SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શનિવારની સંવચ્છરી કરી અને બુધવારની કરવા માગનારા ખુલાસો કરશે કે ? કોઈપણ શાસ્ત્રકાર પર્વતિથિના ક્ષયે અપર્વતિથિનો ક્ષય કરવાની ના કહે છે ? કોઈપણ શાસ્ત્રકાર પર્વતિથિનો ક્ષય હોય તો અપર્વતિથિની ભેગી પર્વતિથિ કરવી એમ જણાવે છે છે અર્થાત ટીપ્પણાની માફક આરાધનામાં પડવો બીજ આદિ ભેગી કરવાનું કહે છે ? એમ હોય તો ક્ષયે પૂર્વાની જરૂર શી ? તે તિથિ પહેલામાં ભળેલી જ છે. બે પર્વ ચૌદશ પૂનમ કે ચૌદશ અમાવાસ્યા જેવાં સાથે હોય અને તેમાં બીજા પર્વની તિથિનો છે ક્ષય હોય તો શું તે બે પર્વો એકઠા ગણવાં ? અને બ્રહ્મચર્ય સચિરત્યાગ અને પૌષધ આદિ જેવા નિયમો જો બાર તિથિના હોય તો તે વખતે શું અગીયાર તિથિ પાળવી ? આસો કે ચૈત્રની પૂનમનો ક્ષય હોય તો શું ચૌદશ અને પૂનમને ભેગાં ગણી આઠ દિવસની છે ઓળીયો ગણવી ? અને જો નવ દિવસ ગણવાં તો શું પદ્મીને દિવસે ચૈત્રી અને આસોની , પૂનમ ગણી લેવી ? શું પશ્મીને દિવસે ચૈત્રી પૂનમના દેવ વાંદવા? કાર્તિક સુદ પૂનમનો ક્ષય હોય તો ચૌદશ પૂનમ ભેગાં માની સવારે વિહાર કરીને બીજે સ્થળે જઈને ચૌમાસી પરિક્રમણ કરશે કે ? શું ચૌમાસી પડિક્કમણું ર્યા પહેલાં પટ જાહારશે ગીત, કે શ્રી સિદ્ધગિરિ ઉપર યાત્રા કરવા જશે ? જો પૂનમના ક્ષયે તેરસનો ક્ષય યોગ્ય હોય તો પછી ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો પર ક્ષય કરવો યોગ્ય ગણાય કે નહિ ? પૂનમની વૃદ્ધિએ પરંપરાથી બે તેરસો કરાય છે, છતાં પર્વતિથિની વૃધ્ધિ ન માનવી એ વાતને આ ના કબુલ કરતાં જેઓ પર્વતિથિઓની વૃદ્ધિમાની બે પૂનમો માને છે કે કહે છે અથવા લખે છે તેઓ ચૈત્ર આસો માસની પૂનમ વધતાં ખોખા તિથિએ આંબિલ તોડી નાંખશે ? ગીત, શું તેઓ બે પૂનમ કે ચૌદશ છતાં ઓળી આઠમથી નહિં બેસાડતાં સાતમથી જ ઓળી બેસાડશે? અષાઢઆદિની પૂનમો બે હશે તો શું પષ્મી ચૌમાસીનો છઠ ઉડાવી દેશે ? વચમાં ખોખા એક પૂનમ હોવાથી શું છઠ નહિં કરાવતાં વચમાં પારણું કરાવી બેએ ઉપવાસ છુટાછુટા કરાવશે? છતી શક્તિએ ચૌમાસીનો છઠ નહિં કરાવે કે નહિ કરવા દે ? કાર્તિક પૂનમો બે હશે તો ચોમાસી પડિકકમણાને બીજે દિવસે શ્રીસિદ્ધચલજીની યાત્રા કે શ્રીસિદ્ધાચલજીના પટનું જુહારવું નહિં કરે અને રોકશે? શું પહેલે દિવસે વિહાર છુટો જાહેર . ર્યો અને વિહાર નહિં કરે ? ચૌદશના ક્ષયે પૂનમને દિવસે પબ્દી કરનાર ખરતરોને જેમ શાસ્ત્રકાર એક અનુષ્ઠાનનો લોપ એક કરનાર તરીકે જણાવે છે. તેમ પૂનમના ક્ષયે પૂનમ અને ચૌદશ એકઠાં કરનાર પણ એક અનુષ્ઠાનને લોપનારા નહિં બને ? તા.ક. ૧ રવિવારે સંવચ્છરી કરનારાઓ તો શ્રીતત્રંગિણીકાર શ્રીધર્મસાગર મહોપાધ્યાયના વચનથી કે ચૌદશના ક્ષયે તે ચૌદશની પહેલાંની તેરસ કહેવાય જ નહિ, પણ ચૌદશ જ કહેવાય, એમ માને છે, અને તેમ જ પૂનમના ક્ષયે ચૌદશને ચૌદશ કહેવાય જ નહિ, પણ પૂનમ જ કહેવાય છે અને તેથી પહેલાની તેરસને તેરસ કહેવાય જ નહિ, પણ ચૌદશ જ કહેવાય એમ માને છે, તેથી તેઓને નિયમ પડિક્કમણું વિહાર અને યાત્રા બાબતમાં મુશકેલી રહેતી નથી અને આ રહેશે પણ નહિ. (જુઓ પાનુ ૨૩૮) કામ ૧૦
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy