________________
ક
શિવકો
(પાક્ષિક)
-: ઉદ્દેશ :વાર્ષિક લવાજમ : રૂા. ૨-૦-૦
છુટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રીઆચામાસ્લ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના, અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે.
__ सिद्धानां तच्चक्रं चक्रतु वृजिनालिचक्रचूरायाम् ।
अर्ह द्दष्टिप्रमुखै : सिद्धं भव्यौ धहल्लीनम् ॥१।। અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપી પરમેષ્ઠી વડે તથા સમ્યગુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપ ગુણો વડે યોજાયેલું તેમજ ભવ્ય સમુદાયના હૃદયમાં વસેલું સિદ્ધોનું ચક્ર-સિદ્ધચક્ર પાપ સમૂહના ચક્રને ચૂરવામાં ચક્ર સમાન થાઓ.
આગમોદ્ધારક.” દ્વિતીય વર્ષ. ) મુંબઈ, તા. ૧૯-૧૦-૩૩ ને ગુરૂવાર વીર-સંવત્ ૨૪૬૦ - અંક ૨ જો. |
આશ્વિન-અમાવાગ્યા
| વિક્રમ સંવત ૧૯૮૯
દિવ્ય-વારસો. સંસારીઓ ઉપર અસર.
જગતમાં અનેક મહાપુરૂષો થયા છે, અનેક માનવ રત્નોએ વિશ્વની વિશાળ ભૂમિને શોભાવી છે, શણગારી છે અને તેને સૌંદર્યવતી બનાવી છે. અનેક મહાત્માઓના ભિન્નભિન્ન યુક્તિવાદો સંસારમાં પ્રવર્તેલા છે, અને તેમના અનેક અનુયાયીઓ એ વાદોને ભિન્નભિન્ન રીતિએ અપનાવી રહ્યા છે. જગતનો પ્રાચીનમાં પ્રાચીન ઇતિહાસ લઇશું અને તેના પૃષ્ટો ફેરવવા માંડીશું તો માલમ પડશે કે એવા