SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ શ્રી સિદ્ધચક્ર તા. ૨૫-૨-૧૯૩૭ पच्छा ९७२, मज्झत्था ९७३, मज्झत्था ९७४, बुद्धि ९७५, धम्मत्थी ९७६, पत्तो ९७७, छेअ ९७८, सो ९७९, अइ ९८०, तेसि ९८१, आमे ९८२, न ९८३, अविअ ९८४, एव ९८५, एव ९८६, अप्प ९८७, પછી તે આચાર્ય શાસનના કાર્યમાં હંમેશાં ઉપયોગવાળો છતાં શાસ્ત્રવિધિએ યોગ્ય શિષ્યોને અનુયોગ એટલે સૂત્રોનું વ્યાખ્યાન આપે, મધ્યસ્થ, બુદ્ધિશાળી અને ધર્માર્થી એવા જે શિષ્યો હોય તે જ સામાન્ય રીતે સિદ્ધાંત સાંભળવાને યોગ્ય ગણાય છે, તેવી રીતે જે સુત્રવિશેષ શ્રીનિશીથઆદિ છે તેને આશ્રીને તો પ્રાપ્તાદિ હોય તે જ યોગ્ય ગણાય છે. જે જીવો મધ્યસ્થપણે હોય તે કોઈપણ જગ્યા ઉપર કદાગ્રહ કરે નહિં, તથા પ્રાયે પવિત્ર આશયવાળા હોય, અને તેઓ નજીકમાં મોક્ષ પામનારા હોય છે. બુદ્ધિયુક્ત શિષ્યો સર્વત્રસૂક્ષ્મ અને બાદર ગુણ તથા દોષોને અતિગંભીરપણે કષ, છેદ અને તાપથી શુદ્ધ તરીકે &યમાં અંગીકાર કરે છે. કચરામાં જેમ હડા નામની વનસ્પતિ પ્રતિબંધવાળી હોતી નથી, તેમ ધર્માર્થી શિષ્ય આ લોકના ધનકણકંચનાદિ પદાર્થોમાં પ્રતિબિંધ વગરનો હોવાથી તેને મોહરહિત સહેજે કરી શકાય છે. આગળ કાલઆદિને ઉચિત એવાં સૂત્ર આપવા જણાવ્યું તેથી પ્રાપ્તઆદિ સમજાવે છે. સૂત્રના અધિકારમાં જે ત્રણ વર્ષ આદિ દીક્ષાપર્યાયથી કલ્પિક હોય તેને પ્રાપ્ત કહેવાય છે, અને આવશ્યકથી માંડીને સૂયગડાંગ સુધીમાં જે સૂત્ર જે સાધુ ભણ્યો હોય તે સાધુ તે સૂત્રનો કલ્પિક કહેવાય છે, પણ નિશીથ વિગેરે જે છેદસૂત્રો છે તેમાં તેનો ત્રણ વર્ષ આદિ સમય થયો હોય તોપણ જે શુદ્ધઅંત:કરણવાળો, ધર્મની પ્રીતિવાળો અને પાપથી ડરનારો એવો પરિણામક સાધુ જણાય તે જ યોગ્ય ગણાય. નિશીથાદિ છેદસૂત્રો પરિણામકને આપવાનું કારણ જણાવે છે. તે પરિણામક એવો સાધુ ઉત્સર્ગ અને અપવાદ વિગેરેનો યથાસ્થિત જાણનાર અને આચરનાર હોવાથી વિષયવિભાગોને જે માટે હિતમાં જ પરિણામાવે તે માટે તેની આગળ જ તે નિશીથાદિ છેદસૂત્રોનું વ્યાખ્યાન કરાય. અતિપરિણામી અને અપરિણામી એવા શિષ્યોને વિચિત્ર એવો કર્મદોષ હોવાથી તેઓને નવજ્યરાદિની માફક-કાલથી અસાધ્યયોગમાં ઔષધ દેતાં અહિત જેમ થાય તેની માફક છેદસૂત્રોનું વ્યાખ્યાન તેઓને અહિતકારી છે. તે અતિપરિણામક અને અપરિણામકને જે માટે તેવા છેદસૂત્રોના વ્યાખ્યાનથી ઉત્સર્ગ અને અપવાદનું યથાસ્થાન પરિણમન ન થતાં વિપર્યાસ થવાથી અનર્થ થાય છે, માટે તે બુદ્ધિમાન આચાર્યે તેમના હિત માટે તેમની આગળ છેદસૂત્રોનું વ્યાખ્યાન કરવું નહિં. પૂજયો પણ કહે છે કે કાચા ઘડામાં નાંખેલું પાણી જેમ ઘડાનો જ નાશ કરે છે અર્થાત્ પાણીરૂપ આધેયનો તો નાશ થાય છે જ. તેમ છેદસૂત્ર તુચ્છને આપવાથી તે તુચ્છપ્રાણીનો અસ્થાન ઉપયોગ થવાથી તે તુચ્છ જીવો-પ્રાણીનો નાશ કરે છે. મિથ્યાભિનિવેશ કરીને ભાવિત બુદ્ધિવાળા તે અપરિણામક આદિથી પરંપરાએ પણ બીજા પુરુષોને શુદ્ધસ્વરૂવાળો પુરુષાર્થ પ્રાપ્ત થતો નથી. વળી તે અપરિણામી આદિ જીવોને અભિનિવેશ ભાવ અનાદિકાળથી રહેલો છે, આવું સમજીને છેદસૂત્રના અર્થનું વ્યાખ્યાન પરિણામક એવા યોગ્યની આગળ જ કરવું. વિધિ પ્રમાણે ઉપસંપદાથી આવેલા એવા ગુણયુકતોને આચાર્ય મહારાજે સૂત્ર, અર્થઆદિનું ક્રમે વ્યાખ્યાન દેવું, પણ તે દેવાતું સૂત્ર કે અર્થ પોતાના આત્માથી નિશ્ચિત થયેલું હોવું જોઈએ. ઉપસંપદા ગ્રહણ કરવાની રીતિ જણાવે છે. ઉપસંપાદાનો કલ્પએ છે કે પોતાના ગુરુની પાસે જે સ્ત્રાર્થ હોય તે ગ્રહણ કરીને તેનાથી અધિક ગ્રહણ કરવાને સમર્થ અને ગુરુની આજ્ઞા પામેલા
SR No.520955
Book TitleSiddhachakra Varsh 05 - Pakshik From 1936 to 1937
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages740
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy