SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૦-૮-૩૪ શ્રી સિદ્ધચક્ર ૪૮૫ અમોઘદેશના આગમો (દેશનાકાર) ! (H5rc4c7 તો દસર્વેક, Fw5Aણે TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTધ પદ અમદદષ્ટ6. ધમંપત્નિપૂર્ણ, થ: 4[fપવઃ | ધ: સંસારત્તાછંધને મહેશ: III મહાપુરુષોનું કીર્તન એ કલ્યાણ અને મોક્ષનું ધામ છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ દેતા થકા, ત્રિષષ્ટીયશલાકાપુરુષચરિત્રને કરતા થકા, આગળ સૂચવી ગયા કે માત્મનાં કીર્તને દિ શ્રેયો નિઃશ્રેયસીશ્યન્ ! મહાપુરુષોનું વંદન, નમન, સ્તવન, સત્કાર, સન્માન, પૂજા, બહુમાન, ભક્તિ વિગેરે જગતમાં કલ્યાણ અને મોક્ષનું ધામ છે. ચાર અનુયોગ અને તેનાં ફળ. અનુયોગ ચાર છેઃ-૧ દ્રવ્યાનુયોગ, ૨ ગણિતાનુયોગ, ૩ ચરણકરણાનુયોગ અને ૪ ધર્મકથાનુયોગ. એમાં દ્રવ્યાનુયોગ સમ્યકત્વની શુદ્ધિ કરનારો છે, એમાં દર્શનની શુદ્ધિ થાય છે. ગણિતાનુયોગ ચારિત્રની પ્રતિપત્તિ માટે કરાય છે, ચરણકરણાનુયોગ ચારિત્રની રહેણીકહેણીની ક્રિયા બતાવે છે. ધર્મકથાનુયોગથી જો સમ્યત્વની પ્રાપ્તિ થયેલી હોય, તો દર્શનની શુદ્ધિ દ્રવ્યાનુયોગથી થાય છે, ધર્મકથાનુયોગથી ચારિત્ર લેવાની દઢતા થઈ હોય અને એ દઢતાને વર્તનમાં મેલવી હોય ત્યારે ગણિતાનુયોગ ને ચરણકરણાનુયોગની જરૂર રહે છે. ધર્મકથાનુયોગ સમ્યકત્વને ઉત્પન્ન કરનાર છે, કારણ કે ધર્મકથાનુયોગની અંદર જે તીર્થકર, ગણધરશ્રુતકેવલીઓ, મોટા આચાર્યો વિગેરેના ચરિત્રો સાંભળવાનું હોય, ને તે ચરિત્રો સુંદર હોવાથી, તેમનું સર્વજ્ઞપણું જાણીને નિશ્ચિત કરી શકવાથી, આત્માને તેના ઉપર પ્રતીતિ થાય છે.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy