________________
૪૦૩
શ્રી સિદ્ધચક
તા.૧૨-૬ ૩૪
પ્રશ્નફાર ચતુર્વિધ સંઘ.
#માધાન®ા: સકલારત્ર પ્રાદંગલ આગમોધ્ધાટ9_ શ્રીસાગરાનંદસૂરીશ્વરજીમ.
*
ન
RE
પ્રશ્ન ૬૭૮-લવણસમુદ્રમાં મનુષ્યના જન્મમરણ થાય કે નહિ ? સમાધાન-લવણસમુદ્રમાં અંતદ્વીપમાં મનુષ્યના જન્મમરણ થાય છે, વળી તે અંતર્લીપ સિવાય બીજા નાનામોટા બેટો તેમજ પ્રવાહણાદિક સ્થાનોમાં મનુષ્યનું રહેવું, જવું થાય અને ત્યાં મનુષ્ય જન્મ કે મરણ પામે તેમાં કોઈ જાતનો બાધ દેખાતો નથી. પ્રશ્ન ૬૭૯-ાલમાં જે વાતે ઓ ગોરજીઓ વર્તે છે તે રીતે તે યતિ તથા ગોરજીનું કયું ગુણસ્થાનક માનવું ? સમાધાન-જિનેશ્વર મહારાજની સાચી શ્રદ્ધા અને પ્રરૂપણા જેઓમાં હોય તેઓમાં ચોથું, અગર વાર તહેવારે વ્રત, નિયમ, પચ્ચખાણ કરતા હોય અગર અમુક અણુવ્રતો ધારણ કરતા હોય તો પાંચમું ગુણસ્થાનક પણ કહી શકાય અને જેઓની શ્રદ્ધા, પ્રરૂપણા માર્ગને અનુસરતી નથી તેઓને વ્યવહારથી પણ ચોથે પાંચમે ગુણઠાણે કહેવાનું મુશ્કેલ પડે અર્થાત્ પહેલે ગુણઠાણે પણ હોય. પ્રશ્ન ૬૮૦- તમસ્કાય વસ્તુ શી? તથા તે કયાંથી આવે છે ? તેમજ દરરોજ નિયમિત ટાઈમે જ આવે છે તેનું કારણ ? સમાધાન- તમસ્કાય એ અપુકાયનો વિકાર છે, તથા અરૂણોદ નામના સમુદ્રના મધ્ય ભાગમાંથી તમસ્કાયની શ્રેણી નીકળે છે અને સૂર્ય વિગેરેના કારણથી તેનો ધ્વંસ થાય છે. પ્રશ્ન ૬૮૧- ભરતની જે શાશ્વતી ગંગા નદી છે તે હાલ છે તે કે બીજી ? સમાધાન- દિલ્હી, કાનપુર, કાશી થઇને બંગાળાના અખાતમાં મેળવેલી જે આધુનિક ગંગા છે તે અષ્ટાપદથી વાળીને સમુદ્રમાં મેળવેલી ગંગા છે એમ અજિતનાથજીના ચરિત્રના આધારે જણાય છે. પ્રશ્ન ૬૮૨- સૂર્યના ઉદય થયા પછી નવકારશી આદિનું પચ્ચખ્ખાણ લેવાય કે નહિ? સમાધાન-મુખ્યવૃત્તિએ સૂર્યોદય પહેલાં ધારવું ન લેવું જોઇએ છતાં હંમેશા પચ્ચખાણ કરનારાઓને માટે પછી પણ લેવા ધારવામાં અડચણ નથી.