________________
૪૦૩
શ્રી સિદ્ધચક્ર
તા.૨૬-૦-૩૪ ૮ શ્રી અજિતકુમારજી ભગવાન ઋષભદેવજીના કેશરીયાજી તીર્થમાં નહિ ગયા હોય અને ગયા હશે
તો ધ્યાન નહિ રાખ્યું હોય કે ભગવાન શ્રી કેશરીયાનાથજીની મૂર્તિ કૃષ્ણ પાષાણની છે ને તેવા પાષાણના કાઉસ્સગીયા કે સ્વપ્નાં ત્યાં છે જ નહિ. વાચકોએ એવા ભ્રામક લેખોથી સાવચેત રહેવું. શ્વેતાંબરશાસ્ત્રો શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, શ્રી સ્થાનાંગજી વિગેરેમાં મધમાંસનો પરિહાર ફરજીયાત જણાવવા સાથે માંસભક્ષણ કરનારને સ્પષ્ટપણે નરકગામી જણાવે છે માટે
વનસ્પતિવાચક શબ્દોને પણ અભક્ષ્યમાં જોડવા ને ખોટી ટીકા કરવી તે સજ્જનનું કાર્ય નથી. ૧૦ બીજાની ધર્મપ્રાપ્તિનાં કારણોની ટીકા કરવા પહેલાં પોતાની ભક્તામરની કલ્પેલી કથાઓમાં
આપેલાં કારણો જોવાં. ૧૧ પર નિ તવ અન્ન નિંદ્ર ! એ ભક્તામરના વાક્યને માનનારો શ્રીજિનેશ્વર ચાલતા
નથી એમ કેમ માને ? તત્ત્વાર્થની માફક ભક્તામર પણ શ્વેતાંબરોનું હોવા છતાં ને માનતું નામ સ્પષ્ટપણે છતાં દિંગબરો તેમની સદાની ટેવ પ્રમાણે તેને પોતાનું માને છે. (સમવસરણમાં જિનેશ્વરો ચઢશે કે હંમેશાં યોજન જેટલે ઉંચે જ રહેશે એ વાત સ્વભાવથી જિનેશ્વરોનું
આકાશગમન માનનારે વિચારવી યોગ્ય છે.) ૧૨ તત્ત્વાર્થકાર જ્યારે સ્પષ્ટપણે કેવલી અને જિનેશ્વરોમાં અગીયાર પરીષહો ક્ષુધા તૃષ્ણા શીત આદિ
માને છે અને કેવલી તીર્થકરને જ જ્યારે દિગંબરો ભોજનના અભાવરૂપ અતિશય ભાવપ્રાભૃત
વિગેરેમાં માને છે તો પછી સર્વ કેવલીને કવલાહાર ન માનવાનો આગ્રહ શા માટે રાખે છે? ૧૩ વર્તમાન કર્મનો ઉદય ને પ્રતિબંધકનો અભાવ એકેંદ્રિય વિગેરેમાં શું નથી? ને તેને દિગંબરો
શું નોકર્મ આહાર માને છે? ૧૪ જે વિચારો આહાર માટે થાય છે, તે જ વિચારો શરીર પુદ્ગલ, શ્વાસોચ્છવાસ, ભાષા આદિ
માટે કરવા જરૂરી કેમ નહિ ? ને તે શા માટે માનવાં? ૧૫ ગર્ભમાં રહેલા જીવનું માતાએ કરેલ કવલાહારથી જ નાડીદ્વારા પોષણ થાય છે છતાં તે હકીકત
કવલાહાર માન્યા વિના કેવલાને લાગુ કરનારે બુદ્ધિ વેચી નથી? ૧૬ પ્રેમાબાઈનો કિસ્સો જાણનાર સર્વ કોઈ જાણી શકે છે. આહાર વિના શરીરની વૃદ્ધિ માનવી એ
કેવલ ગપ્પજ છે. ૧૭ ભગવાન કેશરીયાનાથજીના તીર્થની માલિકી સેંકડો વર્ષથી શ્વેતાંબરોની છે એ વાત સંપૂર્ણ પુરવાર
થયેલી છે. (જૈન દર્શન ૧/૨૦)