________________
તા. ૮-૧૦-૩૪
શ્રી સિદ્ધચક્ર
પક
જરૂર વાંચો
....
– જરૂર વંચાવો
શ્રી સિદ્ધશ્વક
શ્રીસિદ્ધચક પાક્ષિકનો આ બીજા વર્ષનો છેલ્લો અંક વાચકોના કરકમલમાં મૂકતાં અત્યંત આનંદ ઉપજે છે. સંવત ૧૯૯૦ના આસો સુદિ પૂર્ણિમાએ આ પાક્ષિક તૃતીય વર્ષમાં પ્રવેશ કરશે. જેમ વર્ષગાંઠના મહોત્સવો મંડાય છે, અને ભેટ અર્પણ કરાય છે તેમ આ પત્રના સાલગીરી મહોત્સવમાં દરેક ગ્રાહકો ઓછામાં ઓછો એક નવો ગ્રાહક વધારી આ પાક્ષિકની ગ્રાહક સંખ્યામાં વધારો કરી ગ્રાહકરૂપી ભેટ અર્પણ કરશે એવી આશા રાખીએ છીએ.
અમારા માનવતા ગ્રાહકો સારી રીતે સમજે છે કે આવા ફક્ત બે રૂપિયા જેવા ટૂંકા લવાજમમાં પાક્ષિકને ઘણું ખમવું પડતું હશે, તેથી દરેક ગ્રાહકોને વિનંતિ કરીએ છીએ કે જેમ બને તેમ ગ્રાહકો વધારી, આ પાક્ષિકનો બહોળો પ્રચાર કરી અમારા જ્ઞાનપ્રચારના માર્ગને સરળ કરી
આપે.
મુંબઇના ગ્રાહકોએ લાલબાગ, ભૂલેશ્વરમાં અમારી ઓફિસમાં લવાજમ ભરી જવા મહેરબાની કરવી, જેથી નાહક તેઓને વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે.
બહારગામના ગ્રાહકોએ આસો સુદ પુર્ણિમા પહેલાં પોતાનું લવાજમ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈની આ પત્રની ઑફિસમાં મનિઑર્ડરથી મોકલી આપવું, નહિતર પૂર્ણિમા પછી અંક વી. પી. થી મોકલવામાં આવશે, જે ગ્રાહકોને સ્વીકારી લેવાની વિનંતી છે.
જો કોઈને ગ્રાહક રહેવાની ઈચ્છા ન હોય તો પત્ર લખી કાર્યાલયમાં પહેલેથી ખબર આપવી જેથી અમારે નાહકના વી. પી. ખર્ચમાં ઉતરવું ન પડે. ગ્રાહકોએ પોતાનું નામ, ઠામ અને ગામ સ્પષ્ટ અક્ષરથી લખી જણાવવું
ગત વર્ષે સખી ગૃહસ્થો તરફથી થયેલ ભેટ મોકલવાના અંકોની રકમ ભેટ મળેલી હોવાથી જે જે સંસ્થાઓને તથા પૂજ્ય મુનિમહારાજાઓને આ પત્ર ભેટ મોકલવામાં આવતું હતું તે હવેથી તેવી મદદ ન હોવાથી બંધ થશે, તેથી જે ભેટવાળાઓ તરફથી વગર ભેટે આ પત્ર મંગાવવાની સૂચના આવશે તો આ પત્ર મોકલી શકાશે.
લગભગ ૬૫૦ પાના ઉપરાંતનું વિશાળ વાચન આપવા છતાં વાર્ષિક લવાજમ ફક્ત રૂપિયા બે આજે જ લખો.
લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈ.
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય સમિતિ
તરફથી
તંત્રી :