ્તવમાં અનુમોદનાઆદિ વિરૂદ્ધ નથી. વળી ભગવાનનો ચાર પ્રકારે ઔપચારિક વિનય જે કરવો જોઈએ તે પણ દ્રવ્યસ્તવ સિવાય બીજો બની શકે નહિ. એ ઔપચારિક વિનયને અંગે જ ચૈત્યસ્તવમાં સાધુઓને પણ પૂજનાદિના ફળની પ્રાપ્તિનું ઉચ્ચારણ યુક્ત છે, નહિંતર તે ઉચ્ચારણ અયોગ્ય જ થાત અને તે વંવિત્તિયાણ આદિના પાઠના ઉચ્ચારણ વગરની વંદના કહેલી નથી એ બધા ઉપરથી નક્કી થાય છે કે સાધુને પણ ઔપચારિક વિનયનું સંપાદન કરવાનું
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy