SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૮-૩૪ ૪૯૧ શ્રી સિદ્ધચક્ર આશ્ચર્યકારક લાગે તે સૂક્ષ્મદૃષ્ટિએ તપાસનારને આશ્ચર્યકારક લાગે નહિ. આનંદ શ્રાવકને થયેલું અવધિજ્ઞાન અવધિજ્ઞાનના સ્વભાવથી વિરૂદ્ધ હતું. આનંદનું અવધિજ્ઞાન નીચે ઓછું એટલે ફક્ત હજાર જોજન જેટલું જણાવનારું છે, પણ ઉંચે દોઢ રાજલોક જેટલું જણાવનારું છે. અવધિજ્ઞાનનો સ્વભાવ નીચે વધારે જણાવવાનો, અને ઉપર ઓછું જણાવવાનો છે. જ્ઞાન એ અરૂપી ચીજ હોવાથી છઘસ્થને ગમ્ય નથી, પણ જ્ઞાન એ અતીન્દ્રિય ગુણ હોવાને લીધે તેની ગમ્યતા કેવળીઓને જ હોય છે. મનુષ્યની અસ્વસ્થ પ્રકૃતિમાં સંકલ્પવિકલ્પો અનેક થયા જાય, અસ્વસ્થ પ્રકૃતિમાં સાચું કહેલું હોય તે પણ એકદમ મગજમાં ન ઉતરે. ગૌતમસ્વામીજી પાસે પણ આનંદ જઈ શકતો નથી. ગૌતમસ્વામીજીને પોતાની પાસે બોલાવે છે. અસ્વસ્થ પ્રકૃતિમાં સંભવિત સાચું કહેલું મગજમાં ન ઉતરે તો પછી અવધિના સ્વભાવથી વિરૂદ્ધ અવસ્થા દેખાતાં તેવા અવધિને માનવાનું કેવી રીતે થાય ? જ્ઞાન એ અતીન્દ્રિય હોવાને લીધે, આનંદનું જ્ઞાન અવધિના સ્વભાવથી વિરૂદ્ધ હોવાને લીધે, આનંદની અસ્વસ્થ પ્રકૃતિ હોવાને લીધે, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનનો શ્રી ગૌતમસ્વામીએ અસ્વીકાર કરવાનો હતો. મહાવીર ભગવાનના સર્વશપણા અને વીતરાગપણાનો નિશ્ચય એમના ઉપર જણાવેલ વર્તનની પવિત્રતાને અંગે છે. શ્રી હરિભદ્રસૂરિજી પણ કહે છેઃ વંધુને નઃ સ માવા-તમે મને એક પ્રતિવાદીની કોટિમાં મેલો છે અને પૂછો છો કેશ્રીજિનેશ્વર પ્રત્યે પ્રેમ વધારે કેમ ? હું જન્મનો અન્ય (જૈન હોઉં તો ન પૂછો). બુદ્ધ કપિલને છોડયા કેમ ? મહાવીર મહારાજને સ્વીકાર્યા કેમ ? બધામાંથી એકેને દેખ્યા નથી, કપિલ કુટુંબી નથી, મહાવીર મળતીયા નથી, તો એકને છોડો, એકને આદરો એ બન્યું કેમ ? ઉત્તરમાં સ્પષ્ટ છે કે તે સર્વના ચરિત્રો ને શાસ્ત્રો મારી આગળ ખડાં થયાં. એ ત્રણેના ચરિત્રોમાં તપાસ કરું ત્યારે મારું મન મહાવીર સ્વામીને માનવા તૈયાર થાય છે. વળી તે ત્રણેના કહેલાં શાસ્ત્રોના વૃત્તાંતો જોતાં મહાવીર મહારાજ સર્વજ્ઞ અને વિતરાગ માલમ પડે છે. કપિલ વિગેરે સર્વજ્ઞ વીતરાગ નથી માલમ પડતા. ભગવાન મહાવીર મહારાજમાં વીતરાગપણું, સર્વજ્ઞપણું માનવું. એવી રીતે એમના વર્તનની પવિત્રતાને અંગે એ સર્વજ્ઞપણું વિતરાગપણું માનવું પડે છે અને એને લીધેજ કલિકાળ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે વ્યાકરણ, ન્યાય, શાસ્ત્ર, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણ કરણાનુયોગ, એ બધાની રચનામાંથી વખત કાઢીને આ ત્રિષષ્ટીયશલાકા પુરુષચરિત્ર એ જ હિસાબે કર્યું કે મહાપુરુષોનું કીર્તન એ સમ્યક શ્રદ્ધાનાદિદ્વારા કલ્યાણ અને મોક્ષનું ધામ છે. એ મહાપુરુષોમાં પહેલે નંબરે ભગવાન ઋષભદેવજી છે અને તેથી તેમનો પહેલો ભવ જણાવે છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy