SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૬-૭-૩૪ ૪૦૪ શ્રી સિદ્ધચક્ર ૧૮ પુWત શબ્દનો પન્નવણાજીના સમંત પદના ફલના ગિર એવો સિદ્ધ અર્થ નહિ સમજનાર તથા પ્રઠ્ઠિા ના અધિકારમાં સ્પષ્ટપણે મટ્ટિ શબ્દનો કરેલો બીજ અર્થ નહિ સમજનાર તેમજ સ્થિતિંદુ વિગેરે બહુબીજવાળા હોઈ અલ્પગિરિ (કસ)વાળા હોય છે એ અધિકાર સ્પષ્ટ છતાં તે નહિ જોનાર અવળો અર્થ કરે અને અવળા અર્થ કરનારની સાક્ષી આપે તે અંધને દોરનાર અંધ જેવો જ ગણાય. ૧૯ વોર શબ્દની આગળ શરીર શબ્દ કેમ છે તથા મMારણ એ પદનું તત્વ શું છે? તેમજ પરિસિ એ વિશેષણ શા માટે છે? અને સીકા ઉપર રસોડામાં કેમ રખાયું? એ વગેરેના વિચાર કરનારને સ્પષ્ટપણે તે સૂત્રમાં માંસની ગંધ પણ નહિ માલમ પડતાં પાક અર્થ જ માલમ પડશે. બિલાડીએ હણેલું એમ નથી કહ્યું પણ મનાવવા એમ કહેલું છે તથા બિલાડીથી કે બીજેથી મરેલાના માંસમાં ફરક શો? કપોત ન કહેતાં કપોત શરીર કેમ કહ્યું? આધાકર્મી આહારને છોડનાર દયાળુ પુરુષ માંસ વાપરે એમ કહેનાર કે માનનારની અક્કલ કેટલી ? (ધ્યાનમાં રાખવું કે નિઘંટુમાં અનેક વૃક્ષાદિનાં નામો જાનવરોનાં નામ જેવાં છે. ખુદું પન્નવણામાં મMાર નામની હરિત વનસ્પતિ છે.) ૨૦ સ્ત્રીવેદમાં રહેલો જીવ તીર્થકરગોત્ર બાંધી શકે છે એ વાતમાં બધાં જૈનશાસ્ત્ર માનનાર મતોનું ઐકય છે, તો પછી કદાચ તેમાં તેનો ઉદય અનંતકાળે થાય તેમાં શું આશ્ચર્ય ? મલ્લીનાથજી પુરુષ હોત તો તેઓને પરમ આરાધ્ય માનનારા સ્ત્રીપણે કેમ માને? ૨૧ રાજ્યાસન ઉપર નહિ બેસવાના કારણે રાજપુત્રોમાં કુમારપણું રહે છે એ વાત શાસ્ત્ર તથા લોકોથી સિદ્ધ છતાં કુમારશબ્દ કે સ્ત્રી અને રાજ્યાભિષેક ઉભયના અભાવથી વપરાતા કુમારશબ્દને દેખીને કે એકમતીય અપરિણયન દેખીને કુમાર શબ્દવાળાઓએ વિવાહ કર્યો જ નથી એવું માનવા તૈયાર થનાર ઘણું ભૂલે છે. ૨૨ જૈનશાસ્ત્રોની પ્રાકૃત ભાષા જ છે એમ માનનારે અંતે, મને, મહાવીર વિગેરે શાસ્ત્રીય પ્રયોગો પ્રાકૃત વ્યાકરણથી સિદ્ધ કરવા. (અઢાર દેશી ભાષાએ મિશ્ર અને સમગ્ર આર્યક્ષેત્રમાં વપરાતી તથા બ્રાહ્મીલિપિની સહચારિણી અર્ધમાગધી ભાષા છે એ વાત શ્રીનિશીથચૂર્ણિ અને પ્રજ્ઞાપનાદિના જાણકારોથી છૂપી નથી.) ૨૩ જિનચરિત, કવિરાવલી અને સામાચારી એ ત્રણે પ્રકરણો શ્રી કલ્પસૂત્રમાં છે ને તે શ્રીભદ્રબાહુ સ્વામીજીનાં રચેલાં છે. માત્ર સ્થવિરાવલીમાં દરેક કથન કરનારે પોતાના ગુરુ સુધીની પરંપરા જણાવવી જોઇએ ને તેથીજ સ્થવિરાવલીમાં સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર શ્રીદેવસ્વિંગણી ક્ષમાશ્રમણજીએ પોતાના ગુરુ સુધીની પરંપરા દાખલ કરી ને તેથી ત્યાં જ નવસો એંસીની સાલ લખી છે. અન્યથા ગ્રંથકાર જો સંવત્ લખત તો કલ્પસૂત્રના અંતમાં જ તે લખત.
SR No.520952
Book TitleSiddhachakra Varsh 02 - Pakshik From 1933 to 1934
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages726
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy