SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ શ્રી સિદ્ધચક તા.૮-૯-૩૪. ઝવેરાતથી ઠગાય એ જેમ સ્વાભાવિક છે તેમ સમ્યગુદર્શનાદિ ગુણોએ ભરેલા અને તે જ ગુણોને ઓળખાવનાર તથા તેને મેળવી આપવાનો માર્ગ બતાવી તેનો અમલ કરાવનાર મહાપુરુષોને અધિક માનવામાં આવે તેમાં કાંઇપણ આશ્ચર્ય નથી. વળી આત્માના સ્વભાવરૂપ રહેલા એવા સમ્યગુદર્શનાદિ ગુણો પણ તેના આવરણને ખસેડ્યા સિવાય પ્રગટ થવાના નથી અને તે સમ્યગુદર્શનાદિના આવરણોને ખસેડવાનું સાધન જેટલું સમ્યગુદર્શનાદિના જાપ અને બહુમાન વિગેરે છે તેના કરતાં કઈ દરજે અધિકપણે તે સમ્યગુદર્શનાદિ ગુણોથી સંપૂર્ણ ભરેલા એવા મહાપુરુષોના ભક્તિ અને બહુમાન આદિ છે અને હોય તે સ્વાભાવિક જ છે. ઉપરની શંકામાં દીપ, અગ્નિ વગેરેનાં જે દાંતો સાધન તરીકે દેવામાં આવ્યાં તે કેવળ સાધન માત્ર છે, પણ સાધ્યવાળાં તે દીપક વિગેરે નથી, અને અહીં તો પરમ પૂજ્ય દેવ અને આરાધ્યતમ ગુરુમહારાજાઓ તે સમ્યગુદર્શનાદિરૂપ સાધ્ય વસ્તુથી સંપૂર્ણ ભરેલા હોઈ બીજાઓને તે સમ્યગુદર્શનાદિ સાધ્યની સિદ્ધિનાં સાધનો છે, માટે દીપક, અગ્નિ વિગેરેનાં દષ્ટાંત અસંગત જ છે. સમ્યગદર્શનાદિ ગુણો આરાધ્ય ગણવાપૂર્વક પંચપરમેષ્ઠીઓ પરમેષ્ઠીપદમાં દાખલ થયા છે. જો કે એ વાત તો ખરી જ છે કે પંચપીસ્મરણરૂપ પંચનમસ્કારમાં આરાધ્યમ ગુણોને સ્થાન નહિ આપતાં તે આરાધ્યતમ ગુણોવાળા અરિહંતાદિક કે જેઓ ગુણી હોવા છતાં વ્યક્તિરૂપ છે, પણ તે અરિહંતાદિકોની આરાધ્યતા તેઓમાં રહેલા સમ્યગદર્શનાદિ ગુણોને અંગે જ છે, અને તેથી તે પરમેષ્ઠીની આરાધનાનું યથાસ્થિત ફળ તો તેઓને જ મળે છે કે જેઓ તે પંચપરમેષ્ઠીના તે સમ્યગુદર્શનાદિ અપૂર્વ ગુણોનું આરાધ્યપણું સમજવા સાથે તે પંચપરમેષ્ઠીનું આરાધન કરે છે તે અરિહંતાદિક પંચપરમેષ્ઠીઓ પણ આ ભવમાં કે ગત ભવમાં શ્રીપંચપરમેષ્ઠીઓનું સમ્યગુદર્શનાદિ ગુણોની આરાધ્યતા ગણવાપૂર્વક તે પંચપરમેષ્ઠીઓનું આરાધન કરીને જ પંચપરમેષ્ઠીપદમાં બિરાજમાન થયેલા છે, એટલે હરેક કલ્યાણાર્થી જીવને પોતાના સમ્યગુદર્શનાદિ ગુણો પ્રગટ કરવાને માટે તેના આવરણનો ક્ષય કરવા તે સમ્યગુદર્શનાદિ ગુણમય પંચપરમેષ્ઠી કે જેઓ દેવ અને ગુરુતત્ત્વમય છે તેઓનું સર્વ પ્રયત્ન અને ભક્તિ ઉલ્લાસથી આરાધન કરવું એ જ અમોઘ ઉપાય છે. યાદ રાખવાની જરૂર છે કે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રૂ૫ આત્માના ગુણો તે ગુણો હોવાથી મૂર્તસ્વરૂપ થઈ આરાધ્યતામાં આવી શકે નહિ પણ તે સમ્યગુદર્શનાદિ ગુણોવાળા મહાપુરુષો પંચપરમેષ્ઠીઓ જ આરાધ્યતામાં આવી શકે. જગતમાં હીરાની કિંમત તેના તે જ, માન અને આકારને અંગે હોય છે, છતાં તે હીરારૂપ વસ્તુ સિવાય તે જ, માન અને આકારને કોઈ લઈ શકતું નથી. હીરાના તે જ, માન અને આકારને કિંમતી ગણીને તે તેજ વિગેરેને લેવાની ઇચ્છાવાળો મનુષ્ય સ્વયં સમજણથી હીરાને જ ગ્રહણ કરે છે, તેવી રીતે અહીં પણ
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy