SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૦-૩૪ શ્રી સિદ્ધચક્ર ૪૨ સમાલોચના | જ (નોંધઃ દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક, પત્રો તથા ટપાલ વિગેરે દ્વારા આ ચાલુ પાક્ષિકને અંગે કરેલ પ્રશ્નો અને (અન્ય) આક્ષેપોનાં સમાધાનો અત્રે અપાય છે.) ૧ ભગવાન કેશરીયાનાથજીનું તીર્થ શ્વેતાંબરોનું છે તેને માટે શેઠ ચંદનમલજી નાગોરીવાળું પુસ્તકને દસ્તાવેજો મોજુદ છે. ખુદ્દ કેશરીયાજી નામ જ વધારે ને શોભાદિ માટે કેશર ચઢાવનાર શ્વેતાંબરોથી જ થયું છે. ૨ ધ્વજાદંડની તકરાર વખતે અજમેરની દિગંબરી કમિટિએ છપાવેલી ચોપડી જ જણાવે છે કે (હલ્લો કરવા એકઠા થયેલા દિગંબરો નાસવા ગયા ને લીસાં પગથીયાં તથા બારણાની અંદરનો ભાગ સાંકડો હોવાથી) ચારપાંચ જણ ચગદાઈને મરી ગયા. ૩ દિગંબરની ડિરેકટરિથી જ સાબીત થાય છે કે શ્રી કેશરીયાજીનું તીર્થ સેંકડો વર્ષોથી શ્વેતાંબરોના તાબામાં જ છે. ૪ શ્રી કેશરીયાજીના મંદિરમાં હંમેશાં આંગી, મુકુટ, કુંડલ અને વરખ વિગેરે ચડે છે. રાજ્ય પ્રકરણમાં ન્યાય થાય છે ને તેથી દિગંબરમેંબરોને ઘુસેડયા છે, એ માન્યતા સર્વથા ખોટી છે. જો દિગંબરલોક અને પંડિતજી શાસ્ત્ર અને ઈતિહાસના નિર્ણયને કબુલ કરવા તૈયાર થઈ નિર્ણય કરવા એક સભા રીતસર ભરે તો શ્વેતાંબરો ચોક્કસ તે તીર્થને અધિકારમાં લઈ લે ને દિગંબરોને દર્શન, પૂજા કરવાનું જે શ્વેતાંબરોની સરલતાથી મળે છે, તે પણ બંધ થાય. ૬ મંદિરજીની નવચૌકી કરાવ્યાનો સ્પષ્ટ લેખ ત્યાં જ નવચૌકીમાં ૧૮૩૫નો શ્રી જિનલાભસૂરિનો હાજર છતાં મી. ગૌરીશંકર કે શ્વેતાંબરતીર્થોને આક્રમણ કરવા જ તૈયાર થયેલા દિગંબરો નથી દેખતા તે ઓછું આશ્ચર્યકારક નથી. (જૈનદર્શન ૧/૨૧ મો અંક.) ૭ દિગંબરોને જન્માભિષેક વિગેરેની તો ભક્તિ માનવી છે ને તેજ અભિષેક વખતે ઈન્દ્ર મહારાજે મુકુટ, કુંડલાદિ ચઢાવીને કરેલી ભક્તિ માનવી નથી, એટલું જ નહિ, પણ તે ભક્તિ તથા તેના કરનાર ઉપર અપ્રીતિ ધારણ કરી લડાઈઓ કરવી છે ને તેમના કહેવા પ્રમાણે જ માંસમદિરાના ભક્ષકોને પોષવા છે, તો પછી સ્પષ્ટ કહો કે દિગંબરો સહયોગ કરી શકે જ નહિ. (યાદ રાખવું કે કહેવાતા પણ એક્કે દિગંબરના તીર્થમાં શ્વેતાંબરોએ આક્રમણ કર્યું નથી પણ ઇતિહાસ, શાસ્ત્ર, માલિકીને ભોગવટાથી સિદ્ધ એવાશ્રી અંતરિક્ષજી, કેશરીયાજી, સમેતશિખરજી, તારંગાજી, મક્ષીજી, પાવાપુરીજી આદિ શ્વેતાંબરતીર્થો ઉપર દિગંબરો એ જ અનીતિથી લુંટ કરવી શરૂ કરી છે.)
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy