________________
૨૬
તા.૧૯-૧૦-૩૩
શ્રી સિદ્ધચક્ર મહાપુરૂષો ન પાક્યા હોત અને તેમણે સંસારને સત્યજ્ઞાન નીતિ અને ધર્મના સોનેરી પાઠો ન આપ્યા હોત તો આજે જગતની આપણે જે દશા જોઇએ છીએ તે આપણા જોવામાં આવી ન હોત. પાપ કરવા છતાં પાપને ધિક્કારવું એ ભાવના શાથી ઉત્પન્ન થઇ છે?
જગત આજે સંપૂર્ણરીતિએ સુધરી ગયું છે, એમ કહેવાનો આપણે દાવો કરતા નથી. અલબત્ત આજે પણ આ સંસાર મોહમાયા લાલચ લોભ ઈત્યાદિ અનેક દુર્ગુણોમાં ફસાયેલું આપણે જોઈએ છીએ. પરંતુ તે છતાં જગતમાં જન્મીને પોતાની પ્રતિભાને પ્રસરાવી ગયેલા મહાપુરૂષોની પ્રતિભાનું એ પરિણામ તો અવશ્ય આવ્યું છે કે જગત અધર્મને તિરસ્કારતું બન્યું છે. જો કે તે અધર્મ આદરે છે, પાપ કરે છે, અનાચાર ચલાવે છે એ સઘળું છે પરંતુ તે છતાં એજ પાપને અનુસરનારો માણસ પાપ આદર્યા પછી પોતાના કાર્યને માટે પસ્તાય છે, અને પોતે જે કાર્ય કરી ચૂકયો છે અથવા કરે છે તે ખોટું છે એમ તે માને છે. મહાપુરૂષોની ઉપદેશધારાથી જગતના વિચારોમાં સુધારો.
પ્રિય પાઠક ! જગતની આ મનોદશા કઈ વસ્તુને આભારી છે તેનો તને વાસ્તવિક ખ્યાલ છે? સંસારવાસીઓ પૈકી કંઈકની એ મનોદશા કાબુમાં આવી તે પણ મહાપુરૂષોનેજ આભારી છે. સંસારમાં જન્મ ધારણ કરીને જે રત્નોએ આ રીતે જગતને શોભાવ્યું છે તેના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે પરંતુ તે સાથેજ એવો પ્રશ્ન પણ આપણા હૃદયમાં સહેલાઈથી ઉભો થાય છે કે જગતમાં થયેલા અસંખ્ય મહાપુરૂષોમાંથી કયા નરકેસરીની સેવા વધારે ઈષ્ટ છે, કોનું જીવન વધારે કલ્યાણકારિ છે, અને કોણે સંસાર તાપમાં દગ્ધ થયેલા અનંત અનાથ આત્માને શાંતિની મીઠી છાયા આપી છે. વાણી અને વર્તન એક નથી તેને મહાપુરૂષ માનવો નકામો છે.
મહાપુરૂષોના જીવનની કિંમત માત્ર તેમના કથન ઉપરથીજ થવા પામતી નથી પરંતુ તેમનું કથન અને તેમનું વર્તન એ બંને ઉપર તેમના જીવનનો આધાર રહેલો હોય છે જેનું જીવન વાણી અને વચનમાં એકતાનતા અનુભવે છે તે જ સાચો મહાપુરૂષ છે એવા મહાપુરૂષોની શ્રેણિમાં ભગવાનશ્રી મહાવીર દેવનું સ્થાન લોકોત્તર છે. ભગવાન શ્રી મહાવીર લોકોત્તર હતા તેનું કારણ શું?
ત્યારે હવે પ્રશ્ન એ થશે કે ભગવાન શ્રી મહાવીર દેવનું સ્થાન આપણે લોકોત્તર શા માટે માનીએ છીએ ? શું આપણે જે ધર્મ માનીએ છીએ તેના એ પ્રવર્તક હતા માટે આપણે રાગવશ થઇનેજ ભગવાનનું સ્થાન લોકોત્તર છે એમ માનીએ છીએ કે એ માન્યતામાં કાંઈ બીજું કારણ પણ રહેલું છે. જો આપણે માત્ર એટલાજ કારણથી જૈન તીર્થાધિપતિને લોકોત્તર સ્થાન આપીશું તો આપણી પ્રવૃત્તિ