________________
૫૪૨
શ્રી સિદ્ધચક્ર
તા.૮-૯-૩૪
આ સમાલોચના |
(નોંધઃ- દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.)
૧. પરિચયવાળા અને પ્રખ્યાત પિતા પોતાના છોકરાને દીક્ષા અપાવવા અન્ય ગામે આવે તો પણ તેના ખરાપણાની શંકા લાવવી એમ કે? અને શ્રાવકો દ્વારા તેના ખરાપણાનો નિર્ણય મનુષ્ય મોકલી કરાવવો એમ કે? તથા જણાવ્યા છતાં શ્રાવકો ખર્ચ આદિનો સંકોચ કે કોઈ હેતુથી બને કે એકકેને ન મોકલે તો દીક્ષા ન આપવી એવો અર્થ જો તે ઠરાવનો હોય તો તે સંમેલનના મુખત્યારો પાસે બહાર પડાવવું. (નિર્ણયશબ્દ જ શંકાને જણાવે છે.)
૨. સંમેલનમાં વૃદ્ધોએ લિખિતની વાત લખાવી, તે ચલાવી લીધી, તે જ અરસામાં તે કાઢી નાખવાની વાત નક્કી થઈ, પણ અન્ય ચર્ચાના નામે સંમેલન તોડવા તૈયારી કરી તેમાં તે કાયમ થઈ, સોસાયટીના સુકાનીને યુવકના નામે કલમ કાયમ રહેવામાં નિર્ભયતા સમજાવી વગેરે ઢાંકપિછોડો કરવો શાસનહિત માટે જ હતો એમ કેમ નહિ?
૩. પત્રના લખાણની બાબત તો તે પંક્તિનો તે અર્થ કરનારે કે માનનારે ફરી નિશાળે બેસવું સારું છે.
(વીરશાસન, અંક ૪૫.) * * * * * * ૧. શાસ્ત્રના પાઠો અને અર્થો અસંગત હોય તેના ઉપર કરેલા પ્રશ્નોને તર્ક કહી ઉડાવવા ને ઉત્તર ન દેવા એ ચર્ચાસારની ચોપડી લખી ચર્ચા ઉપાડયા પછી યોગ્ય છે?
૨. બારસેં દેખાડનાર બે હાથે પુસ્તક પકડે છે. સ્નાન કરી વસ્ત્રાલંકારથી સજ્જ થાય છે ને તે પણ શ્રી જિનેશ્વરના ગભારા માફક ગુરુદેવ પાસે મુખકોશથી મુખ બાંધે છે. મુહપત્તિનાં આઠ પડ નથી હોતાં ને તે મુખકોશના તો આઠ પડ હોય છે છતાં શ્રાવકનું અનુકરણ શ્રેય લાગે છે ?
૩. બારસે આદિના વ્યાખ્યાન વખતે બે ઉપયોગ ટાળવા મુહપત્તિ બાંધી પણ બાકીના ભાષણ ને વાચનાના પ્રસંગોમાં બે ઉપયોગવાદી બનવું ઇષ્ટ હશે તેથી આખો દિવસ નહિ બાંધતા હોય. (બે ક્રિયાના સ્થાને ઉપયોગ કહેનારે શું વિચાર્યું હશે? સમજફેરની હદ કઈ ?)
(જૈન, ૨૬-૮-૩૪.) જાહેર સૂચના.
અંક ૫, ૨૧ વર્ષ ૧લું અંક ૩ વર્ષ રજાં ઉપરના અંકો જે કોઈ મોકલી આપશે તેને ડબલ કિંમત આપવામાં આવશે. તંત્રી.