________________
તા. ૮-૯-૩૪
શ્રી સિદ્ધચક્ર
૫૪3
ઉs |શક્યો બકેશ્વશે કેમ ? | 06. ઉપર સવિસ્તર જણાવેલા મૃગાપુત્રના એટલે કે ઈક્કાઈ રાઠોડના વૃત્તાંત ઉપરથી નીચે પ્રમાણેની તારવણી નીકળી શકે છે - ૧ તે મૃગાપુત્રના દષ્ટાંતને જણાવનારું અધ્યયન જો કે વિપાકસૂત્રના પહેલા દુઃખવિપાક નામના
શ્રુતસ્કંધમાં મૃગાપુત્રીય અધ્યયન નામે પહેલું અધ્યયન કહેવાય છે પણ પ્રસ્તુત અધિકાર જે રાજેશ્વર તે નરકેશ્વર કેમ? એ નામનો ચાલે છે તેને અંગે તે અધ્યયનને ઈક્કાઈ અધ્યયન તરીકે ઓળખીએ તો ખોટું નથી. તે મૃગાપુત્રના ભવની પરંપરામાં ઈક્કાઈના ભવથી જ વક્તવ્યતા શરૂ થાય છે અને તે ઈક્કાઇનો ભવ ખુદ્દ રાજેશ્વરપણાનો હોઈ રાજેશ્વરપણાનો છે અને તેને લીધેજ નરકાદિક
દુર્ગતિઓની પરંપરા ચાલી છે. ૩ તે અધ્યયનમાં જણાવેલો મૃગાપુત્રનો ભવ તે નરકાદિક દુર્ગતિના કારણભૂત પાપના
આશ્ચયભૂત નથી, પણ તે મૃગાપુત્રનો અત્યંત અશુભ ભવ પણ ઈક્કાઈ રાઠોડના ભાવમાં રાજેશ્વરપણાને અંગે જ કરેલા પાપનું જ પરિણામ છે. ભગવાન મહાવીર મહારાજની વખત તે ઇક્કાઈ રાઠોડનો જીવ ઈક્કાઈ રાઠોડપણાના ભાવમાં રાજ્યસમૃદ્ધિને લીધે કરેલા પાપોનું વચલા નરકભવમાં ફળ ભોગવીને પણ મૃગાપુત્રપણે પણ તે પાપ ભોગવી રહ્યો હતો અને તે કૃપાપુત્રની તેવી અધમતમ દશાને અંગે જ તેના પૂર્વ અને ઉત્તર ભવો સભામાં જાહેર થયા તેથી તે અધ્યયનનું નામ સૂત્રકારોએ ઈક્કાઈ
એવું ન રાખતાં મૃગાપુત્રીય રાખ્યું તે વ્યાજબી જ છે. ૫ મૃગાપુત્રના ભવમાં તે ઈક્કાઈ રાઠોડના જીવે કાંઈપણ નરકની વેદનાના કારણભૂત
મહારંભાદિ કાર્ય કર્યું હોય એમ કોઈપણ પ્રકારે સૂત્રકારે જણાવેલું નથી. જો કે નારકીનું આયુષ્ય બાંધવા પુરતા ખરાબ પરિણામ થયા હોય તેનો તો અસંભવ કહેવાય જ નહિ. મૃગાપુત્રની પહેલાની અને પાછલા ભવની પરંપરામાં બીજે કોઇપણ જગા પર તે ઇક્કાઇ રાઠોડનો જીવ રાજેશ્વરપણે થયેલો નથી તેથી તે સર્વ ભવપરંપરાના દુઃખોનું મૂળ ઇક્કાઈ
રાઠોડના ભાવમાં રાધેશ્વરપણામાં જ ઉપાર્જન કરેલું ગણાય. ૭ ઈક્કાઈ રાઠોડના ભાવમાં રાધેશ્વરપણું કરતાં શબ્દાદિ વિષયોના સાધન ભૂત સમૃદ્ધિની
ઈચ્છામાં તે મગ્ન થયેલો હતો.